________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ર૪).
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
સ્વાધિકાર ઉપગ્રહત્વને આદરવું જોઈએ. આત્માએ શારીરિક આદિ જે જે શક્તિ ખીલવી હોય છે તેમાં અનેક જીવોનું ઉપગ્રહત્વ રહ્યું હોય છે તે પશ્ચાત્ અનેક જીને શરીરાદિદ્વારા ઉપગ્રહત્વ કરવું એમાં કંઈ વિશેષ કરવા જેવું હોતું નથી. જેવું લેવું તેવું દેવું એ પારસ્પરિક-તાત્વિક ન્યાયસૂત્રની આજ્ઞા સ્વીકારવી જોઈએ; અન્યને આત્મભેગ સ્વીકારીને તેનાથી ઉપગ્રહીત થયા બાદ અને જે જે વિવેકદષ્ટિથી દેય હોય તે તે ન આપવાથી મહામૂઢતાપૂર્વક પાપિત્વ પ્રાપ્ત થવાને પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે. સ્વીય ગુણે ખીલવવા માટે અન્યને ઉપગ્રહ ગ્રહ્યા બાદ અને ઉપકાર કરવો જોઈએ. અના ઉપગ્રહને સ્વીકારી પોતાના નિર્વાહની ઉપરાંત ઘણું ભેગું કરીને અન્ય જીને ટળવળાવવા, દુઃખી કરવા અને તેઓને ઉપગ્રહ ન દે-એજ રાક્ષસત્વ ગણી શકાય. શરીરની વૃદ્ધિ અર્થે ક્ષણે ક્ષણે પુદ્ગલ સ્કંધને ગ્રહણ કરવામાં આવે છે, અને અન્ય જીવોના ઉપગ્રહ યોગ્ય પુદ્ગલ સ્કંધને બહિરુ કાઢવામાં આવે છે. આપણે જે જે પુદ્ગલ સ્કંધને નિસર્ગ કરીએ છીએ તે અન્ય જીવોના આહારદિક અર્થે હોઈ ઉપગ્રહપણે પરિણમે છે એમ વિઝાદિમાં પણ અવલોકાય છે. વનસ્પતિ પશુ પંખીઓ વગેરેનાં નિસર્ગભૂત પુદ્ગલેને આપણે આહારાદિ રૂપે ચડીને ઉપગ્રહત્વને સિદ્ધ કરી શકીએ છીએ.
પરસ્પર ઉપગ્રહની આપલેમાં સંપૂર્ણ વિશ્વ સમાઈ જાય છે. પરસ્પરોપગ્રહત્વ એ સ્વભાવે પરિણામ પામતું સાર્વજનિક સૂત્ર છે. જે જે તીર્થકરે અને સિદ્ધ થયા છે તેઓએ પણ આત્માની પરમાત્મતા કરવા ઉપગ્રહત્વને સ્વીકાર્યું હતું અને તેઓ સિદ્ધાવસ્થા પૂર્વે દુનિયાને સર્વોત્તમવિધિપૂર્વક ઉપગ્રહત્વ દાનને આપી ઉપગ્રહત્વની આપલેમાંથી મુક્ત થયા. સત્ય દયા અસ્તેય બ્રહ્મચર્ય પરિગ્રહત્યાગ રાત્રિભેજનત્યાગ આદિ ગ્રતાથી અન્ય જીવો પર ઉપગ્રહ કરી શકાય છે અને આત્માને ભાવગુણેનું સ્વયમેવ ઉપગ્રહત્વ સમપને પરમાત્મત્વ પ્રગટાવી શકાય છે. દાન શીલ તપ અને ભાવનાથી પિતાના આત્માનું તથા અન્ય જીવોનું ઉપગ્રહત્વ કરી શકાય છે. અભયદાન અને સુપાત્રદાનાદિરૂપ નદીઓના પ્રવાહથી સંપૂર્ણ વિશ્વ સુખી થાય છે તેનું મૂળ કારણ નિરીક્ષીએ તો પરસ્પરોપગ્રહત્વ અવલોકાય છે. જલ પુષ્પાદિ જી ઉરચ ગતિને પ્રાપ્ત કરે છે તેનું મૂળ કારણ ઉપગ્રહ છે. જે વસ્તુનું દાન કરવામાં આવે છે તેને પ્રતિબદલે કોઈ પણ રીતે કઈ પણ રૂપમાં મળ્યા વિના રહેતો નથી. જે જે વસ્તુઓનું અને દાન કરવામાં આવે છે તેનું ફળ અનેકધા અનેક રૂપમાં અનેક ભવમાં અનેક અધ્યવસાયની અપેક્ષાએ સંપ્રાપ્ત થાય છે. આમ્રવૃક્ષથી અનેક જીવે ઉપગ્રહ પ્રાપ્ત કરી શકે છે, તેથી આમ્રવૃક્ષને જલાદિથી મનુષ્યો પેવે છે અને તેની પરંપરાની સંરક્ષામાં સ્વયમેવ પ્રવૃત્ત થાય છે. એક મનુષ્ય જ્ઞાની બનીને ધનધાન્યાદિક સાંસારિક વસ્તુઓને ત્યાગ કરે છે તેની સાથે સ્વસ્વામિત્વભાવત્યાગપૂર્વક વસ્તુઓનું તે અન્યોને દાન કરી શકે છે, તેમજ અન્યોને
For Private And Personal Use Only