________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩પર )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
આવી તેને સંબંધ આ શ્લેક સાથે છે. જે સેવક બની સેવાના સર્વ શુભ માને અંગીકાર કરવાને ઇરછે છે તેણે સ્વાત્માને એવું પૂછવું કે તેં મનુષ્યજન્મ ધારણ કરીને અદ્યપર્યન્ત ક્યાં ક્યાં શુભ અશુભ સ્વાર્થ અને પરમાર્થનાં કાર્યો કર્યા ! હે ચેતન ! હું અદ્યપર્યત હારા જીવનમાં શું શું કર્યું તેને વિચાર કર. ભૂતકાળમાં જે જે શુભાશુભ વિચારે કરેલા હોય તેની યાદી કર. ભૂતકાલમાં કરેલાં કૃત્યોની યાદી કરી જવાથી વર્તમાનકાલમાં જે જે કંઈ કરાય છે તેનો સુધારો થાય છે અને આત્મપ્રગતિ ત્વરિત થયા કરે છે. ભૂતwલમાં પ્રત્યેક પ્રાણી છે જે શુભાશુભ વિચારો અને આચાર સેવેલા હોય છે તેના વર્તમાનફલ તરીકે જ્યાં સુધી સ્વાત્માને અવલોકી શકતો નથી ત્યાંસુધી તે
મન્નતિના અગ્રસ્થાન પર રહી શકતો નથી. ભૂતકાલના કન્યાનું ફલરૂપ સ્વામાનું વર્તમાન પરિણમન છે. અતએ મનુષ્યભવની આ ક્ષણથી અદ્યપર્યત જે જે કાર્યો કર્યા હોય તેને વિચાર કરી જવાથી અશુભ વિચારો અને આચારોથી સ્વાભાને હડાવી શકાય છે અને શુભ વિચારવડે સ્વાભાને સંબંધિત કરી શકાય છે. અશુભ વિચારો અને આચાર જે જે ભૂતકાળમાં સેવ્યા હોય છે તે વર્તમાન અને ભવિષ્યમાં અશુભ અશાતાદિ કલ " આપ્યા વિના રહેતા નથી. તમે નારિત દિપ સામવ મોડ્યું, છ શુમાશુમન્ “કર્મથી છૂટે ન કય” ઈત્યાદિપોનો વિચાર કરવામાં આવે તે અવબેધાશે કે કૃત શુભાશુભ કર્મ ભેગવ્યા વિના છૂટકો થતો નથી. પૂર્વભવમાં જે જે શુભાશુભ કર્મોને કર્તવ્યપ્રવૃત્તિથી ક્ય હોય તેઓને વિશિષ્ટ જ્ઞાનીઓ જાણી શકે; પરંતુ વર્તમાન મનુષ્ય જીવનમાં જે જે આયુષ્ય ગયું તેમાં શુભાશુભ ક્યા ક્યા વિચારે અને આચારો કર્યા તેની તો યાદી કરી શકાય છે અને તેથી વર્તમાનકાલને સુધારી શકાય છે. જે મનુષ્યના હૃદયપટલ પર અજ્ઞાન અને મોહનું આરછાદન લાગી રહ્યું છે તેઓ ભૂતકાળમાં શું શું કર્યું તેને ખ્યાલ કરીને વિવેકપૂર્વક કર્તવ્યકાર્યનો વિચાર કરી શકતા નથી, તેથી તેઓ વર્તમાનમાં સ્વાત્માની વાસ્તવિક પ્રગતિ કરી શકતા નથી. ભૂતકાલમાં કૃતકને વિચાર કરીને વર્તમાનમાં સત્ય વિવેકને પ્રાપ્ત કરી અનેક મનુષ્ય આત્માની પરમાત્મદશાને પ્રાપ્ત કરી શક્યા છે. ભૂતકાળનાં કર્તવ્ય કાર્યોની યાદી કરીને અનેક મનુષ્યએ વર્તમાનમાં સ્વજીવન સુધાયું છે તેને આબેહુબ ચિતાર મહાપુરુષોનાં જીવનચરિતો વાંચવાથી અવબોધાઈ શકાશે. જેનદ્રષ્ટિએ પ્રતિકમણાવશ્યકમાં વાર્ષિક, ચાતુર્માસિક પાક્ષિક દૈવસિક અને ત્રિપ્રતિક્રમણમાં ભૂતકાલમાં કરેલા દેને નિજવામાં આવે છે અને રહેવામાં આવે છે અને પાપકર્મને પશ્ચાત્તાપ થાય છે અને વર્તમાનકાલમાં આત્માના વિચારો અને સદાચારો પ્રગટાવવામાં ઉત્તમ અસર થાય છે એમ પશ્ચાત્તાપદૃષ્ટિએ અવધવું. અશેકે પિતાની પૂર્વાવસ્થામાં જે જે કાર્યો કર્યા હતાં તેને તેણે વિચાર કર્યો અને તેથી તેણે ઉત્તરાવસ્થામાં ઉત્તમ સાર્વજનિક હિતકાર્યો કર્યા હતાં એમ અશક્યરિતપરથી અવધી શકાય છે. ઈલાચી
For Private And Personal Use Only