SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૬ ) શ્રી ક યાગ ગ્રંથ-વિવેચન, 5 શકે છે. સ્વામી વિવેકાનન્દમાં અને સ્વામી રામતીર્થમાં કબ્યકમાં કરવાની શક્તિ આવી તેનું કારણ એ છે કે તેઓએ હિમાલય પર્વતનાં શિખરોમાં એકાન્તવાસ કરી સ્વાત્મશતિયાને વિકાસી હતી. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ગિરનારની ગુફામાં કેટલાક વખત રહી સ્વાત્મશક્તિયાને ખીલવી હતી અને મેનિદ્રાના નાશ કર્યાં હતા. મહાપ્રાણુ ધ્યાનના કારક શ્રીભદ્રબાહુસ્વામીએ વિપ્પુલિંગ પાર્શ્વનાથની પાસે રહી અને એકાંત સ્થાનામાં રહી મેહનિદ્રા હઠાવવાપૂર્વક સ્વાત્મશક્તિયાને વિકાસી હતી. તેથી તેઓએ સૂત્રાની નિયુક્તિઓ વગેરે રચી ભારતવર્ષની જ્ઞાનજ્ગ્યાતિ જગાવી હતી. શ્રીમદ્ માનદેવસૂરિ, શ્રીમદ્ ચિદાનંદજી અને શ્રીમદ્ આનન્દઘનજી વગેરેએ મોહનિદ્રાના ત્યાગ કરવા અને સ્વાત્મબોધપૂર્વક સ્વકર્તવ્યકાર્યાં કરવા એકાન્ત પર્વત ગુફાવાસ-નદીકાંઠે એકાન્તવાસઉપવનમાં એકાન્તવાસ કર્યાં હતા અને આત્માની શક્તિયાને ખીલવી હતી તેથી તેનુ દરરોજ જૈન પ્રજા સ્મરણુ કર્યાં કરે છે. દિગબરપક્ષીય મુનિયાએ પતગુફા વગેરે એકાન્તમાં વાસ કરી આત્મશક્તિયાને ખીલવીને સ્વકર્તવ્યકાર્યાં કર્યાં છે. તેથી શુભચંદ્ર વગેરે મુનિયાના જ્ઞાનાવ વગેરે ગ્રન્થાની ઉપયોગિતાના જગત્ઝે ખ્યાલ આવે છે. હિન્દુધર્મના ( વેદધર્મ-વેદાન્ત ધર્મના ) ઉદ્ધારકર્તા શ્રીમદ્ શંકરાચાર્યે નર્મદાના કાંઠે એકાન્તમાં કેટલાક વર્ષ સુધી વાસ કરી નિદ્રાના ત્યાગને માટે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કર્યાં હતા તેથી તેના હૃદયના સંદેશો વિશ્વમાં ફેલાયા. રામાનુજાચાયે અને વલ્રભાચાયૅ ગંગા જેવી નદીઓના એકાન્ત કાંઠે વાસ કરીને આત્મશક્તિયે ખીલવવા પ્રયત્ન કર્યાં હતા. ઇચ્છુકાઇસ્ટે આર્યાવર્તમાં આવી આ ઋષિમુનિયેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુનો અનુભવ લેવા એકાન્તસ્થાનમાં પૂર્વે નિવાસ કર્યા હતા અને તેણે ધ સ્થાપવાના વિચારોના અનુક્રમ ગાવ્યા હતા અને પશ્ચાત્ તે વિશ્વને પ્રોાધવા બહાર પડયે હતા. મુસા પેગબરે ઇશ્વરી આજ્ઞાઓને પર્વતની ટોચપર ચઢી રચી કાઢી હતી. મહમદ પયગંબરે પતની ગુફા વગેરેમાં વાસ કરી આત્માને ઓળખવા અને ખુદાના ફરમાન પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવ્યા હતા અને પદ્મત ધર્મ પ્રવર્તાવ્યા હતા. શ્રીમહાવીરપ્રભુએ એકાન્તાવસ્થામાં આત્મધ્યાન ધરીને મોહનિદ્રાનો સર્વથા ત્યાગ કરી કેવલજ્ઞાન પ્રકટાવી જૈનધર્મતીર્થની સ્થાપના કરી હતી. ગૌતમબુદ્ધે એકાન્તમાં વાસ કરી મારની સાથે યુદ્ધ કરી ધર્મ પ્રવર્તાવ્યે હતા. કખીર નરિસંહમહેતા વગેરેએ નદીના કાંઠે વાસ કરી શુદ્ધ વાતાવરણમાં સ્વધર્મવિચારાને ગોઠવ્યા હતા. મીરાંબાઇએ પર્વત શુક્ વગડા નદીના કાંઠા વગેરે સ્થાનામાં ભટકતા મહાત્મા પાસેથી પ્રભુભક્તિના વિચાર। ગ્રહ્યા હતા. શ્રીમદ્ આનન્દઘનજીની સાથે બાર વર્ષ વનવાસમાં રહીને શ્રીમદ્ પન્યાસ સત્યવિજયજીએ ક્રિયાદ્વાયાગ્ય આત્મબલ સંપ્રાપ્ત કર્યું હતું. ચૈતન્ય સ્વામીએ વનવાસમાં રહીને અને જ્ઞાનદેવ એકનાથ વગેરે મહાત્માએ એકાન્ત પર્વત ગુફા નદી વગેરેના શુદ્ધ વાતાવરણમાં રહી પ્રભુપ્રાપ્તિના For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy