________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
UF
ત્યાગીઓનો વિશ્વ ઉપર અનંત ઉપકાર.
(૪૪૧ )
છે. આ વિશ્વમાં એક દિવસમાં જે જે વસ્તુઓ ગ્રહણ કરવામાં આવે છે તેમાં અન્યના પરોપકારે ખરેખર સૂક્ષમ દષ્ટિથી અવધાતાં અવધાશે. પોપકાર કરીને કદાપિ તેનો પ્રત્યુપકાર ગ્રહવાની ભાવના ન રાખવી જોઈએ અને તેમજ સામે કોઈ પાપકાર ન કરે તે પશ્ચાત્તાપ પણ ન કરવો જોઈએ. અન્ય મનુષ્ય પોતાના પ્રતિ સામે પ્રત્યુપકાર કરે વા ન કરે તેની અંશ માત્ર ચિન્તા રાખ્યા વિના પરોપકાર કાર્યો એ સફર કરો કે જેથી આત્મગુણોને ત્વરિત વિકાસ કરી શકાય. અન્ય મનુષ્યોને સ્વાર્પણ કરવાની પ્રવૃત્તિઓ સ્વાધિકારે પરોપકાર છે. અન્ય જીવો તરફથી અનતગણે સ્વાત્માથે લાભ મેળવવામાં આવે, દશગુ સામે બદલો વાળવામાં આવે એ પરોપકાર કર્મ ગણી શકાય નહિ-એ તે એક સ્વાર્થ દષ્ટિએ અન્ય પ્રતારણા કર્મ અવબોધવું. પરોપકારી કાર્યોમાં કદાપિ સ્વાર્થ દષ્ટિને અગ્ર કરી પ્રવૃત્તિશીલ થવું નહિ. પરોપકાર કર્મમાં ચેતનજીને પ્રવર્ત. વાની ફરજ છે પણ તેનું શું પરિણામ-ફલ આવશે તે તેને વિચારવાનો અધિકાર નથી. હે આત્મન ! ત્યારે પરોપકાર કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. પરોપકાર કર્મમાં ઉદ્વેગ-ચિન્તા પશ્ચાત્તાપ--દ્વેષ વગેરે દે ન સેવવા જોઈએ. પરોપકાર કરીને જે મનુષ્ય ઉદ્વેગ કરે છે તે પરોપકાર દ્વારા થતી પ્રગતિને રોધ કરી શકે છે અને મમ્મણ શેઠની પેઠે દાનપ્રવૃત્તિફલમાં કંજુસાઈ આદિ દુર્ગુણોને પ્રાપ્ત કરી અધોગતિ પ્રાપ્ત કરી શકે છે. મમ્મણ શેઠની પેઠે દાનપ્રવૃત્તિ-ફલમાં કંજુસાઈ આદિ દુર્ગુણેને પ્રાપ્ત કરી નરી અધોગતિ પ્રાપ્ત કરી શકે છે. મમ્મણ શેઠે મુનિને મોદક વહરાવ્યા પશ્ચાત્ પશ્ચાત્તાપ કર્યો હતો તેથી તે આત્માની વાસ્તવિક પ્રગતિ કરી શક્યા નહોતા. પોપકાર કાર્યોમાં યાચક પ્રવૃત્તિ વા વૃત્તિને કદાપિ ન સેવવી જોઈએ. જગતને જે કંઈ સ્વકીય શક્તિ હોય તેઓનું અર્પણ કરવું જોઈએ; પણ જગત પાસેથી તેને પ્રતિબદલે ન યાચો જોઈએ. આવી દશા પ્રાપ્ત કરીને પરોપકાર કર્તા વ્યપરાયણતા સેવવામાં આવે છે તે પ્રમાદયોગો વડે ભ્રષ્ટ થવાતું નથી અને આત્માની ઉચ્ચતા અને શુદ્ધતાની ત્વરિત પ્રાપ્તિ કરી શકાય છે. જે જે પુદ્ગલસ્કો કે જે વસ્તુતઃ પુદ્ગલ દ્રવ્ય છે તેને પોતાના માની લઈ તેને ધન સંપત્તિ વગેરે નામથી સંબોધવામાં આવતા હોય તેઓની મમતા-અહંતા દૂર થવાની સાથે પરોપકારમાં તેનો ત્યાગ થાય છે અને તેની સાથે પિતાના આત્માને લાગેલાં પાપ પુદ્ગલને સંબંધ છૂટે છે તેથી આત્મા નિર્મલ કર્મબંધનરહિત થઈ મુક્ત પરમાત્મા બને છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમને પરસ્પર ઉપકારને સંબંધ છે. ગૃહસ્થાશ્રમીઓ પર ખરેખર ત્યાગીએ અનન્તગુણ ઉપકાર કરવાને શક્તિમાન થાય છે. આ જગત્ ત્યાગીઓના અનન્તગુણ ઉપકારથી સદા દબાયેલું રહે છે. શ્રી વીરપ્રભુએ, સુધર્માસ્વામીએ, ગૌતમબુદ્ધ, ઈશુએ, શંકરાચાર્યો, હરિભદ્રસૂરિએ, હેમચંદ્રાચાર્યે, ઉમાસ્વાતિ વાચકે, સમતભદ્ર, હીરવિજયસૂરિએ, યશોવિજય ઉપાધ્યાયે,
For Private And Personal use only