________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાધિ ક્રમે ક્રમે કેવી રીતે વધે છે ?
(૩૫૯)
ગુફા ગજવવા લાગ્યું અને મહાત્માના દયાનમાં વિક્ષેપરૂપ બનતાં મહાત્માનું શ્રેય સ્વયં તે થઈ પડયું. મહાત્માને બિલાડીના બચ્ચાની બૂમે ઘણી અસર કરી તેથી તે સોહે સોહેને જાપ વિમરીને મ્યાઉ મ્યાઉને જાપ સુણવા લાગ્યા. નિઃસ્પૃહતાથી જગને તૃણવત્ ગણે નારા મહાત્મા હવે સ્વપુત્રાર્થે પણ જેવી યાચના ન કરે તેવી યાચના હવે બિલાડીના બચ્ચાના દુધપાનાર્થે લેકની આગળ કરવા લાગ્યા. લેકે પણ ઘણા દિવસનું થયું તેથી કંટાળ્યા અને મહાત્માને કહેવા લાગ્યા કે મહાત્માજી ! આવી પ્રવૃત્તિ કરતાં એક ગાયને અત્રે રાખવામાં આવે તે વખતસર આપને તથા બિલાડીના બચ્ચાને દુધ મળી જાય અને દરરોજની ખટપટ નીકળી જાય. એવામાં એક ભક્ત બોલ્યો કે મહાત્માજીની આજ્ઞા હોય તે મારા ઘરની એક ગાયને અત્ર લાવી મૂકું. તે આજુબાજુના પ્રદેશમાં ચરશે અને સાંજરે ગુફા આગળ આવી બેસી રહેશે. ગોમાતાનાં સર્વને દર્શન થશે અને સર્વની ઉપાધિ ટળશે. મહાત્માએ પેલા ભકતની વિજ્ઞપ્તિ માન્ય કરી તેથી તેણે મહાત્માની પાસે ગાય લાવીને બાંધી. ગાયની અને બિલાડીના બચ્ચાની મહાત્માને ખબર દરરોજ લેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. ધ્યાન સમાધિમાંનો ઘણે સમય ગાય અને બિલાડીના બરચાના પાલનમાં વ્યતીત થવા લાગે અને તેથી મહાત્માને અન્ય ખટપટે કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયે. કઈ વખત ગાય ડુંગરામાં કોતરમાં ઘાસ ખાવા લાગી અને તેથી તે રાત્રીએ મેડી આવવા લાગી તેથી મહાત્મા લાકડી લેઈને તેને શોધવા નીકળી પડતા. ચોમાસામાં ગાયને બાંધવા માટે એક પર્ણકુટી કરી અને તેના રક્ષણ માટે ભલેને કહી એક નેકર ૨ખાવ્યો. નોકરને પગાર આપતાં આપતાં ગામના લોકોને કંટાળો થવા લાગ્યો અને તેથી ગામના લોકોએ કહ્યું કે મહાત્મન ! જો તમે ગુફાની આસપાસની જમીન નકામી પડી રહેલી છે તેને આ નોકર પાસે ખેડાવો તે તેમાંથી નોકરને પગાર નીકળે અને દાણાથી ગુજરાન થવાની સાથે અભ્યાગતોની પણ સેવા થઈ શકે. મહાત્માએ તે વિજ્ઞપ્તિ સ્વીકારી એટલે એક ભકતે પિતાના બે ઉતરી ગએલા વૃષભ અને હળ લાવીને મહાત્માની સેવામાં હાજર કર્યું. મહાત્માએ રાખેલા નોકર પાસે ખેતર ખેડવાની પ્રવૃત્તિ સેવી, મેકર અને વૃષભેને રહેવા માટે એક લઘુઘર તથા છાપરી તૈયાર કરાવી. ગુફાની આસપાસ એક બાગ કરાવ્યું અને બાગમાં કે કરાવ્યું. કેળા, ચંપ, ગુલાબ વગેરે વવરાવ્યાં. આસપાસની ખેંડલી જમીનમાં પુષ્કળ ખેતી થવા લાગી અને તેથી મહાત્માએ ધાન્યને સંગ્રહવા ધાન્યના કોઠાર કરાવ્યા. અભ્યાગતોની સેવા અને તેઓની આશીષ લેવા એક રસોઈયે રાખે અને તે અતિથિ બ્રાહ્મણે વગેરેને જમાડવા લાગ્યો. મહાત્માની પાસે લોકોની ઠડ જામવા લાગી. મહાત્માને હવે ધ્યાન સમાધિ કરવાને પ્રસંગ-સમય અલ્પ મળવા લાગ્યા. આ પ્રમાણે પ્રવૃત્તિમાં મહાત્માનાં બાર વર્ષ વ્યતીત થયાં. મહાત્માએ એક ઘર ત્યાગીને પુનઃ એક ઘર નવું બાંધ્યું. તેઓની પ્રવૃત્તિ વધવા લાગી એવામાં તે
For Private And Personal Use Only