SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ઉપગ્રહને અંગે આત્મગ પણ આપે. (૪૨૯ ). તદ્રુપતાને પામે છે, તે તેમના ઉપશમાદિભાવના ઉપગ્રહદાનનું તે કહેવું જ શું? આ જગમાં વિવેક દષ્ટિથી સર્વ પરોપકારોની તુલના કરવામાં આવે તે સસ્તમુનિવરો તરફથી થતા ઉપગ્રહોજ સવેપગ્રહોમાં સર્વત્ર સર્વથા સાર્વજનીન શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરી શકે છે. અએવ પ્રભુના પ્રતિનિધિ તરીકે સન્તમુનિવરોને અવબોધવામાં આવે છે--તે ખરેખર વાસ્તવિક જ છે. સન્તજનોના ઉપકારથી દુનિયાને ઉદ્ધાર થાય છે માટે તે સન્તોમાં વિશ્વજનને પૂજ્યભાવ-વિશ્વાસભાવ કુદરતી રીતે રહે છે. જે સન્તમુનિયે વિશ્વજનને સુખપ્રદ પરેષકારોને દેવા માટે કલ્પવૃક્ષ જેવા છે તેઓ પ્રતિ દુનિયાની કેટલીક વસ્તુઓ કે જે તેઓના જીવનાદિપ્રતિ ઉપગ્રહભૂત થાય છે તેવી ઉપગ્રહભૂત વસ્તુઓને તેઓ ગ્રહે છે અને તેથી વિશ્વને પુણ્ય થાય છે અને તેઓના પાપ નાશ થાય છે. અતએ સન્ત સાધુઓ જે કંઈ કરે છે તે સર્વ ઉપગ્રહરૂપ હોવાથી તેઓના પ્રતાપે સૂર્ય તપે છે ચંદ્ર શીતલતા અર્પે છે વાયુ વાય છે અને મેઘ વર્ષે છે-એમ શાસ્ત્રોને પ્રઘોષ અગમ્ય લીલાનો ખ્યાલ આપે છે. ધર્મચકના પ્રવર્તક અને પરમાત્માના હૃદય૫ સન્તસાધુઓ હાવાથી વિશ્વ પાસેથી ઉપગ્રહ ગ્રહતાં તેઓને દોષ લાગતો નથી. અને તેમજ તેઓને ઉપગ્રહ દેવાથી જગજજીને અનન્તગુણ લાભ થાય છે અને તેથી જગજો ઊંચા આવીને પ્રભુને પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. જેને પરસ્પર ઉપકાર હોય છે એમ અ ધ્યાથી કંજુસપણું સ્વાર્થતા વગેરે દોષોને નાશ થાય છે. આપણું જીવનમાં જે જે અણધારી સહાય મળે છે, તેથી તે સહાયે કરનારાના આભારી આપણે હોવાથી અભિમાન-મહત્તા વગેરે કરવાની દોષવૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કરી શકીએ છીએ. એક બીજામાં ડાઘણા અવગુણ રહેલા હોય છે અને એ અવગુણોનો નાશ કરવાનો સર્વોત્તમ એ ઉપાય છે કે-પરસ્પર એક બીજાની આત્માની ઉન્નતિ કરવામાં અનેકધા ઉપગ્રહો કરવા તત્પર થવું. ઉપગ્રહ દેનાર અને ઉપગ્રહ લેનાર જીવોમાં દેષ હોય છે. એને જે જે અંશે દોષ કન્યા હોય છે તત્તદંશે ગુણે ખીલ્યા હોય છે એમ અવબોધાય છે. ઉપગ્રહ કરવાની આવશ્યક વૃત્તિથી જે જે ગુણે ખીલ્યા હોય છે તે સ્થિર થાય છે અને તેનો નાશ થતો નથી. ઉપગ્રહ કરનાર વૈયાવૃત્ય ગુણવંત અર્થાત્ સેવાધર્મનિષ્ઠ હેવાથી તે અપ્રતિપાતિ ગુણને ધારક બને છે. અન્ય છેવોને ઉપગ્રહદાન દેવાથી તેઓ દુઃખકારક દુર્મતિ દુરાચારથી નિવૃત્ત થાય છે, અને સુખસાધનામાં પ્રવૃત્ત થાય છે. તતઃપશ્ચાત્ તેઓ ઉપકાર પરંપરાની વૃદ્ધિ કરનારા બને છે. સર્વ પ્રકારના કર્મથી મુક્ત બનવું એવા વિચારથી સ્વાધિકારે ઉપગ્રહ કરવામાં જે જે આત્મભોગ સમર્પ ઘટે તે સમર્પ જોઈએ. જે જે લોકો દુનિયામાં સત્તાધારી સુખી-ધની–ભેગી વિદ્વાન દેખાય છે તે તે લોકેએ અન્ય જનોના પૂર્વે અનેક ઉપગ્રહોને ગ્રહ્યા છે. તેથી તેઓ જ્યાં સુધી અન્યજીને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy