SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - BE સેવક બન્યા વિના સ્વામી નથી થવાતું.. (૩૪૫), વિવેચન-આ લેકનું વિવેચન અનુભવગમ્ય કરવા યોગ્ય છે. યાવતુ અનુભવગમ્ય કઈ સ્વરૂપ થતું નથી તાવતું તેની પરિપૂર્ણ પ્રતીતિ થતી નથીઅને પ્રતીતિના અભાવે આત્મશ્રદ્ધાબલપૂર્વક તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી–એવો સાર્વજનિક સાક્ષરાનુભવ હોવાથી કર્તવ્ય કર્મ કરવામાં સ્વામી સેવકભાવને વિચાર કરી તેને નિર્ણય કરવાની આવશ્યકતા સ્વીકારવાની જરૂર છે અને તે આવશ્યકતાને અત્ર ઉપર્યુકત કદ્વારા ફેટ કરવામાં આવ્યું છે. પ્રથમ આ વિશ્વમાં કઈ સેવક યોગ્ય કર્તવ્યકર્મ કર્યા વિના સ્વામી બની શકતું નથી. જે શિષ્ય બની ગુરુની શિક્ષાપૂર્વક પ્રવર્તે છે તે શિક્ષક ગુરુ બની શકે છે એમ સર્વત્ર અનુભવાય છે. જે પ્રથમ સૈનિક બનીને સેનાનાં સર્વાગોને અભ્યાસ કરી પૂર્ણ વ્યવહુતિબંધને પ્રાપ્ત નથી કરી શકતો તે સેનાધિપતિ કદાપિ બની શકતો નથી. જે મનુષ્ય પ્રથમ પુત્રના ગુણે પ્રાપ્ત કરીને પુત્રની ફજેને અદા કરી શકતું નથી તે પિતાના ગુણોવડે પિતૃપદ પ્રાપ્ત કરવા અધિકારી બની શકતું નથી. જે મનુષ્ય અનુક્રમે કર્મકાદિ યોગ્ય કર્તવ્ય કાર્યો આગલ ઉચ્ચપદ પર અનુક્રમવડે આરહે છે, તેને પ્રાપ્તસ્થિતિપદથી અધઃપાત થતો નથી. ઈત્યાદિ દો દ્વારા અબોધવાનું કે પ્રથમ કર્મયોગ સેવી કર્મયોગી બન્યા પશ્ચાત્ સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે. જે સ્ત્રી વધુ તરીકે સ્વકર્તવ્યકર્મો કરવાને યોગ્ય બની નથી, તે ધશ્ર તરીકેની સ્વકર્તવ્ય ફરજ અદા કરવાને ખ્ય અધિકારિણી બની શકતી નથી. જેનામાં પુત્રીના ગુણો આવ્યા નથી અને જે પુત્રીપદગ્ય કર્તવ્ય કર્મોથી પશ્ચાતું રહે છે તે માતા બનીને માતૃપદ શોભાવવા લાયક બની શક્તી નથી. જેનામાં પ્રજાના ગ્ય ગુણે ઉત્પન્ન થયા નથી અને જે પ્રજાગ્ય ફરજો અદા કરવાને અધિકારી બન્યા નથી તે રાજ્યપદને ગ્ય બની શકતો નથી. અતએ પ્રત્યેક મનુષ્ય વ્યષ્ટિ અને સમષ્ટિની સેવા કરવાને પ્રથમ સેવક બનવું જોઈએ. હાથ, પગ, પિટ શીર્વ વગેરેને આધાર જેમ પદ છે, તેમ વ્યક્તિ અને સમદિની પ્રગતિને આધાર સેવક છે. પિતાના પગ પર ઉભે રડીને મનુષ્ય સર્વ કાર્યો કરી અગ્રપ્રગતિમાન બની શકે છે; તેમ વ્યષ્ટિ અને સમષ્ટિની ઉન્નતિ કરવાને પ્રથમ સેવક બન્યા વિના કેઈન છુટકારો થતું નથી. કેમે ક્રમે અગ્રપદની પ્રાપ્તિ થાય છે. જે નિઃસરણિના પ્રથમ પગથીયાપર પદ મૂકે છે તે બીજા ત્રીજા ચેથા અને પાંચમાદિ સર્વ પગથીયાંઓને ઉલ્લુઘી યથેષ્ઠ માળપર ચઢી શકે છે; પરનું અનુક્રમે પગથી પર આરહ્યા વિના કેઈ માળપર ચઢી શકતું નથી. તદ્રત આ વિશ્વમાં પ્રથમ સેવક બન્યા વિના કે સ્વામી બની શકતું નથી એમ સર્વત્ર અનુભવ કરતાં ઉપયુંકત કભાવને અનુભવ પણ હૃદયમાં ઝળકી ઉઠશે. આત્મામાં પરમાત્મા છે પરંતુ તે અનુક્રમે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણ ધ્યાન અને સમાધિથી પ્રકટ થાય છે. મિત્રા, ‘તારા, બલા, ઢીપ્રા "સ્થિરા, For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy