________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪૨ )
શ્રી કર્મયોગ મંચ-સવિવેચન.
આનન્દઘને આ વિશ્વ પર ઉપદેશ દઈ જ્ઞાનનાં પુસ્તક લખી અનન્તગુણે ઉપકાર કરેલ છે. હિન્દુઓમાં સ્વામી દયાનન્દ વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થે ઉપદેશ ગ્રન્થ લખી ઉપકાર કર્યા છે. સર્વ વસ્તુઓ જગતને અર્પણ કરી ત્યાગી બની જીવતાં સુધી જ્ઞાનવડે ઉપદેશ દે સારાં કૃત્ય કરવા અને સદા વિશ્વમાં સર્વ લોકો સુખી રહે એવા વિશ્વને સદ્દવિચારે અને આચારે જણાવવા તે વિશ્વના ઉપર મહાન ઉપકાર જાણુ. જગને ઉદ્ધાર ત્યાગીઓવડે થાય છે તેથી ત્યાગીઓના સમાન ખરેખર વિધાપર ગૃહસ્થાશ્રમીઓથી ઉપકાર થઈ શક્યું નથી. ત્યાગીઓ હ પાસેથી અપ ઉપગ્રહ ગ્રહી શકે છે જેને બદલે ભવિષ્યમાં અનન્તકાલપર્યક્ત કોટી ઉપાયોથી કરોડો ઉપકારો કર્યા છતાં પણ પાછો ન વાળી શકાય એવા અનન્ત ગુણ ઉપકારને ત્યાગીઓ કરી વિદ્ધાર કરે છે; તેથી ત્યાગીઓના ઉપકાર તળે આ વિશ્વ ત્રણ કાળમાં દબાયેલું રહે છે. અએવ ત્યાગીઓની સેવા માટે સદા ગૃહસ્થાશ્રમીઓ ઉઘુક્ત રહે તે પણ ત્યાગીએના ઉપકારને બદલે વાળી શકે નહિ. ગૃહસ્થાશ્રમીઓની આવશ્યક કર્તવ્ય કર્મગની ફરજ છે કે તેઓએ ત્યાગીઓની સેવા ભક્તિમાં સર્વ સ્વાર્પણ કરવું. ભક્ત-ત્યાગી મહાત્માઓના હૃદયમાં સત્ય અને પ્રભુને વાસ છે. આ વિશ્વમાં સર્વત્ર દ્રવ્ય અને ભાવથી શાંતિ પ્રસરાવનાર ત્યાગી મહાત્માઓ છે. તેઓને જે પ્રતિપક્ષી બને છે તે પ્રભુને શત્રુ બને છે. ભૂતકાલમાં ત્યાગીઓના હૃદયમાંથી સત્ય પ્રકટયું હતું, વર્તમાનમાં ત્યાગીઓના હૃદયમાંથી સત્ય પ્રગટે છે અને ભવિષ્યમાં ત્યાગી મહાત્માઓના હૃદયમાંથી સત્ય ધર્મને પ્રકાશ થશે તેની વાસ્તવિક સત્યતાને ખ્યાલ ખરેખર તીર્થકરે ગૃહાવાસનો ત્યાગ કરી, ત્યાગી બની, તીર્થની સ્થાપના કરી વિશ્વને જણાવે છે તેથી તેના કરતાં વિશેષ પુરાવાની હવે જરૂર રહેતી નથી. જ્યારે ત્યાગીઓમાં પ્રમાદને પ્રવેશ થાય છે ત્યારે કે મહાત્મા જગમાં પ્રકટી નીકળે છે અને તે પ્રમાદને પરિહાર કરે છે તથા વિશ્વમાં ત્યાગીઓ દ્વારા ઉપકારનાં કૃત્ય કરાવવા સમર્થ બને છે. સત્ય ધર્મને, ત્યાગી તીર્થકરો દ્વારા ઉદ્ધાર થાય છે. આ વિશ્વમાં ત્યાગીઓવડે ધર્મને પ્રકાશ થાય છે તેથી ત્યાગીઓની ભક્તિ માટે વિશ્વે સદા તત્પર રહેવું જોઈએ. ગૃહસ્થાશ્રમીએ આ વિશ્વ પર અનેક ઉપકારો કરવાને શક્તિમાન થાય છે. જગતમાં મહાન ઉપકારનાં કાર્યો કરતાં અલ્પદ થઈ શકે છે. ઉપકાર વૃત્તિ અને પ્રવૃત્તિ સેવતાં હિંસાદિષથી સર્વથા મુક્ત થઈ શકાતું નથી. વિશ્વને મહાન લાભ થાયસ્વપને મહાન લાભ થાય અને અન્ય જીવોને સામાન્ય હાનિ થાય એવાં પરોપકાર કાર્યોને રાપેક્ષ દૃષ્ટિએ સેવવાં જોઈએ. સર્વથા નિરવઘદશાએ પરોપકાર કાર્યો કરવાં એ સંયમીવડે સાપેક્ષદષ્ટિએ સાધ્ય થઈ શકે છે. અલ્પદોષ અને મહાલાભ દૃષ્ટિએ વિશ્વમાં પરોપકારી કાર્યો કરવા જોઈએ. શુભાશુભ પરિણામથી જેઓ મુક્ત છે એવા આત્મજ્ઞાનીઓ વિવેકદષ્ટિપુરસ્પર પરોપકારિક કાર્યો કરે છે, અને પુણ્ય પાપથી નિર્બન્ધ રહી
For Private And Personal Use Only