________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહં મમત્વના સંસ્કારને ત્યાગ.
( ૩૨૯ )
પણ સત્તાએ નિઃસંગભાવનાથી નિઃસંગ બને. આત્મજ્ઞાની કરડે મનુષ્યના સમાગમમાં આવતાં છતાં આત્માની નિઃસંગભાવનાથી નિઃસંગ રહી શકે છે અને તેથી જગની અશુભ અસર તેના પર થતી નથી. શુભાશુભને મનની સાથે સંગ માનવાથી મનના ઉપર ઘણી અસર થાય છે અને તેથી મનુષ્ય જીવતાં છતાં પણ મૃતકના જેવો બની નિરાનન્દમય બની જાય છે. અગ્નિથી સર્વને નાશ થાય છે પણ જે અગ્નિને સમ્યગૂ ઉપગ કરી જાણે છે તે અગ્નિને સ્વાયત્ત કરી શકે છે અને તેનાથી નાશ પામતો નથી, તદ્વત્ વિશ્વ વર્તિ સર્વ વસ્તુઓના સંબંધમાં બાહ્યતઃ આવવા છતાં અન્તરથી નિઃસંગ રહેતાં બાહ્ય વસ્તુઓથી મન વગેરેને હાનિ કરી શકાતી નથી. જલમાં અનેક મનુષ્ય ડુબી મરણ પામે છે પરંતુ જે જલને ઉપયોગ કરી જાણે છે અને જલને તાબામાં લઈ તેનાથી અનેક કાર્યો કરી શકે છે તે કંઈ જલથી નષ્ટ થતું નથી; ઉલટું આત્મપ્રગતિથી ઉચ્ચ બને છે. સુખપ્રદ વાયુને ઉપયોગ કરીને તેને વાપરવાથી શરીરાદિકને નાશ થતો નથી પરંતુ શરીરાદિનો ઉપગ્રહ થાય છે. વાયુને સંગ થવા માત્રથી જે તેને ઉપયોગ કરી જાણવામાં આવે છે તો શરીરાદિકને હાનિ પહોંચતી નથી તદ્રત અનેક બાહ્યપદાર્થો હોય તેપણ તેથી આત્માને શું ? આકાશમાં અનન્ત પદાર્થો રહ્યા છતાં જેમ આકાશને કઈ જાતની હાનિ પહોંચતી નથી તેમ આત્માની સાથે બાહ્યશરીરે અનેક પદાર્થોને સંબંધ થાય તો પણ તે પિતાના નથી એવો એક વાર નિશ્ચય થયા પશ્ચાત્ તે પદાર્થોને બાહ્યતઃ સંગ હોવા છતાં આત્મા નિઃસંગ રહે છે. સ્થલભદ્ર મુનિવરે એક વાર નિશ્ચય કરી લીધે કે આત્માના શુદ્ધાનન્દાદિક ગુણોમાં જ્ઞાનમસ્તીથી રમવું એ બ્રહ્મચર્ય છે, પશ્ચાત્ તે કશા વેશ્યાને ત્યાં રહ્યા તો પણ અને અનેક પ્રકારની રસવતી જમ્યા છતાં તેમને કઈ પણ પ્રકારની મૈથુનેચછાની વૃત્તિ થઈ નહિ. જડપદાર્થોથી દૂર ભાગી ભાગીને ક્યાં જઈ શકવામાં આવશે?
જ્યાં જવાનું થશે ત્યાં બાહ્યપુગલોને તે સંબંધ થવાનેજ-તેથી સંબંધમાં આવ્યા વિના તો છૂટકો થવાનું નથી. બાહ્યપદાર્થોના સંબંધમાં રહ્યા છતાં બાહ્યપદાર્થોના સંગથી આત્મામાં શુભાશુભભાવના પ્રકટે નહિ એવી નિઃસંગદશા પ્રાપ્ત કરવાની જરૂર છે. બાહ્યજડ પદાર્થો પિતાના આત્મા પર સામ્રાજ્ય ભોગવે તો અવબોધવું કે નિઃસંગતા પ્રાપ્ત થઈ નથી. બાહ્યજડપદાર્થોના સંબંધમાં સંગમાં છતાં પણ તેના પર આત્મા આધિપત્ય મેળવે તો નિઃસંગતા પ્રાપ્ત થઈ એમ અવબોધવું. બાજીગર ઈન્દ્રજાળના પદાર્થો પર શુભાશુભભાવ અર્થાત્ હર્ષ શેક સુખદુઃખપ્રદ ભ ધારણ કરતું નથી તેથી તે ઈન્દ્રજાળવડે આજીવિકા ચલાવે છે છતાં ઈન્દ્રજાળથી નિઃસંગ રહી શકે છે. એકરાજાને ષટખંડનું રાજ્ય છતાં અન્તરથી તેમાં રાગદ્વેષની વૃત્તિથી સંબંધ નથી તે બાહ્યસંગ છતાં પણ નિઃસંગ છે અને એક ભિક્ષુક બાહ્યથી નગ્નાવસ્થામાં છતાં રાજ્યસંપદાદિને ઈચ્છક
For Private And Personal Use Only