SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૦ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. 5 સુખદુઃખકારક સયાગાના ઉપયોગ રહેતાં કાઇથી વંચિત થવાતું નથી અને તેમજ સદા સાવચેત રહેવાય છે. સુખપ્રદ સંચાગાની સાથે દુ:ખપ્રદ સંયેાગે રહેલા હોય છે. દિવસ પશ્ચાત્ રાત્રિ થાય છે. સુખની પાછળ દુ:ખ રહ્યું છે. જગમાં જેમ બાહ્યસુખનાં સાધનો ઘણાં છે તેમ દુઃખનાં સાધના પણ ઘણાં હોય છે. જે મનુષ્ય સુખસાગનું ફક્ત ભાન ધરાવે છે અને દુ.ખસયાગાને વિસ્મરી જાય છે તે દુઃખના સયાગોના સામે ઉપાય લઈ શકતા નથી અને તેથી તે દુઃખરૂપ યમના પાસમાં સપડાઇ જાય છે. પેાતાની આજુબાજુ દુ:ખના સંચાગેા કેટલા છે તેનું ભાન થવાથી તેના સામે કાર્યપ્રવૃત્તિ સમયે ટકી રહેવા માટે જે જે ઉપાયેા ઘટે તે લેવામાં આવે છે અને અપ્રમત્ત બનીને કાર્યપ્રવૃત્તિ પ્રારંભી શકાય છે. દુ:ખના સંયોગોની સામે થવા માટે મનુષ્ય પ્રતિદિન અપ્રમત્ત રહેવુ જોઇએ. રાજા પ્રત્યેક યુદ્ધમાં સ્વયુદ્ધસામગ્રી કરતાં શત્રુની યુદ્ધસામગ્રી કેટલી છે તેના ખાસ હિસાબ રાખે છે અને તેના કરતાં વિશેષ યુદ્ધસામગ્રી ભેગી કરવા પ્રયત્ન કરે છે. સ્વયુદ્ધસામગ્રીના અહંકારમાં રહીને જેઓ પરચક્રોની સામગ્રીની અવગણના કરે છે તેના ભાગ્યમાં પરાજય-પરતંત્રતા રહે છે. પૃથુરાજ ચાહાણુ વગેરે આદૅશીય રાજાએએ સ્વસુખપ્રદ સંચાગેા કરતાં દુ:ખપ્રદ સાગા પ્રતિ વિશેષ લક્ષ્ય આપ્યું હોત તે તેઓ શાહબુદીનની પ્રત્યેક સ્વારીને વર્ષોના વર્ષ પર્યંત પહેાંચી શકે એવું સ્વસૈન્યખલ પ્રાપ્ત કરી શકત. કબુતર જે વખતે કબુતરીની સાથે મસ્તીમાં લીન થઈ દુ:ખસયાગાને ભૂલી જઈ અસાવધાન બને છે તેજ સમયે ખાજ તેના ઉપર ઝડપ મારીને તેને પકડી મારી નાખે છે. મૂષક જે વખતે બિલાડીથી અસાવધાન રહે છે તેજ સમયે બિલાડી તેને ઝડપી લે છે. પ્રત્યેક વણુ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર કેમ જ્યારે સુખપ્રદ સયાગા અને દુ:ખપ્રદ સંયોગે એ એના ઉપયોગને ભૂલી આલસ્ય નિદ્રા નિદા વિષય કષાયથી પ્રમત્ત બને છે તે વખતે દુઃખસયોગાના કાઇ પણ રીતે તેનાપર હુમલા થાય છે અને તેની પ્રગતિનો નાશ થાય છે. અતએવ પ્રત્યેક મનુષ્યે દુઃ ખપ્રદ શત્રુઓ રાગે ઉપાધિયા વગેરે સયાગાના સામું ટકી રહેવાને અને સુખપ્રદ માનસિક વાચિક કાયિક લક્ષ્મી, સત્તા અને બીજી શક્તિા મેળવવા માટે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવા જોઇએ. જેનામાં પ્રમાદને વાસ થયે તેને નાશ થાય છે. આલસ્ય નિન્દા નિદ્રા વિષયવાસના અને કષાયેાથી વ્યાવહારિક વા ધાર્મિક પ્રગતિની સજીવનતા રહેતી નથી. જે મનુષ્ય પોતાના સામા સુખદુ:ખપ્રદ સંચાને દરાજ વિવેકથી દેખ્યા કરે છે તે દુ:ખપ્રદ સંચાગોને કાર્ય પ્રવૃત્તિમાં આવતાંજ અનેક ઉપાયોથી દૂર કરે છે. આ પ્રમાણે હૃદયમાં પરિપૂર્ણ નિર્ધારીને કે મનુષ્ય ! તુ કાર્યપ્રવૃત્તિનો આરંભ કર અને કાર્યપ્રવૃત્તિના આરંભ કર્યાં પશ્ચાત્ કાટી વિજ્ઞો આવે તાપણ અત્યંત સાવધાન બની કાર્યપ્રવૃત્તિને છોડ નહિ. કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ તે આ પાર કે પેલે પાર એવા સ્થિર નિશ્ચય કરીને કાર્ય કર. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy