SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SE વિશ્વસેવક કયારે બની શકાય? ( ૩૪૭ ) કરવા માટે ઉપશમાદિ પ્રવૃત્તિ સેવી હતી. બૌદ્ધ જગતનું શ્રેયઃ કરવા ઉપદેશાદિ ધર્મેકપ્રવૃત્તિને સેવી હતી. શ્રી મહાવીર પ્રભુએ અનેક ભવ્યજીવોને તારવા ત્રીશ વર્ષ પર્યન્ત ભારતમાં ગામેગામ શહેર શહેર વિહાર કર્યો હતે; અને દેહોત્સર્ગસમયે પણ સેળ પ્રહર સુધી એક સરખે જ ઉપદેશ દીધો હતો અને પશ્ચાત શરીરનો ત્યાગ કરી સિદ્ધ બની સિદ્ધસ્થાનમાં સાદિ અનન્તમા ભાગે વિરાજમાન થયા. થીઓસોફીસ્ટ મંડળની અધિષ્ઠાત્રી મીસીસ એનીબેસન્ટ સેવાધર્મનો પ્રથમ સ્વીકાર કરવા માટે વારંવાર પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. સેવાયેગમાં પ્રવૃત્ત થઈ પરિપૂર્ણ પકવ થયાવિના જ્ઞાનયોગમાં ભક્તિયોગમાં અધ્યાત્મયોગમાં પરિપૂર્ણ સ્થિર થઈ શકાતું નથી. સેવાગ એ કારણ છે અને જ્ઞાનયોગ એ કથંચિત્ સાપેક્ષદષ્ટિએ કાર્ય છે. તેથી સેવાવિના જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી, વિનય બન્યા વિના ગુરુપદની પ્રાપ્તિ થઈ શકતી નથીએ જે અનાદિકાલથી કમ પ્રવર્યા કરે છે તે સહેતુક છે એમ અનુભવ કરતાં અવબોધાય છે. ગૃહસ્થોએ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે સેવાના માર્ગોમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગૃહસ્થોએ માતૃપિતૃસેવા વિદ્યાચાર્યસેવા દેવ ગુરુ અને ધર્મની સેવા ગુરુજનની સેવા વગેરે ગૃહસ્થગ્ય સેવા માટે યોગ્ય જે જે કર્મો હોય તેને આદરવાં જોઈએ. શિવાજીએ માતૃપિતૃસેવાર્થે આત્મભોગ આપવામાં યથાયોગ્ય પ્રવૃત્તિ કરી હતી, તેથી તે માતાની આશિષથી હિન્દુઓને ઉદ્ધારક બન્યું અને ‘શિવાજી નું હેત તો સુન્નત હેત સબકી વગેરે સ્તુતિગ્ય થે. સેવક બનવાથી આત્માની શક્તિના ખરેખર સ્વામી બની શકાય એવા માર્ગે પરિણમી શકે છે, અને તેથી અને સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે. જેના જેવા બનવું હોય તેની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિને આદરવી એ સેવકનું લક્ષણ છે. અને એવી સેવક પ્રવૃત્તિ આદર્યા વિના કેન્દ્રભૂત સ્વામીપદની પ્રાપ્તિ ન થાય એ બનવા ચગ્ય છેઃ અતવ પ્રત્યેક મનુષ્ય પ્રથમ સેવક બનવું જોઈએ. અર્થાત્ સેવાગ-પ્રવૃત્તિને સેવી સ્વકાર્યની સિદ્ધિ કરવી જોઈએ. સેવા એ જ સ્વર્ગ અને મોક્ષનું દ્વાર છે એમ નિશ્ચયતઃ અવધી પાઠશાલાઓ બંધાવવી; પઠન પાઠન કરાવવું. પ્રત્યેક મનુષ્યને ઉન્નતિના જે જે માર્ગો હોય તે પ્રતિ લઈ જવા અને તેઓના દુઃખના માર્ગોને ટાળવા એ જ સેવાધર્મ-તેમાં પ્રવૃત્ત થવાથી વિશ્વસેવક બની શકાય છે. જે મનુષ્ય સેવક બનીને જ્ઞાનમાર્ગ ગ્રહણ કરી ઊર્વાહ કરતાં કદાપિ પશ્ચાત પડી જાય છે, તે તેને પુનઃ ઉદ્ઘ ચઢાવવાને તેની ચારે બાજુએ હજારે સેવકે તૈયારી કરે છે; કારણ કે તે સેવા કરવાપૂર્વક ઊર્વ આરહ્યો હતો. જે મનુષ્ય સ્વાધ બનીને અન્યની સેવામાં બેદરકાર બનીને પરમાત્મપદ પ્રાપ્તિ માટે અથવા વિશ્વમાં સાંસારિક ઉચ્ચ પદવી પર ચઢવા પ્રયત્ન કરે છે, પરંતુ જો તે ત્યાંથી ટ્યુત થાય છે અર્થાતુ ભ્રષ્ટ થાય છે તે તાડ પરથી પડેલા મનુષ્યના જેવી તેની દશા થાય છે, અને તેને કઈ પડતાં ઝીલી શકવા સેવક હાજર રહેતું નથી. અતએ સાંસારિક વા ધાર્મિક For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy