________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૮ )
શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન.
તેથી પરિણામ એ આવે છે કે વર્તમાન કર્તવ્ય વિચારો અને આચારમાં અનંત ગુણ વિશુદ્ધિ પ્રગટે છે. લગેટીવાળા મહાત્માની પેઠે ભૂતકાળનાં કાર્યોની યાદી કરવાથી સ્વભૂલની યાદી આવે છે અને તેથી વર્તમાનમાં તેવી ભૂલો કર્યા વિના ચેતીને ચાલી શકાય છે. એક વિદ્વાન્ બ્રાહ્મણ હતા. તેને સંન્યાસ ગ્રહવાની ઈચ્છા થઈ. તેણે સંન્યાસ ગ્રહણ કર્યો અને તે નદીના કાંઠે વિચારવા લાગ્યો. ચોમાસાને કાલ આવ્યો ત્યારે તેના મનમાં એવી ઈરછા થઈ કે નદીના કાંઠે કઈ ખંડમાં ગુફા હોય ત્યાં રહેવું. એક ગામ પાસે નદીના કાઠે ગામથી થોડે દૂર એક ગુફા હતી તેમાં તેણે વાસ કર્યો અને પ્રાણાયામની સાધનાપૂર્વક ધ્યાન કરવા લાગ્યું. તેની પાસે સુજ્ઞ ગૃહસ્થ આવી દર્શન કરવા લાગ્યા. સંન્યાસી મહારાજની ગામમાં લકે સ્તુતિ કરવા લાગ્યા. ગ્રામ્ય પુષે દર્શન કરીને સ્વાત્માને કૃતાર્થ માનવા લાગ્યા. ગામની સ્ત્રીઓને દર્શન કરવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક પુરૂષોએ સંન્યાસીને વિનવ્યા અને સ્ત્રીઓની માઝા જાળવવા એક લગેટી પહેરવાનું કહ્યું. સંન્યાસીએ પુરૂષના અત્યંતાગ્રહથી લોકોએ આપેલી એક લંગોટી ધારણ કરી. સંન્યાસીને ગામના લોક પ્રતિદિન દૂધ વારાફરતી આપવા લાગ્યા. કઈ કઈ વખત ગામના લેકે દૂધ આપવાનું ભૂલી જવા લાગ્યા. અમુક જાણે કે અમુક મનુષ્ય દૂધ આપશે અને અમુક જાણે કે અમુક આપશે. આ પ્રમાણે દશા થવાથી સંન્યાસી મહારાજ ભૂખ્યા રહેવા લાગ્યા. સંન્યાસી મહારાજ જે લગેટી ધારણ કરતા હતા તે રાત્રિના સમયમાં ગુફામાં એક ઠેકાણે મૂકતા હતા તેને મૂષકો કાતરવા લાગ્યા તેથી દરરોજ લંગોટીની એવી અવસ્થા દેખીને કેટલાક બ્રાહ્મણે કહેવા લાગ્યા કે સંન્યાસી મહારાજની લગેટીને દરરોજ ઉંદરો કાતરી કાપી નાખે છે માટે એક બિડાલના બચ્ચાને અત્ર રાખ્યું હોય તો તેથી લંગાટી કાતરી ખાવાની ઉપાધિ ટળે. આ પ્રમાણે બ્રાહ્મણએ વિચાર કરીને ગામમાંથી એક બિલાડીનું બચું લાવીને ત્યાં મૂકયું. પેલા મહાત્માની ગુફામાં તે મ્યાઉ મ્યાઉ કરતું ફરવા લાગ્યું અને ભૂખથી પીડિત થઈ મહાત્માની સાથે મ્યાઉં મ્યાઉં કરતું ટગર ટગર હૃદયથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યું. મહાત્માને તેના ઉપર દયા આવી. આર્યાવર્તમાં દયાએ સદાકાલને માટે આર્યોના હૃદયમાં વાસ કર્યો છે તે પશ્ચાત્ તે મહાત્માના હૃદયમાં હોય એમાં તે આશ્ચર્યજ શું? સંન્યાસી મહાત્માને પોતાના આત્મા કરતાં બીલાડીના બચ્ચાની ખાતર દયા કરવાની હદયમાં ચિન્તા પિઠી તેથી પોતાના ભક્તોની પાસે બિલાડીના બચ્ચાને દૂધ પાવાની ગોઠવણ કરાવવી પડી. મહાત્માના ભક્તો પ્રતિદિન બિલાડીના બચ્ચા માટે દૂધ લાવવા લાગ્યા; પરંતુ ગૃહસ્થ ભતાના દરરોજ એક સરખા ભક્તિભાવ નહિ રહેવાથી તેઓ કઈ કઈ વખત દુધ લાવવાનું ભૂલી જવા લાગ્યા તેથી મહાત્મા અને બિલાડીના બસ્થાને ઉપવાસ થવા લાગે. મહાત્મા તે જ્ઞાની હતા તેથી સુધા સહન કરી શકતા હતા અને કેઈને કંઈ પણ કહેતા નહોતા; પરન્તુ બિલાડીનું બચ્ચું તો મ્યાઉ મ્યાઉ કરી આખી
For Private And Personal Use Only