SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલકાચાર્યની પ્રતિજ્ઞા. ( ૩૪૧ ) માંહોમાંહે પુટ થવાથી તે હાર્યો. અને તેની સ્ત્રીને અલ્લાઉદ્દીન લઈ ગયે અને પિતાની બેગમ બનાવી. આ ઉપરથી પ્રત્યેક મનુષ્યને સમજણ મળે છે કે સૂક્ષ્મ પગદૃષ્ટિવાળા મનુષ્યની સમ્મતિને જે તિરસ્કાર કરે છે તે કરણઘેલાના જેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે અને તે પોતે એકલો પતિત દશા પામતો નથી, પરંતુ પિતે અને પોતાના આશ્રિતોનીકુટુંબની પડતી દશા કરવામાં નિમિત્તકારણ બને છે. પુરુષોની સલાહની અમૂલ્ય કિસ્મત છે તેથી તેઓની વારંવાર સ્વકર્તવ્ય કાર્યો કરવામાં સૂચના–સલાહો પૂછવાની જરૂર છે. પુરુષોની સલાહથી રાજ્ય સુધરે છે, પાઠશાલાઓ સુધરે છે, વ્યાપાર સુધરે છે, સૈનિકપ્રગતિ સુધરે છે, સેવાધર્મોનાં અંગે સુધરે છે અને ધાર્મિક અંગો સુધરે છે. સભાઓ સંધ મહાસંધ પરિષદ્ કેન્ફરન્સ અને કોંગ્રેસ વગેરેમાં પુરુષોના અભિપ્રાયે જે જે મળે છે તે તે સમ્મતિ અવધવી અને તે રીતે બહુ સમ્મતિપૂર્વક એક કાર્ય કરવાને નિશ્ચય કરવામાં આવે છે. કાલિકાચાર્યની બેન અત્યંત રૂપવતી સાઠવી સરસ્વતી હતી. એક વખત કાલિકાચાર્ય વિહાર કરતા કરતા ઉજજયિની નગરી બહાર ઉદ્યાનમાં પધાર્યા, અને અનેક લોકોને ઉપદેશ દઈ સુધારવા લાગ્યા. કાલિકાચાર્યની બેન સરસ્વતી સાધ્વી એક વખત ત્યાંના ગર્દ ભિલ્લરાજાની દૃષ્ટિએ દેખાઈ. રાજાએ કામાતુર થઈને તેને જનાનખાનામાં પકડી મંગાવી તેથી સર્વ માલવદેશમાં હાહાકાર થઈ રહ્યો. માલવ વગેરે દેશના સંઘએ અત્યંત દિલગીરી જાહેર કરી તેની અસર કામાતુર ગર્દભિલ્લને થઈ નહિ. કાલિકાચાર્ય પતે રાજાની પાસે ગયા પણ રાજા કામા હોવાથી તેને ઉપદેશ લાગે નહિ. અવન્તીદેશ-માલવદેશના મહાજને રાજાની પાસે ગમન કરીને રાજાને અનેક યુક્તિ દ્વારા સમજાવ્યું પણ કામાન્ય ગર્દભભિલ્લને તેની અસર કંઈપણ થઈ નહિ; ઉલટું તેણે માલવદેશના મહાજનનો તિરસ્કાર કર્યો; આથી માલવદેશના મહાજનની રાજા ઉપરથી પ્રીતિ ઉઠી ગઈ અને તેના વિરુદ્ધ દેશ થઈ ગયે. કાલિકાચાર્ય વેષ બદલીને ઈશન ગ્રીક વગેરે દેશમાં ગયા અને ત્યાંના રાજાઓને અનેક ચમત્કારથી સ્વવશ કર્યા અને તેઓને માલવદેશ જીતવા સમજાવ્યું. તેઓએ સિધદેશ અને દરિયામાવલ્લભી સેરઠ વગેરે દેશ પર સ્વારીઓ કરી. લાટદેશનું પ્રધાનનગર ભરૂચ વગેરે જીતીને શક લોકોએ માલવદેશના રાજાની સાથે યુદ્ધ કરી તેને પકડી લીધો અને સરસ્વતી સાધ્વીને છોડાવી. તે પુનઃ સાવી થઈ. પશ્ચાતું ગભભિલ્લની ગાદી પર વિક્રમરાજા થયે. તેણે કોને હરાવ્યા અને પિતે માલવદેશનું નીતિથી મહાજનની સમ્મતિપૂર્વક રાજ્ય કરવા લાગે. ગર્દભભિલ્લરાજાના સમયમાં શર્કની સ્વારીઓ આવી તે વિક્રમોર્વશીય નાટકની પ્રસ્તાવના કલાભાઈકૃત તથા રા. કેશવલાલકૃત પ્રસ્તાવના પરથી સમજાય છે. ગર્દભભિલે જે પુરૂષોની સમ્મતિ માન્ય કરી હોત તો તેની પતિત દશા થાત નહિ. કરણઘેલે, ગર્દભભિવ્ર વગેરે હિન્દરાઓએ અત્યાચારથી ભારતની પતિતદશા For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy