SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ કરવામાં આવ્યું છે. લે. મા. તિલકે પણ પોતાના કર્મવેગ રહસ્યમાં “શાના મોક્ષ: ” એ સૂત્રના ભાવનું વ્યાપકાથપણે અવલંબન ભગવદ્ગીતાને અવલંબીને લીધું છે. કર્મયોગની આવશ્યક્તા વિના કંઈ જીવતો ધર્મ નથી. એ બાબતના સ્પષ્ટીકરણમાં ગુરુશ્રી ખરેખર હદ કરે છે. સ્વાધિકારે કર્તવ્ય કર્મોને જાણવાં, અને પશ્ચાત નિરાસક્તિ પણે તે કરવાં. અલ્પ દોષને મહાલાભ, જેમાં વ્યષ્ટિ અને સમષ્ટિને હોય, તેવા કર્મો કરવાં. અધ્યાત્મ જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરીને કર્તવ્ય કર્સે કર્યો જવાં, અનેક પ્રકારની વિપત્તિઓથી આત્માની પરિપકવ દશા કરવા માટે અને આત્મગની સ્થિરતા માટે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ-ઇત્યાદિ અનેક પ્રકારે કરવાના કર્મયોગને વિશાળ બુદ્ધિથી અને વ્યાપકપણે કર્મયોગ મંથમાં ચર્ચવામાં આવ્યાં છે. પ્રાચીન અર્વાચીન ધર્મશાસ્ત્રથી કર્મયોગની ઉપયોગિતા સિદ્ધ થઈ ચૂકેલી છે. સર્વ દેશોમાં, સવ કાળમાં, સર્વ ધર્મના મહાત્માઓએ કર્મયોગના એક સરખા વિચારો પ્રકટ કરેલા છે ને તેનું વાચન વાચકોને કર્મવેગ ગ્રન્થ સાધી આપે છે જ. તે સર્વ ગ્રંથોમાં ઉચ્ચ કોટિ પર વિરાજ તે આ ' કમંગ' અવશ્ય તેના વાચકને દ્રવ્ય ને ભાવ બને રીતે સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિને પ્રગતિમાન કરવામાં, ઉન્નતિ સાધી આપવામાં ને ઈચ્છિત સિદ્ધિઓ સિદ્ધ કરી આપવામાં રહાયભૂત થશે જ એ નિઃસંશય છે. ઉપર જણાવી ગયા છીએ કે જેન કેમને કમગીઓની ધણી જ જરૂર છે. કમલેગીએ ગૃહસ્થી હોય છે તેમજ ત્યાગી પણ હોય છે. ગૃહસ્થ કર્મયોગીએ દેશનું સામાજિક, આર્થિક નૈતિક ને કવચિત ધાર્મિક હિત સાધી આપે છે, પણ દેશનું ને માનવજાતનું અંતિમ હિત--આધ્યાત્મિક હિત તે ત્યાગી નિષ્કામ કમગીઓવડે જ સધાવાનું. કારણ ગૃહસ્થાશ્રમીઓ કરતાં ત્યાગી સ્વાધિકારે ખરેખરા કર્મયોગી થઈ શકે છે. કર્મયોગનું બળ પ્રાપ્ત કર્યા સિવાય ઉપદેશની અસર થતી નથી, કારણ તત્વજ્ઞાનના પાયા પર કર્મયોગને સંબંધ છે. અત્યારે તે જે સામાજીક ધામિક તથા આખ્યામિક કર્મચણી આવશ્યક્તા છે, તે તે ત્યાગી કમગીઓ જ મુખ્યત્વે સાધી શકે તેમ છે, અને આ સર્વમાન્ય સત્ય પણ કર્મયોગમાં સ્પષ્ટ રીતે રહમજાવવામાં આવ્યું છે. અત્યારે સમાજ કયા પ્રકારનું વાંચન માગે છે? તેને વિચાર કરતાં તત્ત્વજ્ઞાનની ભાવનાઓ ભરેલી તથા અધ્યાત્મ જ્ઞાનની વિવિધ વાનીઓથી સુસજ્જ એવી મિષ્ટ રસવતીથી ઉભરાતી થાળી આજે સમાજ માગે છે. તેથી જમાનાને ઉપયોગી તથા ભાવિ સમાજને તેવા રસને પિષ સુ બનાવવાને માટે અનેક પુસ્તક કર્મ યોગીની કલમે લખ્યો છે ને તેમાં આ ઉમેરે બેશક અતિ અમૂલ્ય છે. અમે ઇચ્છીએ છીએ કે ભારતવાસીઓ આ ગ્રંથને સવે લાઈબ્રેરીમાં દાખલ કરાવવા તથા બીજી ભાષાઓમાં અનુવાદ કરાવવાના પ્રયાસ કરવામાં પ્રસાદ સેવશે નહી. ભાષાની તથા ધર્મની સેવા અનેક રીતે કરી શકાય. જેઓ લખી શકે તે લેખિનીથી, બોલી શકે તે જીભથી, ખરચી શકે તે લીધી, ને છતર માનવે પિતાની જાતિમહેનતથી આવા મંથેના વિશેષ પ્રયાર માટે પ્રયાસ સેવશે તે ધર્મ ને કામની સેવા બજાવી શકશે. છેવટે કર્મ માં લખવામાં વિપકારક દૃષ્ટિથી ધર્મલાભની ઇચછાપૂર્વક નિષ્કામબુદ્ધિથી અતિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy