________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૪).
શ્રી કર્મયોગ ગ્રંથ સવિવેચન.
બુદ્ધિને ખ્યાલ આવી શકે છે. પ્રત્યેક કાર્યની વ્યવસ્થા, સ્વચ્છતા અને સુન્દરતા માટે પ્રથમ બુદ્ધિની વ્યવસ્થિતતા થાય. એવી રીતે ખરેખર પ્રત્યેક કાર્ય સંબંધી માનસિક કેળવણી ગ્રહણ કરવી જોઈએ કે જેથી કાર્ય કરવાની વ્યવસ્થા અને સ્વચ્છતા તથા સુન્દરતાની શુદ્ધિવૃદ્ધિ થાય અને તેથી આત્મોન્નતિકારક આત્મશક્તિને પરિપૂર્ણ કેળવીને પ્રગતિમાન બની શકાય. પ્રત્યેક મનુષ્ય સ્વાત્મકર્તવ્યકાર્યોની વ્યવસ્થિતતા માટે વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર કાર્ય કરવાની કેળવણીને પ્રાપ્ત કરવી જોઈએ. આપણે જે જે કાર્યો કરીએ છીએ તેમાં જે જે ભૂલો–દો થાય છે તેને પરિહાર થાય એવી રીતે દરરોજ આ વિશ્વપાઠશાલામાં વ્યવસ્થિત કર્તવ્ય કાર્યનું શિક્ષણ ગ્રહવું જોઈએ. કઈ મનુષ્ય સર્વજ્ઞ નથી. પ્રત્યેક મનુષ્યના કાર્યમાં તેના કરતાં ઉત્તમ વ્યવસ્થિત કાર્ય મનુષ્યની દષ્ટિએ કંઈક અવ્યવસ્થિતપણે અસ્વચ્છપનું અને અસુંદરપણું ભાસે છે માટે કઈ પણ કર્તવ્ય કાર્યમાં સંતોષ માની ન લેતાં દરરોજ વ્યવસ્થિત બુદ્ધિએ વ્યવસ્થિત કાર્યો કરવા જોઈએ. સર્વ કાર્યની વ્યવસ્થાની કેળવણીથી પ્રથમ સ્વાત્માને વાણી અને કાયાને કેળવે એટલે બાહ્ય કર્તવ્ય કાર્યો જે જે હસ્ત ધરવામાં આવશે તેમાં વ્યવસ્થિતતા-સ્વચ્છતા અને સુન્દરતા ઝળકી ઉઠશે. અલ્પ કાર્ય પણ વ્યવસ્થિત સ્વચ્છ અને સુન્દર કરવું અને તેવી કેળવણી પૂર્વક સદા પ્રવૃત્ત થવું.
અવતરણ-પ્રવૃત્તિ વિના કથન માત્રથી હિત થતું નથી તે જણાવે છે.
प्रवृत्तिमन्तरेणोक्तिर्हितार्थ नैव जायते ॥ क्रिया सुवर्णवद्बोध्या रूप्यवत्कथनं शुभम् ॥७३॥ શબ્દાર્થ –પ્રવૃત્તિ વિના ઉક્તિ માત્ર હિતાર્થ થતી નથી. ક્રિયા સુવર્ણવત્ અવ ધવી અને શુભકથન રૂપાના જેવું અવધવું. કથની માત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી.
વિવેચનઃ–લાલા લાખ તે લે ! સવાલાખની પેઠે કથનીથી આત્મહિત કોઈનું થયું નથી અને થવાનું નથી. પ્રવૃત્તિવિના કાર્યની સિદ્ધિ થવાની નથી. લાડુ લાડુ માત્ર બાલવાથી ઉદરની પૂર્તિ થતી નથી. વિશ્વમાં બોલવા કરતાં કરી બતાવનારાની અનન્તગુણ જરૂર છે. કર્મચગીઓ કર્તવ્ય કાર્યોને પૂર્ણ કરવામાં સ્વજીવનની મહત્તા અવબોધે છે. કર્મગીઓ કહે છે કે તમે આવશ્યક કર્તવ્ય કાર્યો કર્યા કરે; તમે શું કરે છે તેને કર્તવ્ય કાર્યો દ્વારા અખિલ વિશ્વને ગુપ્ત અવાજ સંભળાય છે અને તમારા કાર્યની અખિલ વિશ્વને મહત્તા અવબોધાય છે. કથની કરનારા મનુષ્યની કથની ખરેખર કરણી વિના લુખી લાગે છે અને તેઓના શુભ વચનની મહત્તા ખરેખર મનુષ્યના હૃદયમાં પરિપૂર્ણ થતી નથી. જે મનુષ્ય કરીને
For Private And Personal Use Only