________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
પોથીમાના રીંગણુ.
( ૪૫૫ )
બતાવે છે તેની અખિલ વિશ્વ પર અસર થાય છે. કર્મચારીઓ કથન કરતાં પ્રવૃત્તિથી વિશ્વમાં જાહેર થએલા છે. કર્તવ્યકર્મ કરનાર એક વાર જે વચન બોલે છે તેની અન્ય મનુષ્યના હૃદયમાં જીવતી અસર થાય છે અને તેના શબ્દોથી પરંપરાએ અનેક મનુષ્યોને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. કર્મયોગી કૃષ્ણના અને અર્જુનના શબ્દોની અન્યપર મહા અસર થતી હતી તેનું કારણ એ હતું કે તેઓ જે પ્રમાણે કથતા હતા તે પ્રમાણે કર્તવ્યકાર્યમાં પ્રવર્તતા હતા. શ્રી હેમચંદ્રાચાર્યના વચનની શ્રી કુમારપાલ રાજાને અસર થઈ તેનું કારણ પણ એ છે કે શ્રી હેમચંદ્રાચાર્યની કહેણ પ્રમાણે રહેણ હતી. કેટલાક મહાત્માઓને તે એ મત છે કે “ વીર્યપાત કરતાં રહેણ વિના વચનપાતથી સ્વપરને હાનિ થાય છે. તે બાબતને વિચાર કરવામાં આવે છે તે ખરેખર તે વચન સત્ય ઠરે છે. યુરોપમાં એક જાહેર વક્તા સર્વ મનુષ્ય આગળ શાન્ત રહેવાનો ઉપદેશ આપતે હતો. તેથી એક મનુષ્યના મનમાં એ વિચાર પ્રકટ કે આ મનુષ્ય જ્યારે શાન્ત રહેવા ઉપદેશ આપે છે ત્યારે તેના ઘરમાં કેવી શક્તિ હશે. પેલે મનુષ્ય તે ઉપદેશકના ઘેર ગુપ્તરીત્યા ગયા અને તેની સ્ત્રીની સાથે તેને કલેશ-કંકાસ કરતે દીઠે તેથી તેને નિશ્ચય થયો કે કહેવું સહેલ છે પણ કરવું મુશ્કેલ છે. જેનેગ્રાફની પેઠે આડુંઅવળું બેલી જનારા મનુષ્યની ખેટ નથી પરંતુ જ્યારે રહેણીમાં મૂકવાની દશાનું અવલોકન કરવામાં આવે છે ત્યારે લાખોમાં એક મનુષ્ય મળી આવે છે. જેવી રહેણીથી મનુષ્ય પિતે વર્તતે ન હોય તે ઉપદેશ તે જે અન્યની આગળ આપે છે તે તેની અસર અન્યપર થતી નથી. કરી બતાવીને તે માટે વિશ્વને કહેવામાં આવે તો વિશ્વને તુર્ત તેની અસર થાય છે, અન્યથા પિથીમાંનાં રીંગણના જેવી દશા થાય છે. એક બ્રાહ્મણ કેટલાક મનુષ્યની આગળ કથા કરતો હતો. તેની કથા સાંભળવાને એક દિવસ તેની સ્ત્રી આવી. તે પ્રસંગે બ્રાહ્મણે વંત્યાક નહિ ખાવાની વાત ચર્ચાને કચ્યું કે વંત્યાકના ધૂમાડાથી દેવતાઓનાં વિમાન સ્તંભી જાય છે અને તેનું બીજ પેટમાં રહે અને જે તેવી સ્થિતિમાં મૃત્યુ થાય છે તે નરકમાં અવતાર લેવો પડે છે. બ્રાહ્મણનું આવું વચન શ્રવણુ કરીને બ્રાહ્મણીના મનમાં ઘણી અસર થઈ અને તેણે વંત્યાક નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી. તેણે ઘરમાં પડેલાં વંત્યાકે ફેંકી દીધાં. બ્રાહ્મણ સ્નાન કરીને જમવા બેઠો અને તેણે વંત્યાકનું શાક માગ્યું. બ્રાહ્મણીએ કહ્યું કે–તમારી કથા શ્રવણુ કરી વંત્યાક ત્યાગ કર્યો છે, માટે હવે આપણું ઘરમાં વંત્યાકનું શાક થશે નહિ. બ્રાહ્મણ કહેવા લાગે કે હારે તે વંત્યાકના શાક વિના એક દિવસ પણ નહિ ચાલે. બ્રાહ્મણીએ કહ્યું–જો–એમ છે તે તમને નરકમાં જવું પડશે. કારણ કે કથામાં વંત્યાક ખાવાને નિષેધ કર્યો છે. બ્રાહ્મણે કહ્યું કે એ તે પોથીમાંનાં રીંગણાનો નિષેધ થતું હતું. બ્રાહ્મણીએ કહ્યું કે જ્યાં સુધી તમારી અને દેશના લોકોની પિથીમાના રીંગણાંના નિષેધની સ્થિતિ છે ત્યાં સુધી
For Private And Personal use only