SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ સેવી એમ ઉપદેશ આપ્યા હતા. જૈન શાસ્ત્રોના આધારે શ્રી નેમિનાથ ભગવાન પરમાત્મા હતા અને શ્રી કૃષ્ણ અંતરાત્મા હતા. શ્રી નેમિનાથ ભગવાનના ભક્ત તરીકે શ્રી કૃષ્ણ હતા. શ્રી કૃષ્ણે સર્વજ્ઞ તેમિનાથનાં અનેક વ્યાખ્યાનો સાંભળ્યાં હતાં તેથી શ્રી કૃષ્ણને બ્રહ્મજ્ઞાન-આત્મજ્ઞાન થયુ હતુ અને શ્રી કૃષ્ણે અર્જુનને આત્મજ્ઞાનના મેધ રાંગણમાં આપ્યા હતા. (મહાભારતના ભાગવતના અને વિષ્ણુપુરાના શ્રી કૃષ્ણ અને જૈન શાસ્ત્રોના શ્રી કૃષ્ણમાં કાળભેદે આચારભેદે ભેદ છે. પુરાણીના શ્રી કૃષ્ણ દ્વાપરમાં થયા છે અને જૈનેના કૃષ્ણ તે તે પૂર્વે થયા છે તેથી પાંચ હજાર વર્ષ અને ચારાશી હજાર વર્ષા ભેદ-અંતર રહે છે. જૈનેમાં પાંડવચરિત્ર છે તેમજ વસુદેવ હિંડી નામના તેવુ હજાર લેક લગભગને ગ્રન્થ છે. તેમાં શ્રી કૃષ્ણ વગેરે યાદવેનાં ચરિત્ર છે-તેનું મનન કરવાથી શ્રી કૃષ્ણ સંબંધી ખરે ખ્યાલ આવી શકે તેમ છે. ગમે તેમ હોય પણ પાછળથી અનેક મા પડ્યા હોય પરંતુ શ્રી નેમિનાથના ભક્ત શ્રી કૃષ્ણ અન્તરામાએ ધ પ્રવૃત્તિમાં ગૃહાવાસમાં ભાગ લીધા હતા. ) તેમણે શ્રામિ નાથના ઉપદેશપૂર્વક ત્યાગમાગની ધમ્ય પ્રવૃત્તિની પુષ્ટિ કરી હતી. અનેક ચક્રવતિયાએ અને વાસુદેવએ ધર્માંપ્રવૃત્તિ સેવી હતી. આય વેદના ભાગ તરીકે આચારદિનકર વગેરે પ્રાચીન શાસ્ત્રો છે તેમાં બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના વર્ષોં-કમ-ધમ વગેરેની પ્રવૃત્તિની સિદ્ધિ કરેલી દેખવામાં આવે છે. શ્રી આત્મારામજી મહારાજે ઉર્ફે શ્રી વિજયાનંદસૂરિએ તત્ત્વનિ યપ્રાસાદ અન્યમાં ચારે વર્ણોના ક્રમધર્મની વ્યવસ્થા તથા તેના સંસ્કારનું વર્ણન કર્યું છે. જૈનનિગમામાં અર્થાત્ જૈનવેદામાં તત્ત્વજ્ઞાનની સાથે ધર્માંકમ પ્રવૃત્તિની અત્યંત આવશ્યકતા વવી છે. વેદાન્તીઓમાં ભગવદ્ગીતા વગેરેમાં કમ યાગની જે વ્યાખ્યાઓ દેખવામાં આવે છે તે જૈનાગમેામાંથી લેવામાં આવી હાય એમ દેખાય છે. વિક્રમ સવના પહેલા સકામાં વા તેની પૂર્વે એક બે સૈકા પૂર્વે ભગવદ્ગીતા બની હોય એમ અનેક ગ્રન્થાના આધારથી જણાય છે તેથી તેમાં જૈન શાસ્ત્રોની નિલેષે ધમ`કમ પ્રવૃત્તિના વિચારાના પ્રવેશ થએલા જણાય છે. જેનશાસ્ત્રોના આધારે કહેવામાં આવે છે કે હાલ જે વેદાન્તીઓમાં ચાર વેદો છે. તે તે જૈનધમની સ્થાપના થયા બાદ-પછીથી બનેલા છે. શ્રી મહાવીરસ્વામીના વખતથી વા તે પછીથી વેદાન્તીએ ઉપનિષદેોની રચના શરૂ થઇ તે રચના ઠેઠ અકબર બાદશાહ પછી પશુ શરૂ રહેલી છે. વિક્રમ સ'. ત્રીજા ચાથા સૈકા પછીથી પુરાણેની રચના શરૂ થઇ તે સત્તરમા સૈકા સુધી પ્રવતે લી જાય છે. આ સબંધીની ચર્ચા બીજા પ્રસંગે કરવામાં આવશે અને તે અનેક સાક્ષીઆથી સિદ્ધ કરવામાં આવશે. અત્ર તે જૈનાગમે! અને જૈનવેદોના આધારે ક્રિયાયોગની— ક"યાગની અત્યંત પ્રાચીનતા સિદ્ધ કરી છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રની રચના કરી તેમણે જ્ઞાનક્રિયામાં મોક્ષઃ જ્ઞાન અને ક્રિયા-પ્રત્તિ એ એથી મોક્ષ થાય છે એમ સિદ્ધ કર્યુ છે. इयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया, पासंतो पंगुलो दड्ढो, घावमाणो अ अंधओ. ધમ્ય પ્રવૃત્તિ વિનાનું જ્ઞાન હણાયલુ છે, અને આત્મજ્ઞાન વિનાની ક્રિયા હણાયલી છે. એકલી ક્રિયા અંધસમાન છે, અને કયાગ વિનાનું એકલુ જ્ઞાન પાંગળા સમાન છે. કાઇ નગરમાં અગ્નિ લાગ્યા ત્યારે પાંશુલા હતા તે અંધના પર ખેડા અને રસ્તા દેખાડવા લાગ્યા—આંધળા ચાલવા લાગ્યા તેથી બન્ને અગ્નિથી બચી શક્યા તે પ્રમાણે જ્ઞાનપૂર્વક કર્મ યોગ યાને ક્રિયાયેાગથીનિરાસક્તિપણાથી કવ્ય કાર્યા કરતાં સંસારમાં બંધન થતું નથી અને જ્ઞાનાવરણીયાદિ કર્માને ક્ષય કરી પરબ્રહ્મપદ યાને સિદ્ધપદની પ્રાપ્તિ કરી શકાય એમ અનેક સ્થાને કયવામાં આવ્યુ છે. અધ્યાત્મજ્ઞાનના-આત્મજ્ઞાનના ખજાના સ્વરૂપ જૈનાગમા છે—તેઓનું ગુરુગમદ્રારા મનન કરી આત્મજ્ઞાન મેળવી સ્વાધિકારે કત્તય કર્મ કરવાં જોઇએ, For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy