SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ET ઉપગ્રહને આદર કરવા. છે. ધર્મપદેશ દેનારાએના ઉપકારતળે તે આવે છે. સમ્યક્ત્વપ્રદ ગુરુના ઉપકારતળે મનુષ્ય આવે છે; તેમજ ચારિત્રપ્રદ સદ્ગુરુના ઉપકારતળે આવવાનું થાય છે. ધર્મ માર્ગમાં વિચરતાં અનેક પ્રકારના સદ્વિચારેા આપનારાઓ મહાત્માએ અને ઉચ્ચકેાટિ પર ચઢાવનારા અનેક મહાત્માઓના ઉપકારતળે આવવાનું થાય છે. મનુષ્ય પાતાના આત્માને પરમાત્મા અનાવવા માટે અનેક જીવાના ઉપકારને ગ્રહણ કરતા કરતા છેવટે પરમાત્મા થાય છે. મનુષ્યને ઉચ્ચ દશા પર આવતાં કેટલીક લક્ષ્યમાં ન આવે એવી સહાય મળે છે. મનુષ્ય એમ કહે છે કે મારે કોઇની પરવા નથી. આ તેનું કથવું નિસ્પૃહતાભાવયુકત છે; પરંતુ તે વ્યવહારનયની અપેક્ષાએ અમુક જવા તરફથી તે તેવી દશામાં પણ અનેક પ્રકારના શારીરિક આદિ ઉપગ્રહાને તેા ગ્રહણ કરે છે જ. આહારાદિક ગ્રહણ કરતાં અન્ય જીવેાના ઉપગ્રહતળે મહાત્માઓને આવવું પડે છે. મનુષ્યે વિચાર કરવા જોઇએ કે હું ઘણુાઓના ઉપકારતળે દબાયેલા છુ~તેથી મારે મારા બસમાન અન્ય પ્રાણીઓ પ્રતિ ઉપકારને બદલે આત્મભાગપૂર્વક આપવા જોઇએ, મનુષ્ય અન્ય એકેન્દ્રિયાદિક જીવા પર ઉપકાર કરે છે. મનુષ્ય એકેન્દ્રિયાક્રિક જીવાની સૌરક્ષા કરે છે. સર્વ જીવાની દયા પાળવાને ઉપદેશ આપીને તથા તે પ્રમાણે વર્તીને અન્યાને ઉપકાર કરી શકે છે. મનુષ્ય પૃથ્વીકાય અપકાય તેજસ્કાય વનસ્પતિકાય અને ત્રસકાયના જીવાને બાધા ન થાય એવી વિચારાચાર્વ્યવસ્થા કરી શકે છે. For Private And Personal Use Only (૪૨૩ ) મનુષ્ય પેાતાનાં મન, વચન અને કાયાના યાગથી અન્ય જીવા પર ઉપગ્રહ કરી શકે છે. વનસ્પતિને જલ વગેરેને ઉપગ્રહ છે. દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય જીવાને પૃથ્વી આદિના ઉપગ્રહ સિદ્ધ થાય છે. આ દુનિયામાં સર્વ જીવે પરસ્પર ઉપગ્રહરૂપ શૃંખલાથી બંધાયલા છે. તે ઉપગ્રહરૂપ શૃંખલાની બહિર્ સિદ્ધો વિના અન્ય જીવા નથી. આ દુનિયામાં પરસ્પર ઉપગ્રહનાં સાધનાના ઉપયોગ કરવા સર્વ જીવાને પોતાના કર્માધિકાર પ્રમાણે હક્ક છે તે હક્કના ત્યાગ કરીને જેએ ધન-ધાન્ય-જલાદિના સ્વામિત્વ હક્ક સરક્ષીને અન્યને ઉપગ્રહ લેવામાં વિદ્મભૂત બને છે અને વિશ્વમાં અવ્યવસ્થા અશાન્તિ પાપાદિના કર્તા બને છે તેના સ્વય. તેઓ યદિ ખ્યાલ કરશે તે આપે!આપ અવમેધી શકશે અને પેાતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરીને પરસ્પરાપગ્રહત્વના આરાધક બની શકશે. આપણી પાસે જે કઈ છે તે પરસ્પરના ઉપકાર માટે છે એવુ લક્ષ્યમાં રાખીને પ્રત્યેક મનુષ્યે ઉપકાર ગુણુ ખીલવવા પ્રયત્ન કરવા જોઇએ; આપણને જે કઇ મળ્યું છે તે અન્યાના ઉપકારાર્થે છે. અન્યાની પાસેથી જે કઇ ગ્રહણ કરવાનું છે તે પેટ પર પાટલા આંધવા જેવું કરવાને માટે નથી. આખી દુનિયાને તેમાં ભાગ છે અને અન્ય જીવાના ઉપગ્રહાથે સ્વસ`ચિત કરેલી તન મન ધનાદિક શકિતા છે. એવું વિચારીને
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy