SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૩૭૪ ) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિયન. શબ્દાર્થ–ઉત્તમ વ્યવહારવડે અને કૃત્યાકૃત્યવિવેકવડે જે કાર્ય કરવા યોગ્ય હોય તે કરવું. આત્માને સુખ આપનારું એવું કાર્ય સેવવા યંગ્ય છે. કર્તવ્ય કાર્ય કરતાં કદાપિ શેક કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ જે ભાવિભાવ બનવાનું હોય છે તે બને છે એમ માની શેક ન કરે–-એવું હૃદયમાં માનીને વિવેકથી પ્રયત્નવડે કાર્યમાં પ્રવૃત્ત થા. વિવેચન—જે મનુષ્યો કૃત્યાકૃત્ય વિવેકપૂર્વક કાર્ય કરે છે તેઓજ કર્મવેગી ખરેખર બની શકે છે. કર્મચગી તરીકે દાદાભાઈ નવરોજજી મોહનદાસ કરમચંદ ગાંધી વગેરે સાંસારિક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય ગણાય. તેનું કારણ એ છે કે તેઓ કૃત્યાકૃત્યના વિવેકપૂર્વક પ્રત્યેક કર્તવ્ય કાર્યોનો વિચાર કરે છે. ગોખલે સર્વત્ર કર્મયેગી તરીકે પ્રસિદ્ધિને પામ્યા તેનું કારણ એ છે કે તેણે આર્યાવર્તની પ્રગતિકારક પ્રવૃત્તિની કૃત્યાકૃત્યવિવેકથી પૃથકકરણુતા કરી બતાવી. શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં કૃત્યકૃત્ય વિવેકવડે કર્તવ્યકાર્યોની પ્રવૃત્તિને ઉપદેશ આપીને સર્વ સભાને સત્ય તરફ આકર્ષ હતી, પરંતુ કીરોએ કૃત્યાકૃત્ય વિવેકની દૃષ્ટિને અને કાર્યને તિરસ્કાર કર્યો તેથી અને કૌરવોનો પરાજ્ય થયે અને પાંડવોને જય છે. જે મનુષ્ય કૃત્યાકૃત્યને વિવેક કરે છે તે કર્તવ્ય કાર્યોને પ્રથમથી અર્ધ તરીકે તો સિદ્ધ કરી લે છે. ભેળા ભીમમાં અનેક પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે ગુજરાતનું રાજ્ય સારી રીતે કરી શક્યું પરંતુ કૃત્યાકૃત્ય વિવેક વિના તેણે સોમેશ્વર તથા પૃથુરાજની સાથે નાહક યુદ્ધ કરવાને પ્રસંગ પ્રાપ્ત કર્યો. કરણઘેલામાં પણ કૃત્યાકૃત્ય વિવેકદૃષ્ટિની ખામી હતી તેથી તેણે અનીતિમાં પ્રવેશ કર્યો. શ્રી કુમારપાલરાજામાં કૃત્યાકૃત્ય વિવેક સારી રીતે ખીચે હતો તેથી તેણે ગુર્જર પ્રજાનું સારી રીતે પાલન કર્યું હતું અને ઉત્તમ વ્યવહારવડે તેણે કર્તવ્ય કાર્યો કરીને ઈતિહાસના પાને પિતાનું અમર નામ કર્યું. કુમારપાલની પશ્ચાત્ ગાદીએ બેસનાર અજયપાલ રાજામાં કૃત્યાકૃત્ય વિવેકની ઘણી ખામી હતી તેથી તે સર્વ પ્રજાને પ્યાર મેળવી શકશે નહિ અને તેને કેઈએ મારી નાખે. અમદાવાદમાં ગુજરાતની ગાદીએ બેસનાર કેટલાક મુસલમાન બાદશાહોમાં કૃત્યકૃત્યને વિવેક ન હતું તેથી તેઓએ કેટલીક ધમધપણાથી નકામી લડાઇઓ કરીને હિન્દુઓની અરુચિ હારી લીધી. કૃત્યાકૃત્યવિવેકથી વ્યાવહારિક લોકિક બાબતોમાં અને ધર્મની બાબતોમાં કાર્યસિદ્ધિ થાય એવી પ્રવૃત્તિ કરી શકાય અને તેથી અનેક મુશ્કેલીઓને સહેજે અન્ત લાવી શકાય છે. અંગ્રેજ સરકારે કૃત્યાકૃત્યવિવેક અને ઉત્તમ લૌકિક વ્યવહારવડે કાર્યસિદ્ધિાના વિજયને મેળવ્યું છે તે પ્રત્યક્ષ અદ્યપર્યન્ત અનુભવાય છે. કન્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર એ નીતિની સાનુકૂલતાને ભજે છે. મનુષ્યની રુચિને પિતાના પ્રતિ આકર્ષવામાં અને મનુષ્યોના અભિપ્રાયને દયાનમાં લઈ કર્તવ્ય સાર્વ જનિકકાર્યો કરવામાં અથવા વ્યકિત સંબંધી કાર્યો કરવામાં કૃત્યકૃત્યના વિવેક વિના એક For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy