________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
કારણોને કાર્યની સિદ્ધિ.
( ૩૯૧ )
પ્રાસંસ્થિતિથી વિનિપાત થતું નથી. ઉચ્ચસ્થિતિની અવધિ પ્રાપ્ત કરવા માટે પરંપરાભ્યાસની અત્યંત આવશ્યક્તા છે. જ્ઞાન દર્શન અને ચારિત્રાદિક અનેક ગુણોની સ્વાત્મામાં શક્તિ પ્રાપ્ત કરવાને પરંપરાભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ તે પ્રમાણે પ્રવર્યા વિના છૂટકો થવાનો નથી. જે જે કર્તવ્ય કાર્યોની અભ્યાસ પરંપરાઓ સેવવાથી કર્તવ્યની સિદ્ધિ સાથે આત્મશકિતની વૃદ્ધિ થાય છે તે અભ્યાસ પરંપરાઓને ત્યાગ કદાપિ કરી શકાય નહિ. જે જે મનુષ્યમાં જે જે મહાન શકિત પ્રગટી છે તે પરંપરાભ્યાસનું ફલ છે તેવું અવધારીને પરંપરાભ્યાસની પ્રવૃત્તિને નિર્ધારિત કાર્યોની સિદ્ધિ માટે સેવવી જોઈએ. મુકિતમાર્ગમાં વા સાંસારિક માર્ગમાં કર્તવ્ય કાર્ય પરંપરાભ્યાસથી આત્માની શકિત પ્રગટે છે અને કર્તવ્યકાર્યોની સિદ્ધિ થાય છે. જે જે ગુણેની સિદ્ધિ વા પ્રાપ્તિ માટે અભ્યાસ સેવવામાં આવે છે તે તે કાર્યોની અને તે તે ગુણોની સિદ્ધિ ખરેખર સતતાભ્યાસ બળે અને પરંપરાભ્યાસબળે થાય છે એમ અનેકજ્ઞાનગીઓનાં અને કર્મગીઓનાં દૃષ્ટાંતોથી સિદ્ધ થાય છે. સતતાભ્યાસબળ અને પરંપરાભ્યાસબળ જેનામાં નથી અને જેનામાં છે તોપણ જે મન્દ થાય છે તે જીવતાં મૃતકના સમાન છે અને તે વિશ્વમાં નકામું ખાવે છે પીવે છે. તેઓનો જન્મ પશુઓના કરતાં વિશેષ નથી. સતતાભ્યાસ અને પરંપરાભ્યાસ બળવડે સ્વાધિકાર જે જે કર્તવ્ય કાર્યો હોય તે અવશ્ય કરવાં જ જોઈએ. યદિ અભ્યાસ ન સેવવામાં આવે તો જીવતાં મનુષ્ય મડદા સમાન છે અને તેઓ સ્વપરની ઉન્નતિ કરવાને કોઈ પણ રીતે લાયક નથી. કર્તવ્યકાર્યો માટે જે અભ્યાસ ન લેવાય તો અવબોધવું કે કર્તવ્ય કાર્યો માટે મનુષ્ય જીવતો જ નથી અને તે આધ્યાત્મિકભાવે જીવતો રહેવાને અધિકારી થતો નથી. કારણગે કાર્યની સિદ્ધિ થાય છે. કોઈ પણ મનુષ્ય કારણ વિના કાર્યની સિદ્ધિ કરી એવું જગમાં દષ્ટાન્ત છેજ નહિ. સતતાભ્યાસ વિના કઈ પણ કર્તવ્ય કાર્યની સિદ્ધિ થતી નથી. જે કર્તવ્યકાર્ય માટે અભ્યાસ સેવવામાં આવે છે તેજ કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ આવિર્ભાવ અવલોકવામાં આવે છે. આત્માના જે જે ગુણેના પ્રકાશાથે અભ્યાસ સેવવામાં આવે છે તે તે ગુણેને આવિર્ભાવ થાય છે. નેપોલિયને જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસ કર્યો હતો તે શક્તિની તેણે પ્રાપ્તિ કરી હતી. જે મનુષ્ય જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસબળ સેવે છે તે મનુષ્ય તે કર્તવ્યકાર્યની શક્તિને પ્રગટાવી શકે છે. એમ શેકસપીયર બેકન કાલીદાસ આદિ અનેક આદર્શ શક્તિધારક મનુષ્યના દષ્ટાંતથી સિદ્ધ થાય છે-એવું હૃદયમાં અવબોધીને જ જે શક્તિ પ્રાપ્ત કરવાની હોય અને જે જે કર્તવ્યકર્મો કરવાનાં હોય તેને અભ્યાસ પરિપૂર્ણ સેવ; અભ્યાસ સેવ્યા વિના ફલની આશા રાખવી તે વ્યર્થ છે. ઉપર્યુક્ત શ્લેક ભાવાર્થને હૃદયમાં ધારણ કરી કર્તવ્યકર્મને સતતાભ્યાસ કરનાર થા; કર્તવ્યકર્મની સિદ્ધિ ખરેખર અભ્યાસબળ ઉપર છે અને કાર્મણિકી આદિ બુદ્ધિયો પણ સતતાભ્યાસ
For Private And Personal Use Only