SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir UR પુરુષાર્થ યોગે દ્રવ્ય પ્રાપ્તિ. ( ૪૦૭). થાય છે એમ અપેક્ષાએ કથી શકાય છે; બોદ્ધની સાથે શિલાદિત્યની રાજસભામાં વાદ કરનાર મલવાદીએ જે થાય છે તે સારાને માટે થાય છે એમ માની બદ્ધાચાર્યની સાથે વાદ કરી કરી બોદ્ધોને પરદેશ વાસ કરાવ્યો. હિંદુઓના યજ્ઞમાં પશુઓની હિંસા એટલી બધી તેને પરાજય વધી પડી કે તેથી દેખનારા દયાળુ મનુષ્યોને ત્રાસ છૂટવા લાગે ત્યારે શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમબુદ્ધને પ્રાદુર્ભાવ થયો અને તેઓએ શુદ્ધાપદેશથી યમાં થતી પશુહિંસાને નિષેધ કર્યો. ખરેખર જે થાય છે તે સારા માટે થાય છે. જ્યારે મનુષ્ય સંપૂર્ણ દિવસમાં કર્તવ્ય આવશ્યક કાર્યો કરીને થાકી જાય છે ત્યારે તેઓને વિશ્રાનિત આપવા માટે રાત્રિ પ્રગટે છે અને જ્યારે તેઓ પૂર્ણ વિશ્રાન્તિ લઈ તાજા થાય છે ત્યારે તુ સૂર્ય પ્રગટે છે–એમ અનુભવષ્ટિથી વિશ્વવ્યાપ્રતિ અવલેકવામાં આવશે તે સાપેક્ષદૃષ્ટિએ જે કંઈ થયું થાય છે અને થશે તે શુભાર્થ છે એમ અનુભવમાં આવશે. વર્ષો માસું થયા બાદ શિયાળાની જરૂર પડે છે અને શિયાળા બાદ ઉન્હાળાની જરૂર પડે છે અને ઉન્ડાળા બાદ ચોમાસાની જરૂર પડે છે તેથી અનુક્રમે તે શુભાર્થે થયા કરે છે એવી કુદરતની ઘટનાને અનુભવ કરતાં સહેજે અવબોધાઈ શકાશે. આવશ્યક કર્તવ્ય કાર્યો શુભાર્થ છે એવું માનીને પ્રત્યેક મનુષ્ય આવશ્યક કર્તવ્યકાર્યો કરવા જોઈએ પણ પશ્ચાત્ ન હડવું જોઈએ. ફતેહપુરસીકરીની લડાઇ પ્રસંગે બાબરે આવશ્યક કર્તવ્ય યુદ્ધકાર્ય શુભાઈ છે એવું માનીને સ્વસૈનિકોને ભાષણ આપી ઉત્તેજિત કર્યા તેથી આર્યાવર્તમાં મુસલમાની રાજ્ય ટકી શકયું. અન્યથા તે દિવસથી હિંદુઓની રાજ્ય સ્થપાનનો પ્રસંગ દેખાત. સ્વાધિકારે કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિ ખરેખર શુભાર્થ છે એમ જ્યારે પિતાના આત્માને નિશ્ચય થાય છે ત્યારે ગુરુ ગોવિંદની પેઠે કર્તવ્યપ્રવૃત્તિમાં પરિપૂર્ણ આત્મભેગ આપી શકાય છે. ગુરુ ગોવિંદ સિંહે કર્તવ્ય કાર્ય જે કંઈ સ્વાધિકારે થાય છે તે શુભાર્થ છે એ નિશ્ચય કર્યો ત્યારે તેની આત્મિક શક્તિએ તેને માર્ગ ખુલ્લો કર્યો અને તેથી તે પ્રગતિમાન વિજયશીલ બની શક. કર્તવ્ય કાર્યો જે કેચિત્ સ્વાધિકારાર્થ છે તે શુભાર્થ છે એવો નિશ્ચય થતાં કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં મન્દતા રહેતી નથી; શેઠ વીરચંદ દીપચંદ ગેધાવીમાં જન્મ્યા હતા; તેઓ પ્રથમ શ્રીરવિસાગરજી મહારાજના શ્રાવક હતા. તેઓ પ્રથમ અમદાવાદમાં પ્રેમાભાઈ હેમાભાઈ નગરશેઠને ત્યાં ગુમાસ્તા રહ્યા, ત્યાંથી તેઓ સોલાપુર ગયા અને જે કંઈ સ્વાધિકારે પ્રવૃત્તિ થાય છે તે શુભાઈ માની પ્રવૃત્તિ કરવા લાગ્યા અને તેથી તેઓ અને પચ્ચીશ લાખ રૂપિયાના આશામી બન્યા અને જૈનમનાં પ્રગતિકારક શુભકાર્યો તેમણે કર્યા તથા સોલાપુરમાં દુષ્કાસપીડિત લોકોનો તેમણે બચાવ કર્યો તેથી સરકારે તેમને સી. આઈ. ઈ. ને ચાંદ આપ્યો. ખરેખર ઉપર્યુકત દુષ્ટાન્તથી અવધવું કે સ્વાધિકારે વિવેકપૂર્વક જે જે આવશ્યક કર્તવ્યકાર્યો કરવામાં આવે છે તે શુભાર્થ થાય છે એમ દઢ નિશ્ચય જેઓને છે તેઓ આ વિશ્વમાં આકાન્તિના ઉચ્ચ શિખર પર આરહીને આદર્શ પુરૂષ બની શકે છે. આફ્રિકામાં ત્રાસવાલ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy