SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૦ ) શ્રી ક્રમ ચૈાગ ગ્રંથ-સવિવેચન. સલાહ લેવી એ સત્પુરૂષોની સન્મતિ અાધવો. પાંડવા તરફથી દુર્ગંધનની પાસે કૃષ્ણ ગયા હતા અને કૃષ્ણે પાંડવાની સાથે યુદ્ધ કરવામાં આર્યાવર્તની પડતી છે, લાખા મનુષ્યેાના નાશપૂર્વક તમારા નાશ છે અને તેથી સલાહશાંતિથી તમારે વર્તવું જોઇએ ઇત્યાદિ શુભસમ્મતિ-સલાહ આપી પરંતુ દુર્યોધને કૃષ્ણની સમ્મતિને હસી કાઢી અને ઉલટુ કૃષ્ણને કેદખાનામાં નાખવા વિચાર કર્યાં; તેથી અન્તે મહાભારત યુદ્ધ શરૂ થયું; તેમાં અન્તે કૌરવા હાર્યાં, અઢાર અક્ષોહિણી સૈન્યને નાશ થયા અને પાંડવા રાજ્યગાદી પર ખેડા. સત્પુરુષ એવા કૃષ્ણની સમ્મતિ ન માનવાથી કોરવાને નાશ થયા. જ્યારે ગુજરાજાએ દક્ષિણના તૈલપરાજા સાથે યુદ્ધ આરંભ્યુ. ત્યારે ગુજરાજાના પ્રધાને મુંજરાજાને તૈલપની સાથે યુદ્ધ કરવાની સમ્મતિ ન આપી અને યુદ્ધના નિષેધ ાઁ. પ્રધાને મુજને અનેક હેતુપૂર્વક યુદ્ધ ન કરવા ભલામણ કરી, પરંતુ તેને સુંજરાજાએ તિરસ્કાર કર્યાં તેનું પરિણામ એ આવ્યું કે તે યુદ્ધમાં હાર્યાં અને પકડાયા; તેને તૈલપરાજાએ કેદખાનામાં નાખ્યા. મુંજના પ્રધાનાએ ગુજરાજાને કેદખાનામાંથી છોડાવવા માટે નગરની બહારથી તે ઠેઠ કેદખાના સુધી સુરગ ખાદી અને કોઇને કશ્યાવિના તરત નગરબહાર સુરંગદ્વારા આવવા જણાવ્યું. મુંજા પ્રેમ કેદખાનામાં આવનાર તૈલપની એન સાથે બંધાઈ ગયે હતા તેથી તે તેને લઇને સુરંગદ્વારા બહાર આવવાના નિશ્ચય કરી તૈલપની બેનને સ વાત કહી દીધી; તેથી સુરગની વાત તેલપરાજાએ જાણી લીધી અને મુજને પકડી ઘેર ઘેર ભીખ મંગાવ્વાની પ્રવૃત્તિ કરી અને ભીખ મંગાવીને અન્તે ગુજરાજાનું શિરઃ દી નાખ્યું. સુરંગથી અહાર આવવાની વાત કાઇને પણ ન કહેવી એવી પ્રધાનેાની સમૃતિને પણ મુંજે ન માની તેથી તે ભૂંડા હાલે માઁ. તેણે પ્રધાનોની સમ્મતિ સિવાય યુદ્ધ કર્યું અને સુરગની વાત પણ વિષયપ્રેમના પાશમાં પડી તૈલપની બેનને કહી દીધી તેથી તે બે સ્થાને સત્પુરૂષેાની સમ્મતિથી ભ્રષ્ટ થઈ મૃત્યુ શરણ થયેા. આ ઉપરથી સાર એ લેવાના છે કે પોતાના કરતાં વિશેષ બુદ્ધિવાળા મધ્યસ્થ સત્પુરુષોની કન્યકાર્ય માં સલાહ-સમ્મતિ લેવાની પ્રત્યેક મનુષ્ય આવશ્યકતા સ્વીકારવી જોઇએ અને સમાપયોગવિદે કાર્ય કરવાં જોઈએ કે જેથી કાઈ તની ગલત થઈ શકે નહિં. કરણઘેલાએ માધવ પ્રધાનની સ્ત્રીને અનાનખાનામાં નાખી દીધી. તેને પાછી માધવ પ્રધાનને સોંપવા માટે માધવ પ્રધાને અનેક યુક્તિયેાથી સમજાવ્યે તથા પાટણના મહાબુદ્ધિવાળા મહાજનના મર્ચગણ્ય શેઠીયાએએ કર્ણ ઘેલાને અનેક રીતિએ સમજાવ્યો અને માધવની સાથે સલાહ કરવાનું કથ્યું; પરન્તુ રાજઃ બાળહુડ યોગીહઠ અને સ્ત્રીહડમાંની રાજાને તાબે થઈ મહાજનની સમ્મતિને તિરસ્કાર કર્યો અને માધવ પ્રધાનને તિરસ્કાર કર્યા; તેથી પ્રધાને દિલ્હી જઇ કરણઘેલાની સાથે યુદ્ધ કરવા અલાઉદ્દીન બાદશાહની સાથે ગાડવણ કરી. અન્તે દિલ્લીના અઠ્ઠાઉદ્દીન બાદશાહની સાથે યુદ્ધમાં લડતાં તેના અવિચારી સ્વભાવને ીધે For Private And Personal Use Only iL
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy