SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S નિર્વિકલ્પ સમાધિ અનન્ત સુખદાયક છે. (૪૩૧ ). ગ્રહને સત્ય વિવેક પ્રગટ થાય છે. ચાર નિક્ષેપથી ઉપગ્રહ અથત ઉપકારનું સ્વરૂપ અવ- . બોલવું જોઈએ. આપણને અન્યો ઉપકાર કરે છે તેથી આપણે મનમાં જેવી અસર થાય છે તેવી આપણે અજેના પર ઉપકાર કરીએ છીએ ત્યારે અન્યને અસર થાય છે. આપણું સારી સ્થિતિ કરવાને કઈ આપણને સાહાસ્ય કરે છે તો આપણે તેના આભાર તળે આવીએ છીએ તેવી રીતે આપણે અજેના ઉપર ઉપકાર કરીએ છીએ તે અન્ય જીવો પણ આપણા ઉપકાર તળે આવે છે અને તેથી તેઓ તેમની સ્થિતિ પ્રમાણે આપણને આગળ વધવામાં સાહાસ્ય કરે છે; અજેના ઉપર ઉપકાર કરતો છતે જો તું ભક્તિમાર્ગ જ્ઞાનમાર્ગ સંયમમાર્ગમાં આગળ વધીશ તે તેથી તું પાછો પડી શકીશ નહિ. એમ હે આત્મન્ ! હૃદયમાં ખાસ તું ધારજે. વર્તમાનકાલમાં હને જે જે કંઈ ઉપકાર કરવાનો અધિકાર પ્રમાણે મળ્યું હોય તેને વર્તમાનમાં ઉપયોગ કર; ભવિષ્યમાં વર્તમાનમાં મળેલી શક્તિયોને ઉપકારાર્થે વાપરવાનો વિચાર ન કર; કારણ કે ભવિધ્યકાલ એ વર્તમાનમાં અપ્રાપ્તકાલ છે. પ્રાપ્તકાલનો અનાદર કરીને અપ્રાપ્તકાલમાં ઉપકાર કરવાને વિચાર કરવામાં ઠગાઈશ પસ્તાઈશ અને મનુષ્યજન્મની સફલતાને સ્થાને નિલતા અવલેકીશ. અન્યછ પર ઉપકાર કરવો એ આમેન્નતિ માર્ગમાં આગળ વધવામાં અન્ય જીવોની સાહાયરૂપ લેણું છે; અન્યજીની પાસેથી કઈ પણ પાછું ન લેવાની નિષ્કામબુદ્ધિથી જે જે ઉપગ્રહ કરવામાં આવે છે તેથી સ્વામીની અનંત ગુણ ઉચ્ચતા ખીલે છે અને સહજસમાધિમાં આગળ વધવાનું થાય છે; પરોપકારમાં પ્રભુની ઝાંખી જણાય છે. અને આત્મા પરમાત્મારૂપ બને છે–એમ ઉપગ્રહદૃષ્ટિએ અવબોધવું. સહજ સમાધિમાં સ્થિરતા કરવા માટે નિર્વિકલ્પ સ્થિતિમાં રહેવું જોઈએ. નિર્વિકલ્પ સ્થિતિમાં રહેનાર મહાત્મા જગતુપર અત્યંત ઉપકાર કરી શકે છે. મૌની નિર્વિકલ્પ દશામાં રહેનારના આત્મબળની અન્ય મનુષ્ય પર અસર થાય છે. અત એવ સમાધિવંત મુનિયે મોની છતાં અજેના પર ઉપગ્રહ કરી શકે છે. સમાધિવંત મુનિ “કુરતુ મૌન થાદચાતા: શિષ્ણાતુ છિન્નતંરાયા:” એ કહેવતને અક્ષરશ: સત્ય કરી બતાવે છે. આત્મસમાધિમાં મહાત્માના મન વાણું અને કાયાના પરમાણુસ્ક પણ જાણે ગુણવડે રસાઈ ગયા હોય એવા થઈ ગયા હોય છે, અને તે છૂટીને પાસે આવનારાઓ ઉપર પણ ગુણેની અપૂર્વ અસર કરવા શક્તિમાન થાય છે. આવા નિર્વિકલ્પ દશામાં રહેનારા મુનિયે જગતુમાંથી જે આહારાદિ ગ્રહણ કરે છે તેના કરતાં અનન્ત ગુણ વિશેષ લાભ આપવા તેઓ જગતને સમર્થ થાય છે. પ્રવૃત્તિમાર્ગમાં પથિકભૂત થએલ કર્મગિમહાત્માઓ જે શાંતિનો લાભ આ વિશ્વને આપે છે તેના કરતાં નિર્વિકલ્પક સમાધિમાં રહેનારા મહાત્માઓ જગતને અનન્તગુણ શાંતિને લાભ આપવા સમર્થ થાય છે. નિવિકલ્પક સમાધિસ્થ મહાત્માઓ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy