________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩પ૬ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
વિપત્તિ વા ભયની ઉલ્લોલતાથી તે જીવનનકા ટકાવ કરી શકે કે ઉછાળા મારી ભગ્ન થાય તેની મને ચિંતા નથી. મારી પશ્ચાત્ મારા પુત્રને વિજયશાલી બનાવનાર સર્વશક્તિમાન ઈશ્વર છે, પણ તેઓએ પોતાના કર્તવ્યનું પાલન કરવામાં પરાડમુખ થવું ન જોઈએ. મારા પ્યારા પીત્ર બેદારબંખની ઉપર દૈવી કૃપા અચલ રહેવાને માટે હું પ્રાર્થના કરું છું. જો કે બેદારબક્ષની સાથે મારો મેલાપ નહીં થઈ શકે, પણ તેને મળવાની બહુજ ઉત્કંઠા હતી. મારી પેઠે બેગમ સાહેબા અત્યંત વ્યાકુલ છે પણ તેના ચિત્તમાં શું ભર્યું છે તે પરમાત્મા જાગે. સ્ત્રીઓના મખ અને અસ્થિર વિચારોમાં નિરાશા સિવાય બીજું શું પ્રાપ્ત થાય ? આ સર્વ મારી અંતિમ શિક્ષાઓ છે. સલામ સલામ ! ! સલામ ! ! !
तृतीय पत्र, શાહજાદા અજીમ ! તમને અને તમારા પ્રિયજનને શાંતિ મળે. હું બહુ નિર્બળ થઈ ગયો છું અને મારાં સઘળાં અંગ શિથિલ થઈ ગયાં છે. જ્યારે હું જન્મ પામે ત્યારે મારી આસપાસ ઘણે પરિવાર વીંટળાયેલો હતે પણ હવે હું એકલો જાઉં છું. હું જાણતે નથી કે આ જગતમાં મારું આગમન શા માટે અને
મા આગમન શા માટે અને કેવી રીતે થયું? મારે જેટલો સમય પરમાત્માની ભક્તિથી રહિત ગયા છે તે સમયને માટે પશ્ચાત્તાપ કરૂં છું. હું આ દેશ અને લેકસમુદાયમાં રહીને આત્માનું કિંચિત્ પણ કલ્યાણ કરી શક્યું નહિ. મારું જીવન મિથ્યા ગયું. પરમાત્મા મારા ઘટમાં જ વસે છે પણ મારી અંધ ચક્ષુઓએ તેની અગાધ શક્તિઓનું નિરીક્ષણ કર્યું નહિ. જીવન ક્ષણિક છે અને ગયેલો સમય પાછો આવતો નથી. મારું પરકમાં પણ કલ્યાણ થવાની આશા નથી. શરીરસંપત્તિ નષ્ટ થઈ છે અને કેવલ અસ્થિચર્મ શેષ રહેલાં છે.......ગભરાયેલા સિન્યવતું મારી અવસ્થા છે. મારું હદય ઈશ્વરપરાહમુખ અને અશાંતિવાળું છે. તેનું રાજ્ય જરા માત્ર છે કે નહિ તે મારું હૃદય જાણી શકતું નથી. આ દુનિયામાં હું આવ્યો ત્યારે મારી સાથે કોઈ લાવ્યું નહતો પણ હવે મારી સાથે પાપની પિોટલી બાંધી જાઉં છું. મને ખબર પડતી નથી કે મને શી શિક્ષા ભેગવવી પડશે. જે કે મને પરમાત્માની કૃપા ઉપર કાંઈક શ્રદ્ધા છે પણ હું મારાં પાપોને લીધે પશ્ચાત્તાપ કરી રહ્યો છું; જ્યારે મેં પિતે અગણિત જનોની આશાઓ નિષ્ફળ કરી છે ત્યારે અન્ય પાસેથી મારી આશાઓ પૂર્ણ થવાનો હું શી રીતે વિશ્વાસ રાખી શકું? જે થવાનું હોય તે થાઓ. મેં મારી જીવનનકા મૃત્યુના સમુદ્રમાં ધકેલી મૂકી છે........સલામ ! સલામ !!
चतुर्थ पत्र. કામબ! મારા હૈયાના હાર !..... હવે હું એકલે જાઉં છું. તારી નિરાધાર સ્થિતિને
For Private And Personal Use Only