SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - (૩૬૦ ) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. દેશના રાજાને મહેતા મહેસુલ ઉઘરાવતે ત્યાં આવ્યું અને તેણે મહાત્મા જે ક્ષેત્રે મત વાવતા હતા તેપર લક્ષ્ય દીધું અને મહાત્માને જમીનની–ખેતરની વિઘોટી આપવા કહ્યું. મહાત્માએ કહ્યું : વહાં તેરા કયા લગતા હૈ? સબ જગ્યા હરિકી હૈ. પેલા મહેતાએ રાજાને મહાત્માના ખેતરની વાત કહી તેથી રાજાએ સિપાઈઓ મેકલીને મહાત્મા સંન્યાસીને પિતાના દરબારમાં પકડી મંગાવ્યા. લગેટીવાળા મહાત્મા રાજાની પાસે આવ્યા. રાજાએ મહાત્માને વિઘોટી આપવા માટે ધમકાવ્યા, અને તડકામાં અંગુઠા પકડાવી તેમના પર પાટીયું મૂકયું તથા તે પાટીયાપર રાજાએ એક મણુ ભાર મૂક્યો. બાવાજી-મહાત્માજી વિઘટી આપવાની ચિન્તા કરવા લાગ્યા. તેમણે સાધુ સન્તોને સર્વ ખવરાવી દીધું હતું તેથી મુસાભાઈને વા ને પાણી જેવી તેમની દશા હતી તેથી વિઘટી કયાંથી લાવી આપે? તડકાના તાપે તેમના મનની સ્થિતિ બદલી નાખી. મહાત્મા બાવાજીના મનમાં રાજા ઉપર ઘણાજ ગુસ્સો પ્રગટ થયે અને તેથી તેમણે રાજાને ગાલીપ્રદાન કર્યું, પરંતુ તેથી રાજા એકને બે થયે નહિ. તેણે તે બાવાજીપર બે પાટીયાં મૂક્યાં. મહાત્માએ મનમાં કંઈક વિચાર કર્યો અને પિતાની ભૂતકાલીન જીંદગીને ખ્યાલ કર્યો. અરે ! હું વિદ્વાન બ્રાહ્મણ હતું. મેં કેવી સાધ્ય દશાથી સંન્યસ્ત માર્ગ ગ્રહણ કર્યો હતે. આ સર્વ પ્રકારની ઉપાધિ થઈ અને રાજાના દાસ બનવું પડયું તેનું કારણું ખરેખર લંગોટી માટે બિલાડીનું બચ્ચું રાખવું પડયું અને તેના માટે ગાય રાખવી પડી. નોકરી માટે ખેતર બળદ રાખવા પડ્યા અને તેથી જમીન ખેડાવવી પડી; જમીન ખેડાવવા માટે એક તાંબાની તોલડી તેર વાનાં માગે એવી અવસ્થા સેવવી પડી. હજારો લેકે, રાજાઓ, શેડીઆઓ મને મહાત્મા કહી પગે પડે તેને અરે આજ તડકામાં અંગુઠા પકડવાને વખત આવ્યું છે. અરે ! આ કેવી સ્થિતિ બની ? ફક્ત લંગોટીના લીધે આ દશા થઈ. જે લંગોટી ના પહેરી હોત અને નાગો રહ્યો હોત તે આટલી બધી ઉપાધિ થાત નહિ. નાગે તે બાદશાહથી આઘે. નાગાસે જગત આધા. ખરેખર એ કહેવત સાચી છે. અરેરે આ બધું લંગોટીના લીધે થયું. મહાત્માને લંગોટીપર કંટાળો આવ્ય, અને તેણે એકદમ લંગોટી ફાડી ફેંકી દીધી તેથી રાજાએ બાવાને-મહાત્માને કાઢી મૂક્યો. મહાત્મા બા ઉપાધિમાંથી મુક્ત થઈ સુખી થયો. મહાત્માની લંગોટીની બીનાને લેકે બાવાની લંગટીની કથાના નામથી જાણે છે. આ કથા પરથી સાર એ લેવાનો છે કે-જ્યારે મહાત્માએ પૂર્વ કર્તવ્યની યાદી કરી ત્યારે તેને પિતાની ભૂલ જણાઈ તત્ જે મનુષ્ય પોતાની ભૂલને ભૂતકાલ જીવનકૃત્યોની યાદી પૂર્વક વિવેકબુદ્ધિથી અવલોકી શકે છે ત્યારે તેઓ ભૂલો સુધારીને આત્મપ્રગતિ કરવા શક્તિમાન્ થાય છે. વ્યક્તિ પરત્વે જેમ ભૂતકાળમાં શું કર્યું તેની યાદી કરવાથી વિવેકપૂર્વક પ્રગતિમાર્ગનું ભાન થાય છે તેમ સમાજ દેશ અને સંધ જે ભૂતકાલપર દૃષ્ટિ પ્રક્ષેપે છે તે તેને પ્રગતિ અને અપકાન્તિના હેતુઓનું દિગ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy