SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org 師 નિદા સહન કરવા બળ પ્રાપ્ત કરવુ. ( ૩૨૭ ) કરવી—એવા સદુપદેશ આપ્યા હતા અને પશુઓની હિંસા અટકાવી હતી. ગૌતમબુદ્ધે સર્વ જીવાનુ શુભ કરવું એવી શુભભાવનાના ઉપદેશ આપ્યા હતા અને યજ્ઞમાં થતી પશુઓની હિંસા અટકાવી હતી. શંકરાચાર્યે જ્ઞાનમાર્ગનો સ્વીકાર કરીને સર્વ જીવાને બ્રહ્મ-આત્મારૂપ એક માનીને ભેદભાવનાનો ત્યાગ કરવા માટે ઉપદેશ આપી સર્વ જીવેામાં, સર્વ પ્રાણીઓમાં બ્રહ્મ દેખવું અને તેને પૂજવુ-હર્વ ર્થાત્ પ્રશ્ન ઇત્યાદિ શ્રુતિયાના અદ્વૈત બ્રહ્મવાદ પર અર્થ ઉતાર્યાં હતા. સર્વ જીવોમાં સત્તાએ એક સરખુ બ્રહ્મ દેખ્યા પશ્ચાત્ કાઈ જીવનું અશુભ કરવાની વૃત્તિ રહે નહિ અને સર્વ જીવોનું શુભ કરી શકાય એવા ઉચ્ચ આધ્યાત્મિક ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પત્તે આયા એ સૂત્રની અપેક્ષાએ સર્વ જીવામાં પરમાત્મત્વ અવલાકવું એવા શ્રીવીરપ્રભુએ ઉપદેશ આપીને શુભકાયેર્યાં કરવાની દિશા દર્શાવી છે. આત્મા પ્રતિ અને સર્વ વિશ્વવર્તિજીવા સંબધી જે જે શુભકાર્યાં સ્વાધિકારે કરવાનાં હોય તે અવશ્ય આત્મભાગ આપીને કરવાં જોઈએ. સાર્વજનિક હિતકારક શુભકાર્યાં કરવાથી અવશ્યમેવ આદર્શ પુરુષત્વ પ્રાપ્ત થાય છે. આત્મામાં કાર્ય યોગીના ગુણ્ણા ઉત્પન્ન કરીને શુભકાર્યોં કરવાથી પોતાનું અનુકરણુ ખરેખર અનેક રીતે જગત્ કરે છે. શ્રીમહાવીરપ્રભુ, ગૌતમબુદ્ધ વગેરેનું અનુકરણ જેમ વિશ્વ મનુષ્યા કરે છે તેમ શુભકાર્યોં કરવાથી પર્વતની ગુફામાં સંતાઇ જવામાં આવે તેપણ શુભકાર્યાં કરીને આદ્યપુરુષ બનવાથી તે આત્માનું અનુકરણ અન્ય મનુષ્યા કરે છે. સ્વયં શુભકાર્યાં કરીને અન્યને શુભકાર્યોંમાં પ્રવૃત્ત થવાને પ્રેરણા કરવામાં આવે છે તો તેની અસર તુરત અન્યલેાકેા પર થાય છે. સંવત્ ૧૯૪૮ ની સાલમાં વિજાપુરના તલાવને ખેાદાવવાનો પ્રસંગ ત્યાંના વહીવટદારે વિચાર્યાં અને સવ લેાકેાને ભેગા કર્યાં. તલાવ ખાઢવા માટે વહીવટદારે પ્રથમ પ્રવૃત્તિ કરી અને માટી ખેઢી ટોપલી ભરીને પેાતાના મસ્તક પર ઉપાડી તેથી અન્ય ગૃહસ્થાએ, અને સામાન્ય લેાકેાના ઉપર ઘણી અસર થઈ અને સર્વ લેકે તલાવ ખાઢવા ખાદાવવાના કાર્યમાં પ્રવૃત્ત થયા અને તેમાંથી એક જૂના વખતનો પત્થરનો કુંડ મળી આવ્યે. નર્દિષણમુનિએ શ્રીવીરપ્રભુની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પરન્તુ ભોગાવલી કર્મના ઉદયથી તેમને વેશ્યાના ઘેર વસવું પડયુ તેમ છતાં તેઓ દરરોજ દશ મનુષ્યને વૈરાગ્યનો બાધ આપી દીક્ષા અંગીકાર કરાવતા હતા. એક વખતે એક સોનીને ઉપદેશ આપતાં સનીએ નર્દિષણને કહ્યું કે હને જ્યારે તમે દીક્ષા લેવાનો ઉપદેશ આપે છે! ત્યારે તમે કેમ દીક્ષા અંગીકાર કરતા નથી ? શ્રી નર્દિષેણે પશ્ચાત્ દીક્ષા અંગીકાર કરી. આ ઉપરથી અવધવું કે મનુષ્ય પાતે જ્યારે પ્રથમ શુભકાર્યાં કરે છે ત્યારે તેની અસર અન્ય મનુષ્યપર થાય છે અને તેથી તે આદ્યપુરૂષ બનીને અન્ય મનુષ્યને શુભકાર્યમાં પ્રવર્તાવી શકે છે. શુભકાર્યની કથની કરવા કરતાં શુભકાર્યો કરી બતાવવાં એ અનન્તગુણ ઉત્તમકાય છે. કોઇ પુરુષના કથન કરતાં જનસમાજને તેના વનની અનન્તગણી અસર થાય છે. પ્રેસર રામમૂર્તિ સેન્ડો શરીરે મહા અલવાન્ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy