________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવસ્થા શક્તિની મહત્તા.
( ૪૫૩ )
વાંને પડદા ઉચા કર્યાં તે તે ભાગ ખરેખર કાચની પેઠે ઝળકવા લાગ્યા અને અન્ય ચિતારાઓએ ચિતરેલાં સર્વે ચિત્રા તેમાં ચિતરેલાં દેખાયાં. રાજાએ કહ્યું કે ચિત્ર તે તમે ચિત્ર્યાં છે, શા માટે ના પાડો છે ? તેના ઉત્તરમાં તેણે કહ્યુ` કે-આ તા ક્રૂક્ત ભૂમિની શુદ્ધિથી સામી ભીંતનાં ચિત્ર અહીં પડેલાં છે. રાજા તે કાર્ય દેખીને ખુશ થયા. મનુષ્યએ વ્યવસ્થિત સ્વચ્છ પ્રત્યેક કાર્ય કરવું. ચિતારાના દૃષ્ટાંતથી મનુષ્યાએ પ્રત્યેક કાર્ય ખરેખર વ્યવસ્થિત અલ્પ કરવું પણ સુન્દર કરવુ. એવા અભ્યાસ સેવવા જોઇએ. ધર્મનાં સર્વે કાર્યો કરવામાં અને ધર્માંચારેા સેવવામાં સુન્દરતા અને સ્વચ્છતા અને વ્યવસ્થિતતા પર ખાસ લક્ષ્ય દેવું જોઈએ. આત્માની સ્વચ્છતા કર્યા વિના આત્મામાં ગુરુના ઉપદેશના સંસ્કારાની દૃઢતા થતી નથી. હૃદયની સ્વચ્છતા થયા વિના ધમ કાર્યામાં સ્વચ્છતા પ્રાપ્ત થતી નથી અને તેમજ હૃદયની સ્વચ્છતા વિના સમ્યકત્વાદિ ગુણેાની શુદ્ધિ રહેતી નથી તથા મલિન મનથી કરેલાં ધર્મકાર્યાંનું યથાયોગ્ય ફૂલ પણ પ્રાપ્ત થતું નથી. અતએવ મનુષ્યએ પ્રથમ ચિતારાની પેઠે પ્રત્યેક ખાદ્ય તથા આન્તરિક કાર્યની ભૂમિ શુદ્ધ કરવી જોઇએ. પાયા વિના મહેલ ટકી શક્તા નથી તેમ આત્માની સ્વચ્છતા વિના પ્રાર ંભિત ધમકાર્યોનું ફુલ ટકી શકતું નથી. યમ–નિયમ–આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગાને સ્વચ્છ અને વ્યવસ્થિતિએ પ્રસેવવાં જોઇએ. પૂજા-પ્રતિક્રમણ-તપ-જપ-સયમ-સ્વાધ્યાય—સેવા અને ભક્તિમાં હૃદયશુદ્ધિની સ્વચ્છતા વિના આત્મગુણાને પ્રકટાવવારૂપ કાર્યમાં એક અંશ માત્ર પશુ આન્તર દૃષ્ટિથી પ્રગતિ કરી શકાતી નથી–એમ અનુભવ ષ્ટિએ ધર્માનુષ્ઠાના દ્વારા હૃદય ગુણ્ણાની પ્રકટતા સંબધી વિચાર કરવાથી કક્ષ્ય સારાંશને ખ્યાલ આવી શકે છે, વ્યવસ્થિત બુદ્ધિથી કાર્ય કરીને યુરોપીય લકે સાયન્સવિદ્યામાં, પાસ્ટખાતામાં અને શેાધેમાં પ્રગતિમાન થાય છે. બ્રિટીશ રાજ્યકાયની વ્યવસ્થા અને સુન્દરતા પ્રતિ ધ્યાન દેતાં ત્વરિત કેવી રીતે કાર્ય કરવુ જોઈએ તેને મનમાં ખ્યાલ આવશે. મન-વાણી કાયા અને આત્મા જેટલે વ્યવસ્થિત-સ્વચ્છ અને સુન્દર ખનેલેા હોય છે તેટલા તેના વિચારા શબ્દો અને કાર્યાં ખરેખર વ્યવસ્થિત-સ્વચ્છ અને સુન્દર હોય છે. જેની બુદ્ધિમાં વ્યવસ્થિતતા નથી તેના કાર્યાંમાં વ્યવસ્થિતતા ન હોય એ ખનવા ચેાગ્ય છે. પ્રત્યેક કાય કરવાની વ્યવસ્થા પ્રથમ મનના વિચારમાં ગોઠવાય છે. જેવી વિચારામાં વ્યવસ્થિતતા હોય છે, તેવી કાયા દ્વારા થતા કાર્યમાં વ્યવસ્થિતતા આવી શકે છે. વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર કાર્યાંનુ મૂલ સૂક્ષ્મ કારણુ ખરેખર વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર વિચારે છે; અતએવ મનુષ્ય પ્રથમ વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર વિચારેાને કરવા જોઈએ કે જેથી વાણીમાં પણ વ્યવસ્થિતતા સ્વચ્છતા અને સુન્દરતા ઝળકી ઉઠે અને વ્યવસ્થાખધ વિચારાને શબ્દેદ્વારા બહાર કાઢી શકાય તથા પ્રત્યેક કાર્યમાં પણ વ્યવસ્થિતતા અવલેાકી શકાય. અવ્યવસ્થિત શબ્દોથી, અવ્યવસ્થિત લેખાથી, અવ્યવસ્થિત કાર્યાંથી મનુષ્યના મનની અવ્યવસ્થિત
For Private And Personal Use Only