SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 5 લેટ્ટાની લાગણી કેમ વશ કરી શકાય ? ( ૩૭૫ ) ક્ષણમાત્ર સર્વ વિશ્વને ચાલે તેમ નથી. કૃત્યાકૃત્ય વિવેક વિના રાજાને પ્રજાને શેડને નાકરને વિદ્યાર્થીને ગુરુને શિષ્યને સ્વામીને સેવકને પ્રધાનને વ્યાપારીને ખેડુતને ક્ષત્રિય અને બ્રાહ્મણ વગેરેને પ્રત્યેક કાર્યમાં ચાલી શકે તેમ નથી. દિલ્લીના એક આદશાહે દીલ્લીથી લોકેાને ઉચાળા ભરાવી અહુમદનગરમાં વસવાની ગાંડાઇ કરી અને તેમાં તે અંતે ફાવ્યે નહિ અને હાલ પણ લાકે તેને ગાંડા બાદશાહ તરીકે આળખે છે. કૃત્યાકૃત્ય વિવેકવિના વિશ્વમાં મહાન્ કાર્યોં કરી શકાતાં નથી અને જે જે કાર્યો કરવામાં આવે છે તેથી વિજય પ્રાપ્ત થઈ શકતા નથી. આર્યાવર્તમાં એક વખત બ્રાહ્મણાએ શુદ્રવ ના હદમહાર તિરસ્કાર કર્યાં અને તેની સ્થિતિ સુધારવામાં ભણાવવામાં કેળવણી આપવામાં અને તેને સુખી કરવામાં લક્ષ ન દીધુ' તેનું ફળ તેઓને એ મળ્યુ કે તે અધઃપતન દશાને પામ્યા. આપણી પોતાની ફરજોને અન્ય મનુષ્ય પ્રતિ કૃત્યાકૃત્ય વિવેકવડે ન બજાવીએ તો પતિતદશાને પામીએ એ ખરેખર અનુભવગમ્ય છે. નૃત્યાત્ય વિવેકવડે સંસારરૂપ એક આગબોટમાં બેઠેલા ભિન્નજાતિ તથા ભિન્નભિન્નધર્મવાળા મનુષ્યાએ સ્વશક્તિના અનુસારે પરસ્પર એકખીજાની પ્રગતિમાં ભાગ લેવે જોઇએ અને કેઇનું અશુભ થાય એવી મન વચન અને કાયાથી પ્રવૃત્તિ ન આદરવી જોઇએ તથા કૃત્યાકૃત્ય વિવેકપુરસ્કર સ્વશક્તિયોના શુભ ઉત્તમ વ્યવહારવડે સદુપયોગ કરવા જોઇએ. સાધુઓએ ગૃહસ્થને ઉચ્ચપ્રગતિના પરિપૂર્ણ કાળજી રાખી બંધ ન દીધો તેનું પરિણામ એ આવ્યું કે ઉત્તમ ગૃહસ્થ મનુષ્ય પ્રકટા નહિ અને તેથી ઉચ્ચસાધુઓની ગૃહસ્થા તરફથી ખાટ પુરાતી હતી તે અધ પડી ગઈ અને તેથી ઉચ્ચનાની સાધુએ ઘટવા લાગ્યા અને દંભીઓ વધવા લાગ્યા. તેથી હાલ મોટા ભાગે સાધુઓમાં અજ્ઞાનદશા વધી પડી છે; કોઇ મનુષ્ય અન્યાને નીચ અધમ રાખવા માટે અને પોતે ઉચ્ચ થવા માટે પ્રયત્ન કરે છે તે તે મૃત્યાકૃત્ય વિવેકથી ભ્રષ્ટ થઈ પતિત થાય છે. જેણે પાતે ઉચ્ચ થવુ હોય તેણે આજુબાજુના સર્વ મનુષ્યોને નૃત્યાકૃત્ય વિવેકવડે ઉચ્ચ કરવા જોઇએ કે જેથી તેની ઉચ્ચદશામાંથી તે ભ્રષ્ટ થઈ ન પડે સર્વ ઝાડાની એંડીમાં ઊંચું વધેલું ઝાડ અન્ય ઊંચાં ઝાડાની સાહાય્યથી વટાળના જોરે એકદમ ટુટી પડતુ નથી અને આજુબાજુ અન્ય ઉંચાં વૃક્ષેા નથી હોતાં તે તે વંટોળથી પૃથ્વી પર તુટી પડે છે. એમ અનેક જગ્યાએ દેખવામાં આવે છે. કૃત્યાકૃત્ય વિવેકવર્ડ જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં અન્ય મનુષ્યોની સહાનુભૂતિયા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જે કાર્યાં કરવાનાં અશક્ય ધાર્યા હાય તે સુશય થઇ પડે છે, અંગ્રેજ સરકારનું ભરુચમાં રાજ્ય સ્થપાયું ત્યારે ભરુચના બ્રાહ્મણેએ અગ્રેજ સરકારનુ શાંતિ ઇચ્છવા યજ્ઞ કર્યાં તે શું બતાવી આપે છે ? અન્ય રાજાઓના અનીતિ રાજ્યથી ત્રાસિત થયેલી પ્રજા ખરેખર કૃત્યાકૃત્ય વિવેકથી રાજ્ય કરનાર સરકારને ચાહે તેમાં આશ્ચર્ય શું ? લૂટફાટ અન્યાય જુલ્મ અનીતિ કનડગત રીસાવાપણાથી મનુષ્યની Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy