SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org અવતરણ-કમ યોગી આત્મા અનુભવને ગ્રહે છે તે જણાવે છે. ( ૪૦૮ ) શ્રી કમાગ ગ્રંથ-સવિવેચન. L માં મોહનલાલ કરમચંદ ગાંધીએ હિન્દુઓના હક્કને માટે ભગીરથ પુરૂષાર્થ કર્યાં અને તેથી તેએ અલ્પાધિકાંશે વિજયી થયા. તેને કેદમાં જવુ પડયું તે તેઓએ વિચાર્યું કે જે કઇ થાય છે તે સારાને માટે થાય છે એમ આત્મનિશ્ચય કરી કેદખાનાનું દુ:ખ ભોગવ્યું અને તેથી તેઓને હિન્દુસ્થાનના ગોખલે વગેરેની સહાય મળી અને તેએ સ્વસાધ્યકાર્યમાં વિજયીભૂત બન્યા. એક મહાનપુરુષને વિપત્તિ પડે છે. તેથી ઇશુક્રાઇસ્ટની પેઠે અનેક મનુષ્યોના ઉદ્ધારક થાય છે. હે મનુષ્ય ! હારી જીંદગીમાં અનેક વિપત્તિયાનો અનુભવ થાય તેથી તું કંટાળતા નહિ કારણ કે દુઃખના તણખાની પાછળ સૂર્ય ઢકાયલા હોય છે. હે મનુષ્ય ! હારી જીંદગીમાં જે જે કંઈ પુરા અનાવા અને તે તે પણ હને શુભ જણાવવાને માટે ત્હારા શિક્ષકસમાન છે એવું માનીને સ્વાધિકારે કર્તવ્યકાર્યાંને કર્યાં કર. જ્યારે હિન્દુસ્થાનમાં અંગ્રેજો આવ્યા ત્યારે તેઓને રાજ્યની પ્રાપ્તિ થશે એવુ તેઓએ તથા હિન્દુસ્થાનના લાકોએ ધાર્યું નહતુ. જે થવાનું હોય છે તે થયા કરે છે. સ્વાધિકારે અપ્રમત્ત બનીને કવ્ય જે જે કાર્યાં કરવામાં આવે છે તેનાથી હિન્દમાં આવેલા અંગ્રેજોની પેઠે શુભ થાય છે એમ માનીને કાર્યપ્રવૃત્તિ આરભવી જોઇએ. કવ્યકાર્યાં કર્યા વિના તે। સદા અશુભજ છે. જ્યારે જૈનાએ સ્વાધિકારે આવશ્યક કન્યકાર્ય કરવામાં દેહમમત્વ સ્વાર્થ સંકીર્ણ દૃષ્ટિ અને ભાવીભાવના વિચારો સેવ્યા ત્યારે તે ઉન્નતિના ઉચ્ચશિખરાથી પ્રતિશતક નીચે ગગડવા લાગ્યા અને હાલ તેર લાખ જેટલી મનુષ્યોની અનેક મતમતાન્તરવાળી સંકીર્ણ દૃષ્ટિયુક્ત સંખ્યામાં વિશ્વમાં સ્વાસ્તિત્વ જાળવવા સકી સ્થિતિમાં આવી રહ્યા છે. સ્વાધિકારે કન્યકાર્યાં કરવામાં જાપાન ઇગ્લાંડ અને જર્મનીની પેઠે દેહમમત્વાધ્યાસ વગેરેને તિલાંજલિ આપી શુભા સર્વે આવશ્યકકર્તવ્યા કરવાં જોઇએ કે તેથી વ્યાવહારિક પ્રગતિની સાથે પારમાર્થિક પ્રગતિમાં અગ્રગણ્ય બની શકાય. સ્વાધિકારે કર્તવ્યાવશ્યક કાર્યો કરતાં મૃત્યુ થાય-સર્વ શક્તિયોના આત્મભાગ આપવા પડે તો પણ તે સમષ્ટિ માટે શુભાર્થે છે. તેમજ દેશ-સમાજ, સંઘ, જ્ઞાતિ આદિ માટે શુભા છે એવું માની હું મનુષ્ય ! ત્યારે અવશ્ય કર્તવ્યકાર્યો કરવાં જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વિશ્વશાળામાં શિષ્યરૂપ અની કન્યકાર્યોના ફોનઃ चेतनो विश्वशालायां स्वोन्नतिकर्मसाधकः ॥ गृह्णात्यनुभवान् सर्वान् सद्विवेकप्रदायकान् ॥ ६७ ॥ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy