________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સાહથી કાર્ય સિદ્ધિ.
( ૩૨૩)
થવાની અત્યંત આવશ્યકતા સિદ્ધ કરે છે. કેઈ મનુષ્ય પિતાના શરીરની છાયાને પકડવા કરોડગણે પ્રયત્ન કરે અને છાયાની પાછળ દોડે તેથી છાયા કદાપિ ઝાલી શકશે નહિ, પરંતુ તે મનુષ્ય સૂર્યના સન્મુખ દોડશે તે છાયા તેની પાછળ દોડતી દોડતી ગમન કરતી જણાશે. એ દષ્ટાન્તથી અવધવાનું કે કીર્તિ પ્રતિષ્ઠા લક્ષ્મી સત્તા સુખ એ સર્વની પાછળ દોડવાથી તે પ્રાપ્ત થતાં નથી પરંતુ જ્યારે મનુષ્ય પરમાત્માના સદ્ગણોની પ્રાપ્તિ કરવા માટે જ્યારે શુભકાવડે પરમાત્મા રૂપ સૂર્યના સન્મુખ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને લક્ષમી સત્તા અને સુખની સહેજે પ્રાપ્તિ થાય છે. સત્કાર્યો કરવાની પાછળ દોડે એટલે લક્ષ્મી કીતિ વગેરે તમારી પાછળ દોડતી માલુમ પડશે. સવિચારો અને સત્કાર્યોમાં દરરોજ પ્રવૃત્ત થયેલ મનુષ્ય સન્માર્ગપ્રતિ ગમન કરી શકશે. સત્કાર્ય કર્યા વિના કદાપિ વિશ્વમાં ઉરચ થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે જે આદર્શ પુરુષ તરીકે વિશ્વમાં ગણાય છે, તેઓએ પ્રથમ સત્કાર્યમાં સ્વાર્પણ કરીને પ્રવૃત્તિ કરી હતી. શુભવિચારો અને શુભ કાર્યોમાં એટલા બધા ગુંથાવું જોઈએ કે ગમે તેવા અશુભ સંગમાં પણ અશુભ વિચાર અને અશુભાચારની પ્રવૃત્તિ કરવાનું ધાર્યા છતાં પણ થઈ શકે નહિ. અશુભ વિચારે સ્વમતમાં દરરોજ કેટલા આવે છે અને કેટલા જાય છે, તેના ઉપર જ્યારે સૂપયોગથી જેવામાં આવે છે ત્યારે સ્વાત્માની કઈ દશા છે તેનો ખ્યાલ આવી શકે છે અને અશુભ વિચારોનો પરિહાર થઈ શકે છે. માતપિતાની ભક્તિમાં શ્રવણ આદર્શપુરૂષ થઈ ગયો તેનું ખરેખરું કારણ તેના માતપિતાની ભક્તિના શુભ વિચારો અને શુભાચારો હતા. માતૃપિતાની ભક્તિ સેવારૂપ શુભકાર્ય કરવા માટે શ્રવણે સર્વસ્વાર્પણ કર્યું હતું તેણે અનેક પ્રકારની ઈચ્છાઓ પર માતૃપિતૃ સેવા માટે જય મેળવ્યું હતું તેથી તે અક્ષરદેહે વિશ્વમાં અમર રહ્યો છે. અંધ માતૃપિતૃનીસેવા માટે અન્ય કશું કંઈ ન જવું અને માતૃપિતૃમાં સર્વે પૂજ્યતા અનુભવીએ એ કંઈ સામાન્ય બાબત નથી. માતપિતાને કાવડમાં ઘાલીને સર્વ તીર્થોની યાત્રા કરાવવી એ કંઈ સામાન્ય વાત નથી. અંધ માતાપિતાને પોતાના હાથે ખાવાનું કરી આપવું અને તેઓનાં વસ્ત્ર ધોવાં. તેઓના શબ્દ ત્યાં પોતાના પગ એવી સેવા પ્રવૃત્તિમાં સ્થિર રહેવું એ ખરેખર શ્રવણ ધન્યવાદ પાત્રભૂત છે. માતપિતાની સેવારૂપ શુભકાર્યમાં શ્રવણ જેવા આદર્શપુરૂષ અલ્પ થયા હશે. શ્રવણુ હાલ અત્ર નથી પણ તેના નામથી અને તેના શુભકાર્યથી સંપ્રતિ મનુષ્ય પર તેની ભારે અસર થાય છે. શ્રવણ જે અસર તે બેલીને કરી શકે નહિ તે અસર તેના બેલ્યા વિના તેની માતાપિતાની સેવારૂપ શુભ કાર્યથી ભવિષ્યકાલપર થઈ રહી છે. ગુરૂભક્તિરૂપ શુભકાર્ય માટે જૈન સગાલશાશેઠનું દષ્ટાન્ત વિશ્વમાં મોજુદ છે. સગાળશાશેઠ કરેડાધિપતિ હતા. તેમના ઘરની શોભાને પાર નહોતો. દયા, શ્રદ્ધા ભક્તિ સત્ય પ્રેમ પરોપકાર દાનવીસ્તા વગેરે તેમનામાં અનેક શો હતા. સગાલશાશેઠની પત્ની પતિવ્રતા ધર્મમાં સદા નિષ્ઠ હતી. સગાળશા શેઠના
For Private And Personal Use Only