SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ). શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. જાય. આ ઉપરથી અવધવાનું કે વાયુ આદિના ઉપકારથી જીવનારો મનુષ્ય જે અન્યના ઉપકાર માટે સ્વકીય સર્વસ્વને ઉપયોગ ન કરે તે તેના જે કૃતધ્ર અન્ય કઈ હેઈ શકે નહિ. વાયુના ગ્રહણ વિના કેઈ જીવ જીવી શકતો નથી; માટે ગમે તેવા નિસ્પૃહભાવ દશાવનાર મનુષ્ય વિચારવું કે જ્યાં સુધી હારું જીવન છે ત્યાં સુધી મારે વાયુનું ગ્રહણ કરવું પડશે માટે ઉપકારને બદલે ઉપકારથી વાળ્યા વિનાનું જીવન નિષ્ફળ છે. અગ્નિના ઉપકારતળે મનુષ્ય દટાયેલ છે, અસંખ્ય અગ્નિકાયના જીવોને નાશ કરીને મનુષ્ય પિતાનું જીવન સંરક્ષી શકે છે. પાચનાદિ ક્રિયાથી તે આહારને પકવ કરવા માટે અગ્નિનો ઉપએગ કરીને તેને ઉપકાર સ્વીકારે છે. શીતાદિનું નિવારણ કરવા માટે અને અન્નાદિક પકાવવા માટે અગ્નિને આરંભ સમારંભ કરે છે. યદિ જગતમાં અગ્નિ ન હોય તે મનષ્ય પોતાના પ્રાણુની સંરક્ષા કરવા માટે સમર્થ થઈ શકે નહિ. પ્રત્યેક મનુષ્યને અનિની જરૂર રહે છે. વનસ્પતિથી મનુષ્યનું પિષણ થાય છે. જગતનું ઢાંકણભૂત કપાસ મનુષ્યને કેટલો બધો ઉપકાર કરે છે ? તે વિચાર કરતાં અવબોધાઈ શકશે. મનુષ્યો વનસ્પતિના આહારને પ્રાયઃ મોટા ભાગે ઉપયોગ કરીને તે વડે જીવોને તેના ઉપકારતળે દબાય છે. અનેક પ્રકારની વનસ્પતિને ઉપયોગ કરીને મનુષ્ય શરીરને ધારણ કરી શકે છે. અન્નાદિ વિના મનુષ્ય જીવી શકતો નથી. મનુષ્યની વાચિક તથા કાયિક શક્તિ ખીલવવા માટે અનેક શિક્ષકોની આવશ્યકતા સિદ્ધ કરે છે. બાલ્યાવસ્થાથી મનુષ્યની ઉન્નતિમાં અનેક મનુષ્યની અનેક પ્રકારની સહાયતા મળી હોય છે. તેને યદિ મનુષ્ય વિચાર કરે તે પ્રત્યુપકાર વાળવા માટે યથાશક્તિ પ્રવૃત્તિ કરી શકે. નિશાળમાં અનેક શિક્ષકો પાસેથી શિક્ષણ ગ્રહીને તેઓના ઉપકારતળે મનુષ્ય દબાય છે. અનેક પરમાથીંમનુષ્ય પાસેથી કંઈનું કઇ તે ગ્રહણ કરે છે. અનેક સહચરો-મિત્રો પાસેથી તે અનેક પ્રકારના ઉપગ્રહોને રહે છે અને સ્વકીયોન્નતિપ્રદેશમાં પ્રયાણ કરે છે. કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોના ઉપગ્રહોને મનુષ્ય ગ્રહણ કરે છે. તેઓની પાસેથી કેચિદુ ઉપગ્રહોને પરંપરાએ સ્વીકારે છે. જલ અને વાયુને કેટલાક પ્રાણીઓ સ્વચ્છ રાખે છે અને તેથી તેઓ પણ નિમિત્તકરણપારંપર્યથી ઉપકાર કરનાર સિદ્ધ કરે છે. દેવતાઓના ઉપગ્રહોને મનુષ્ય સ્વીકારે છે. તેમના ઉપકારને મનુષ્ય ગ્રહે છે. આ પ્રમાણે મનુષ્ય વ્યાવહારિક ઉન્નતિ પ્રદેશમાં વિચરતે છતે અન્ય જીના ઉપગ્રહથી જીવી શકે છે. મનુષ્યમાત્રને આ પ્રમાણે ઉપગ્રહથી ઉપગૃહીત થવું પડે છે. મનુષ્ય ક્ષણે ક્ષણે અના ઉપગ્રહને ગ્રહણ કરે છે. મનુષ્ય જડવસ્તુઓના ઉપકારથી ઉપગૃહીત થાય છે. એમ ઉપકારશ્રેણિને વિચાર કરતાં તરતનિમિત્તકારગે અવબોધાય છે. મનુષ્ય જેવી રીતે વ્યાવહારિક ઉન્નતિ અર્થે અનેક ઉપકારોને ગ્રહણ કરે છે તેવી રીતે ધાર્મિકેન્નતિ અર્થે અનેક મનુષ્યનું સાહાએ ગ્રહણ કરે છે. ધાર્મિક પુસ્તકોના રચનારાના ઉપકારતળે દબાય For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy