________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૨ )
શ્રી કયાગ ગ્રંચ–સવિવેચન.
થવા દેવી નહિ. નામરૂપના સંબંધને લઇ પુણ્યયેાગે યશ કીર્તિ અને પાપાયે અપકીર્તિ વગેરે થાય છે, પરંતુ આત્મામાં નામરૂપ ન હાવાથી તે બન્નેથી ભય પામવાનુંકાઈ કારણુ નથી. કર્મ એ વસ્તુતઃ આત્મા નથી અને કર્મથી ભય પામવા એ આત્માના ધર્મ નથી; અતએવ ક સંબંધે ઉઠેલ નામરૂપ પ્રપંચાદિથી કદાપિ ભીતિ ધરવી નહિ. શુ આકાશ કોઈનાથી આવે છે? ના. તેમ ત્હારૂં પણ આકાશવત્ નિત્ય અને નિરાકાર આનન્દરૂપ છે તે હારે શા માટે બીવું જોઇએ. ત્હારૂં નિર્ભય સ્વરૂપ છે. ત્હારા આત્માના એક પ્રદેશના કાઇ નાશ કરે એવા કેાઈ જડ પદાર્થ નથી અને જે આત્માએ છે તે સ્વાત્મા સમાન છે. તેઓ સદા સ્વાત્માની પેઠે નિર્ભય અને આનન્દસ્વરૂપ છે. જન્મ જરા અને મૃત્યુની કલ્પનાના ત્યાગ કરીને આત્માને નિર્ભય ભાવવા જોઈએ. જે જે વસ્તુ નષ્ટ થાય છે તે તે વસ્તુ આત્મા નથી એવા પરિપકવ દૃઢ અનુભવ કરીને આત્માનુ નિત્યરૂપ અનુભવવું જોઇએ અને કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્ભય અને નિત્યરૂપ આત્માને માની પ્રવતવું જોઇએ. તથા ભયની પનેાતીને પગ તળે કચરી નાખવી જોઇએ. આત્મા નિત્ય અવિનાશી છે, અજ છે, અખડ છે, અદ્ય છે, અભેદ્ય છે અને નિર્ભય છે એવા એક વાર અનુભવ આવતાં માયા-પ્રપંચથી દીન બની ગયેલ આત્મા તે સ્વસ્વરૂપનું જ્ઞાન કરીને કર્મના દોષો જીતીને જિન અને છે. જેઆ દ્રવ્યથી જિન હેાય છે તે ભાવથી જિન થાય છે. આત્મા સ્વયં બાહ્ય વિશ્વપર જય મેળવી શકે છે. આત્મા નિત્ય છે એવુ અનુભવગમ્ય થતાં આત્મા જિન થવાથી ઉચ્ચ શ્રેણિપર ક્રમે ક્રમે કર્તવ્ય કાર્યાં કરતો કરતા આરહે છે. નામરૂપના સંબંધે માહની વૃત્તિયોનું અન્તરમાં ઉત્થાન ન થવા દેવું એજ આન્તરિક જિન થવાના મુખ્યેાપાય છે. આવી રીતે જિન થવાની ક્રમણિપર આરેહવુ હોય તો આત્માને નિત્ય અને નિર્ભયરૂપ અનુભવી કર્તવ્ય કાર્યાં કરવાં જોઇએ. આત્માને નિત્ય નિભૅયરૂપ માનીને સર્વ પ્રકારની ભય વૃત્તિયાને આત્મજ્ઞાનમાં ભસ્મીભૂત કરી નાખ ! ! ! અને અનેક દેવે ત્હારી સામા આવીને કન્યા કાર્યથી પરાઙમુખ કરવા તને ભય પમાડવા પ્રવૃત્તિ કરે તા પણ તેને આત્મરૂપ માનીને તેનાથી જરા...માત્ર ભય ન પામ ! ! ! શ્રીવીરપ્રભુના આનન્દાદિશ્રાવકને દેવતાઓએ ભય પમાડવા અનેક પ્રકારની પ્રવૃત્તિયેા કરી પરંતુ તે ભય પામ્યા નહીં ત્યારે દેવતાએ તેની આત્મદશાથી પ્રમુદ્રિત બન્યા અને શ્રીવીરપ્રભુએ સમવસરણમાં તેઓની પ્રશંસા કરી. શ્રીનમિરાજર્ષિને ચારિત્રમાર્ગ માંથી ચલાવવાને માટે ઇન્દ્રે તેમની નગરી અને રાણીઓને બૂમ પાડતી દેખાડી અને નિમે રાજને કહ્યું કે ચારિત્ર્યના ત્યાગ કરીને તમે રાણીઓને બચાવ કરો. તમારૂં સર્વ બળી ભસ્મસાત્ થઇ જાય છે તેનું રક્ષણ કરો, રક્ષણ કરા– ઇત્યાદિ અનેક પ્રકારે તેમને ચારિત્ર ભાવમાંથી ચળાવવાને વચને કથ્યાં; પરન્તુ નમિરાજર્ષિ સ્વકર્તવ્ય ચારિત્રારાધનમાંથી જરા માત્ર ચલાયમાન ન થયા અને ઉલટુ કથવા લાગ્યા કે
For Private And Personal Use Only