SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsur Gyanmandir ૩૫ એમ કર્મશિપને વિશેષ લોકો માને છે. હુન્નર, કલા. યંત્ર વગેરે સે નતનાં કર્મોને શ્રી ઋષભદેવે રાજ્યવસ્થામાં ઉપદેશ આપે. હિંદુસ્થાન કર્મભૂમિ છે તે કર્મપ્રધાન છે માટે રાજ્યવસ્થામાં શ્રી ઋષભદેવે રિક્ષણ આપ્યું. શ્રી ઋષભદેવે એ પ્રમાણે રાજ્યવસ્થામાં સર્વ કર્મોનું શિક્ષણ આપી ધમંકમને પ્રચાર કર્યો તેથી તે બ્રહ્મા કહેવાય છે અને તે નીતિના પ્રવર્તક હોવાથી મનુભગવાન ગણાય છે. શ્રી બહષભદેવે છેહલી અવસ્થામાં દીક્ષા લેઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવલજ્ઞાન થયા બાદ શ્રી ઋષભદેવ સમવસરણ માં બેસી ચતુર્વિધ ધર્મની દેશના દીધી અને સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. જીવન્મુક્ત શ્રી ઋષભદેવ કેવલીપ્રભુએ કૃતકૃત્ય થયા છતાં પ્રવૃત્તિલક્ષણ ધર્મની પ્રવૃત્તિ સેવી–ગામોગામ-દેશદેશ વિહાર કરીને જૈનધર્મની સ્થાપના કરી. શ્રી ઋષભદેવ પછી થનાર અજિતાદિથી તે ધર્મનાથ સુધીના સર્વ તીર્થકરોએ જ્ઞાનપૂર્વક ક્રિયાયોગની પ્રવૃત્તિ સેવી અને લેકને ઉપદેશ દીધો. સાળમાં શાંતિનાથ, સત્તરમાં કુંથુનાથ અને અઢારમા અરનાથ એ ત્રણ તીર્થકરને ચક્રવર્તીની પદવીઓ હતી તેથી તેમણે ગૃહાવાસમાં બત્રીશ હજાર દેશનું રાજ્ય કર્યું. અનાય” રાજાઓ સાથે અનેક યુદ્ધો કરી તેઓને જીત્યા, બત્રીસ હજાર દેશના રાજાઓને ધમ્ય પ્રવૃત્તિથી પિતાને તાબે કર્યા અને છેવટે દીક્ષા લઈ કેવલજ્ઞાન પામી ધર્મતીર્થની સ્થાપના કરી. જૈનધર્મને પ્રચાર કરવામાં તેમણે કેવલજ્ઞાન પામીને ઉપદેશાદિથી ધમ્ય પ્રવૃત્તિ સેવી, શ્રી મલિનાથ તીર્થકરે એ પ્રમાણે ગૃહસ્થાવાસમાં ગૃહસ્થાધિકાર પ્રમાણે ધમ્ય પ્રવૃત્તિ આદરી હતી અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાની બની ધમતીથની સ્થાપના કરી ધર્ણોદ્ધાર કર્યો. શ્રી મુનિસુવ્રતસ્વામીએ પણ તે પ્રમાણે પ્રવૃત્તિ સેવી. શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં શ્રી રામચંદ્રજી થયા, તેમણે રાવણને નાશ કર્યો. (જેન રામાયણના વાચનથી દુનિયામાં સત્યરામચરિત્રને લેકેને ખ્યાલ આવે છે. ) શ્રી નમિનાથ સ્વામીએ ગૃહાવાસમાં ગૃહી -ધર્મ પ્રવૃત્તિ સેવી હતી અને દીક્ષા લઈ કેવલી બની ધર્મ તીર્થની સ્થાપના કરી. બાવીશમા યદુવંશી શ્રી અરિષ્ટનેમિનાથ ભગવંતે ધર્મતીર્થની સ્થાપના કરી અને ભારતમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો, ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ તીર્થકર કે જે આજથી ૨૮૦૦ અઠાવીશ વર્ષ ઉપર હતા તેમણે ગૃહાવાસમાં શુભ પ્રવૃત્તિલક્ષણું વર્ણાદિક ધર્મને સેવ્યો હતો અને રાજય કર્યા બાદ છેવટે દીક્ષા લઈ કેવલી બની ધનંતીર્થની ઉન્નતિ કરી હતી. તીર્થંકરની પદવી છતાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે નિરાસકિતથી સ્વાધિકારે અન્ય રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતાં. જ્યારે શ્રી નેમિનાથના બંધુ શ્રી કૃષ્ણ વઢીઆર દેશમાં જરાસંધ રાજાની સાથે યુદ્ધ કર્યું ત્યારે કૃષ્ણ વાસુદેવના લશ્કરને જરા વ્યાપી હતી તેનું યુદ્ધમાં ચઢીને શ્રી અરિષ્ટનેમિનાથે નિવારણ કર્યું હતું. યાદ ની સાથે યુદ્ધમાં ગૃહવાસના ક્ષત્રિધર્મ પ્રમાણે શ્રી અરિષ્ટનેમિનાથનું રણાંગણમાં આવવાનું થયું હતું. શ્રી ભરતરાજાએ બાહુબલીની સાથે નિરાસક્તિથી ધર્મયુદ્ધ આદયું હતું અને તેણે ચાર વેદની રચના કરી હતી. તેમને કેટલેક ભાગ હાલ પણ જેન આર્યવેદ તરીકે હયાત છે.) એ ઉપરથી શ્રીકૃષ્ણના પહેલાં શ્રી ઋષભદેવ વગેરે તીર્થકરોએ કર્મયોગને કેવા વિશાલ રૂપમાં સેવ્યો હતો તેને વાચકોને સહેજે ખ્યાલ આવી શકશે. શ્રી નેમિનાથ ભગવતે ચોરાસી હજાર વર્ષ પૂર્વે પિતાની ધર્મદેશના સાંભળવા આવનાર શ્રી કૃષ્ણને ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં અહેમમત્વ રહિત નિરાસક્તિપણે પ્રવૃત્તિ - ૧ છે કે શ્રી અરિષ્ટનેમિ એ યુદ્ધમાં ગયા હતા, પરંતુ જરાનું નિવારણ તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ની પ્રતિમાજી ધરસેંદ્ર પાસેથી અટ્ટમ તપની આરાધનાવટે શ્રી અરિષ્ટનેમિના કથનથી પ્રાપ્ત થયા પછી તે પ્રતિમાજીના હવનડે-જરાસંધે સૈન્યમાં મુકેલી જરા-દૂર થઈ હતી. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy