SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬૨ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. F પ્રાપ્ત કરીને પશ્ચાત્ ન પડી શકાય. સાર વિનાની અને બેધ વિના અન્વેની પેઠે કઈ પણ જાતની ક્રિયા કરવા માત્રથી આત્માની ઉન્નતિ થતી નથી. જડની પેઠે વા યંત્રની પેઠે ક્ષિા કરવા માત્રથી આત્મોન્નતિ થઈ શકતી નથી. પ્રત્યેક કર્મની ક્રિયાનું સ્વરૂપ પરિપૂર્ણ અવધીને પશ્ચાત્ તેમાં મનની એકાગ્રતા કરીને પ્રવૃત્તિ સેવવી જોઈએ. આત્મજ્ઞાનીએ કાર્ય પ્રવૃત્તિથી કદાપિ કંટાળવું ન જોઈએ. કાર્ય પ્રવૃત્તિથી કંટાળવાથી પશ્ચાત્ સર્વ બાબતેની પ્રવૃત્તિથી કંટાળો આવે છે અને તેથી કાયરપણું પ્રાપ્ત થાય છે. કાર્યપ્રવૃત્તિમાં કાયરપણું પ્રાપ્ત થતાં આત્મોન્નતિ કરનાર એક પણ ગુણની પરિપૂર્ણ પ્રાપ્તિ થઈ શકતી નથી. પ્રત્યેક કાર્ય કરતાં કંટાળો આવે તેથી કદાપિ કાર્ય પ્રવૃત્તિનો ત્યાગ ન કરે. ત્રાન્સવાલમાં હિન્દુસ્થાનના ગાંધી મેહનલાલ કરમચંદે સત્યની પ્રવૃત્તિ પ્રારંભી અને હિન્દુઓનાં દુઃખ દૂર કરવાનો નિશ્ચય-ઠરાવ કર્યો. તેમાં તેણે અનેક દુઃખ વેઠીને વિજય પ્રાપ્ત કર્યો. મોહનલાલ કરમચંદ ગાંધી કેદખાનાને પણ સવર્ગ સમાન માનીને સ્વકાર્ય પ્રવૃત્તિમાં દઢ નિશ્ચયી રહ્યા તેથી તે અને વિજયી બન્યા. જે મનુષ્ય જીવ પર આવીને આ પાર કે પેલે પારને વિચાર કરી કર્તવ્ય કાર્યની ક્ષિામાં પ્રવૃત્ત થાય છે તે અને વિજયની વરમાલને પ્રાપ્ત કરી શકે છે. સુરતમાં કોંગ્રેસના ભાગલા પડયા તેથી હિન્દીઓ કેટલાક હતાશ થયા પરંતુ સુરેન્દ્રનાથ બેનરજી અને ગોખલે વગેરેએ તેની પુનઃ પ્રવૃત્તિ પ્રારંભી અને કેસને જીવતી કરી. આ ઉપરથી સાર લેવાને એ મળે છે કે આવશ્યક કર્તવ્ય કાર્ય કરતાં કાર્ય અને પિતાને ઘણું દૂર થવું પડે તો પણ કાર્યની પ્રવૃત્તિથી અને કાર્યની સિદ્ધિ કરી શકાય છે. જાપાનના રાજા મીકાડે વગેરેએ સ્વદેશની પાશ્ચાત્ય રાજ્યોની પેઠે પ્રગતિ કરવા ધારી તેમાં તેમને પ્રથમ મુશ્કેલીઓ નડી; પરંતુ પશ્ચાતું તેમને કર્તવ્યદિશાને માર્ગ ખુલ્લ દેખાય અને તે પિતાની આંખે જાપાનની ઉન્નતિ દેખી મૃત્યુ પામ્યો. અમેરિકા દેશની પ્રગતિ કરનાર બેન્જામીન કાંક્લીનને પણ પ્રથમ સ્વદેશીય પ્રગતિકારક આવશ્યક કાર્યો કરતાં અનેક વિપત્તિ નડી હતી, પરંતુ પશ્ચાત્ તેણે સ્વકાર્યની સિદ્ધિ કરી. ધાર્મિક બાબતોની પ્રગતિમાં પણ પૂર્વે અનેક જૈનાચાર્યોને દુઃખે પડયાં હતા. દક્ષિણ મદુરામાં અનેક જૈનાચાર્યોના ધાર્મિક વિવાદમાં પ્રતિપક્ષીઓએ પ્રાણ લીધા હતા, તથાપિ તેઓ અંશ માત્ર આત્મધર્મથી ચલાયમાન થયા નહોતા. તેઓએ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ સ્વફરજ રૂપ ધર્મ અદા કરવામાં પ્રાણની સ્પૃહા રાખી નહોતી. આત્માર્પણમાં જ્યાં સંકોચ હોય છે અને જ્યાં મૃત્યુની ભીતિ હોય છે ત્યાં કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં શૈથિલ્ય અવધવું. વિધાર્થે–દેશાર્થે–સંઘાર્થે અને ધર્માર્થે મૃત્યુ થાય તે પણ જેને મનમાં જરા માત્ર ક્ષોભ ઉત્પન્ન થતો નથી તે મનુષ્ય આવશ્યક કાર્ય ક્રિયામાં મગ્ન બનીને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકે છે. હાલ યુરોપમાં પ્રચંડ યાદવાસ્થળી પ્રગટી છે તેમાં પ્રત્યેક દેશને મનુષ્ય સ્વપ્રાણાર્પણ કરવાને ઉત્સવ સમાન આનન્દ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy