________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૦ )
શ્રી કમં ગ ગ્રંથ-સવિવેચને.
તેથી કઈ જાતનો લાભ પ્રાપ્ત થતો નથી. અમદાવાદમાં એક શેઠને હાલામાં હાલ પુત્ર હતા. શેઠ જૈનધર્મી હતા, ભરયૌવનાવસ્થામાં શેઠનો પુત્ર મરણ પામ્યું; શેઠે તેનાં મૃતકાર્યો કર્યા અને ઉપાશ્રયમાં મુનિ પાસે આવી વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. મુનિએ શ્રાવકને પૂછ્યું, તમારો પુત્ર મૃત્યુ પામે તેથી તમને કેમ શક નથી થતો ? શ્રાવકે પ્રત્યુત્તર આપ્યું કે ગૃહસ્થાવાસના ધર્મ પ્રમાણે પુત્રની ઉન્નતિ કરવી અને તેનું પ્રેમપૂર્વક પાલન કરવું એ મદીય વ્યવહાર-કર્તવ્યધર્મ પ્રમાણે મૃત્યુના ચરમસમય પર્યક્ત મેં ધર્મ બજાવ્યો; તેના આત્માને શાંતિ મળે એવા સર્વ ઉપ મેં કર્યા તેમ છતાં આયુષ્યાવધિ પૂર્ણ થતાં તેને આત્મા પરભવમાં ગયે; તે આત્મા અમર છે, તેણે દેહરૂપ વસ્ત્રને ત્યાગ કરી અન્યભવમાં અન્ય દેહ-વસ્ત્રને કર્માનુસારે ધારણ કર્યું. તેના આત્માની સાથે મારે આત્મભાવથી વર્તવાની જરૂર છે. દેહરૂપ વસ્ત્રો તે સર્વ આત્માઓનાં બદલાય છે તેથી દેહરૂપ વસ્ત્રોનો વા મારા સ્વાર્થને મારે શોક ન કરવો જોઈએ. જે બવાગ્યા હોય છે તે બને છે તે સ્થિતિના આધીન સર્વ છે; એ નિશ્ચય અવબોધ્યા પશ્ચાત્ આત્મારૂપ સૂર્યની ચોતરફ શેકરૂપ વાદળને શા માટે છવરાવવું જોઈએ ? આ પ્રમાણે શ્રાવકની વાણી સુણીને મુનિ પ્રમોદ પામ્યા અને સભ્યજનોને બોધ થા. કર્તવ્ય કાર્યો બજાવતાં જે જે બાહ્યદશાઓ પ્રાપ્ત થવાની હોય છે તે થયા કરે છે. હરિશ્ચંદ્રનો પાઠ ભજવનાર નાટકીઓ સ્વમનમાં શોકાતુર થતું નથી કારણ કે તે જાણે છે કે વાસ્તવિક હું હરિશ્ચંદ્ર નથી અને વાસ્તવિક તારામતી મારી રાણી નથી એવી તેના મનની સ્થિા તે કર્તવ્યકર્મમાં વ્યામોહ પામતો નથી તેથી તે શોકાધીન બની શકતો નથી. તડત પ્રત્યેક મનધ્યે આ સંસાર૩૫ નાટકશાળાના અનેક અવતારરૂપ અનેક પડદાઓમાં અનેક પ્રકારના વે ભજવવા જોઈએ; પરંતુ તેમાં પોતે તો નટનાગરની પેઠે ન્યારો છે એ અનુભવ કરી પ્રવર્તવું જોઈએ કે પશ્ચાત્ તેને શેક અનુત્સાહ અને દીનતાના વિચારો ઘેરી શકે નહિ. આ વિશ્વમાં કૃત્યાય વિવેક અને ઉત્તમ વ્યવહારવડે કાર્ય પ્રવૃત્તિ કરતાં કાર્યની સફલતા ન થાય એવું લટિથી દેખાય તો પણ અન્તમાં વિચારવું કે મારું કર્તવ્ય મેં કર્યું છે. મારી ફર્જ અદા કરવામાં મારે સત્યાનન્દ માનવો જોઈએ. કોઈ કર્મના ઉદયથી વા અન્ય કારણથી કાર્યસિદ્ધિ ન થાય તો તેથી કર્તવ્યફજ બજાવ્યાથી મનમાં અંશમાત્ર શક ન કરવો જોઈએ. શક્તિને કર્તવ્યકર્મમાં ફેરવ્યા પશ્ચાત્ ગમે તે થાઓ તે મારે દેખવું ન જોઈએ અને શોક પણ ન કરવું જોઈએ. આત્મોન્નતિના માર્ગ પર સ્થિર રહીને કર્તવ્ય કાર્યો માટે જે જે બાહ્યદશામાં મૂકાયેલો છું તદનુસારે કાર્યો કરવા જોઈએ. શોક એ ખરેખર આત્માની નબળાઈ છે. આમાની મસ્તદશામાં શેક પ્રગટતું જ નથી. કથનીય સારાંશ એ છે કે ત્યારે શોક ન કરવું જોઈએ.
For Private And Personal Use Only