SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩૬ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પરમાત્મતા પ્રગટાવવા માટે અને પૂર્ણ સુખ પ્રાપ્ત કરવા માટે પ્રથમ આવશ્યક કર્મવેગનું શિક્ષણ આપીને વિશ્વ પર મહાન ઉપકાર કર્યો છે તેથી તેઓનું અખિલ વિશ્વ આભારી છે. પરસ્પર જ એક બીજાને અનાદિકાલથી ઉપકાર કરે છે તેવો વિશ્વશાલાને અચલ કુદરતી કાયદો છે તેને અંગીકાર કરીને મનુષ્યએ કર્મચગી બનવું જોઈએ. આ વિશ્વશાળામાં ચેતનજીએ જને પરસ્પરથી ઉપગ્રહ છે એવું અનુભવીને ઉપગ્રહાદિ કર્તવ્ય કર્મોમાં પ્રવૃત થઈને પૂર્ણ સુખમય એવી આત્મોન્નતિ કરવી એ જ શ્લોકને સાર ભાવાર્થ છે. પરસ્પરોપગ્રેડ દષ્ટિએ આ વિશ્વશાલામાં જે પ્રવર્તે છે તે કર્તવ્યકર્મવેગને અધિકારી થાય છે તેથી પ્રત્યેક મનુષ્ય ઉપગ્રહ પ્રવૃત્તિને માન આપી આત્મોન્નતિકર્મસાધક બનવું જોઈએ. વિશ્વશાલામાં સર્વ ધર્મમતપમાં પાપગ્રહો વાનામ્ એ સૂત્ર વિચારથી અને આચારથી વ્યાપક બનીને સર્વ ધર્મોને સજીવન રાખી શકે છે. ઉપરોપગ્રહો કરવાનામ્ એ સૂત્રની જીવન્ત પ્રવૃત્તિ જે ધર્મમાં રહેતી નથી તે ધર્મ ખરેખર આ વિશ્વમાં સજીવન રહી શકતો નથી. પરસ્પર ઉપકાર કરવાના ભાવને આચારમાં મૂકીને બુદ્ધદેવે બીદ્ધધર્મને સજીવન કર્યો હતો અને તે એક વખત હિન્દુસ્થાનમાં સર્વત્ર વ્યાપક બન્યું હતું. જનધર્મ એ સૂત્રના ભાવને આચારમાં મૂકનારા જેનેવિડે સર્વત્ર હિન્દુસ્થાનમાં ફેલાયેલ હતો અને જ્યારે ઉદારષ્ટિથી એ સૂત્ર પ્રમાણે પરસ્પર ઉપકાર કરવામાં જેનોએ મન્દતા સેવી અને સંકુચિત દૃષ્ટિ અજ્ઞતા અને પ્રમાદથી સર્વ વિશ્વસમાજની સેવાના કર્તવ્ય કર્મવેગથી ચુત થયા ત્યારે તેઓની સંખ્યામાં હાનિ થઈ. ઉપર્યુક્ત સૂત્રથી ઉપકાર કરવાની મતિ જાગ્રતું થાય છે, તેથી વિશ્વસમાજની સેવામાં આત્મભેગ આપી શકાય છે, સેવાધર્મ વડે ઉપકૃત થએલ અને પ્રગતિયુક્ત થએલ મનુષ્યો પર સ્વધર્મની છાયા પડે છે અને તેથી ઉપકૃત થયેલ છે સ્વયધર્મને અનુસરે છે એવું વિશ્વમાં પ્રાયઃ સર્વત્ર અવલોકાય છે. ઉત્તરોત્ર જીવાનામ્ એ સૂત્રપર વિશેષ વિવેચન કરવામાં આવે તો એક મહાન ગ્રન્થ બની જાય પરન્તુ તેની દિશા દર્શાવવાથી વિશેષ ભાવ સ્વયમેવ સરુ પાસેથી અવબોધ. ઉપર્યુક્ત સૂત્રભાવાર્થનું વિશ્વશાલાવર્તિ સર્વ મનુષ્યોએ આચરણ કરવું જોઈએ કે જેથી સ્વફરજને અદા કરી શકાય. આત્મજ્ઞાનિય ઉપર્યુક્ત સૂત્રભાવ પ્રમાણે નિષ્કામબુદ્ધિથી સ્વાધિકારે સ્વફરજને આગળ કરી પ્રવૃત્તિ કરે છે પરંતુ તેઓ કર્તવ્યોપગ્રહકર્મમાં સકામભાવના પ્રવૃત્તિ કરી સામાન્ય ફળમાં બંધાતા નથી તેથી તેઓના આત્માઓ ઉદાર વ્યાપક શુદ્ધ અને ઉચ્ચ બની જ્ઞાનાવરણીયાદિક કર્મના નાશ સંમુખ થઈ પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે. આત્માનું પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાને કર્મચગવડે ઉપગ્રહ પ્રવૃત્તિને આદરવી જોઈએ કે જેથી વિશ્વવશાલામાં આત્માની પૂર્ણ ઉન્નતિ કરવામાં નૈસર્ગિક રીત્યા અન્ય પરોપકારી દેવી મહાત્માઓના ઉપગ્રહની પિતાને સહાય મળી શકે અને તેથી આત્માની જ્ઞાનાદિક ગુણવડે પરિપૂર્ણ પ્રગતિ કરી શકાય. ઉપરોક્ષદ્રષ્ટિ અને તેવી પ્રવૃત્તિ વિના ખાસ યાદ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy