SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૬ ). શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. નહિ; નેપોલિયન બોનાપાર્ટ ટ્રાન્સની સ્વતંત્રતા કર્યા બાદ સૂપયોગ દષ્ટિવડે સર્વ રાજ્યની સાથે સલાહ શાંતિ સંબંધ રાખીને કાન્સની પ્રગતિ તરફ અને સ્વકર્તવ્ય તરફ લક્ષ દીધું હોત તો છેવટે તેની અવદશા થાત નહીં. ઈંગ્લાડના રાજા સર ચાર્લ્સ પાર્લામેન્ટની સાથે સૂમપયોગ દષ્ટિવડે જે સંબંધ ઘટે તે રાખે હોત તો પ્રજાની સામે યુદ્ધ કરીને તેમાં તેને પિતાને શિરછેદ કરાવવાનો પ્રસંગ આવત નહિ. સૂમે પગ દષ્ટિ વિના કર્તવ્ય કાર્યોમાં થતી ભૂલથી પિતાની અને જગની અત્યંત હાનિ થાય છે એવું ઉપર્યુક્ત દેખાતેથી ખાસ અવબોધાય છે. રેમને રાજા ટાર્ટવીન ધીપ્રાઉડે સ્વ કર્તવ્ય કાર્યો કરવામાં સૂક્ષ્મ પગ દૃષ્ટિ વિના ઘણી ભૂલો કરી હતી, તેથી તેણે સ્વપ્રજાની અરુચિ હારી લીધી હતી અને તેથી તેના સામી તેની પ્રજા થઈ હતી. તથા રાજ્યગાદીપરથી તેને બંડ કરી ઉઠાડી મક હતે. ઈરાન હાલ સ્વતંત્ર થયું તે વખતે પૂર્વના રાજાએ સૂપગ દૃષ્ટિથી કર્તવ્ય કાર્યોની નિરીક્ષા કરી નહિ તેથી તેણે સમયસૂચકતાને ગુમાવી અને રાજ્યથી પદભ્રષ્ટ થશે. પ્રત્યેક કર્તવ્ય કાર્યની ચારે બાજુઓની સૂપયોગ દૃષ્ટિથી તપાસ કર્યા વિના અનેક પ્રકારની ભૂલ થાય છે અને તેથી પ્રમાદ વધતું જાય છે તેથી પ્રતિપક્ષીઓ કર્તવ્ય કાર્યોમાં છિદ્ર દેખીને સામાં પડી સ્વબલને ક્ષય કરવા પ્રવૃત્તિ કરે છે. જૂનાં પટ્ટાવલીનાં પત્રાનુસારે કથાય છે કે સૂપગ દૃષ્ટિ વિના ખરતગછ અને તપાગ છે પરસ્પર સ્વપરની હાનિ કરતા સાધુઓને નાશ કરવાની વૃત્તિ સેવવા પ્રયત્ન કર્યો હતો, તેથી વૈષ્ણવ મતના વલ્લભાચાર્યો લાખો જૈન વણિકોને વૈષ્ણવ બનાવ્યા હતા. સૂપગદષ્ટિથી કર્તવ્યની શુભાશુભ બાજુએ અવલોકી શકાય છે. શ્રીવિયસેનસૂરિના સમયમાં યતિમાં પરસ્પર અભિમાન દેવ ઈર્ષ્યા નિન્દા અને કલહથી વિરોધ ઉત્પન્ન થયે અને વિરોધના પરિણામે યતિની આધ્યાત્મિક ગુણ ભાવના ઘટવા લાગી અને પંન્યાસ શ્રીસત્યવિજયજીથી તે સમયમાં નીકળેલ સંવેગ પક્ષની શતકે શતકે ઉન્નતિ થવા લાગી અને જૈનોમાં યતિ અને સંવેગી સાધુએની જે સ્થિતિ થઈ તે સર્વ જૈનો જાણી શકે છે. ભારતમાં જે જે રાજાઓ થઈ ગયા તેઓએ સૂમેપગદૃષ્ટિથી ભારતની પ્રગતિ થાય એવા ઉપાય સંબંધી ખાસ ચર્ચા ઉઠાવી નથી. હિન્દુસ્થાનના સંબંધી બાબર પોતાની નોંધપોથીમાં લખે છે કે હિન્દુસ્થાન રાજાઓ આલસુ છે. તેઓ સ્વદેશ ઇતિહાસ જ્ઞાન મેળવવા માટે પરસ્પર સંપીને સ્વદેશનું રક્ષણ કરવા માટે બેદરકાર છે. હિન્દુસ્થાનના લાકે શારીરિક બળમાં પશ્ચાતું છે અને તેઓ પરસ્પર એકબીજાને સાહાસ્ય આપીને સ્વાસ્તિત્વ રક્ષણ કરવું એવા વિચારોવડે સંધબલ ઉત્પન્ન કરવાની શકિતથી અજાણ છે. બાબરનો મત ખરેખર કેટલેક અંશે સત્ય છે. સૂમેપગ દષ્ટિ વિના હિન્દુસ્થાનના લેકેએ કુસંપ વૈર આલસ્ય, અનુઘમ-મજશેખ-અભિ માન-ઈર્ષા–નિન્દા અને શોધક બુદ્ધિ વિના ઘણું ખોયું છે. હિન્દુસ્થાનના લોકોએ સૂમેપયોગદૃષ્ટિથી સ્વકર્તવ્ય કાર્યોને નિરક્યાં નહિ તેથી તેઓની ભૂલો તેઓને દેખાઈ નહિ, અને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy