________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખની પાછળ દુ:ખ રહેલું છે.
( ૩૧૯ ),
મારવાડ સ્થળી વગેરેના ઘણા જૈને કર્ણાટક, બંગાલ વગેરેમાં વ્યાપારાર્થે ગયા અને હાલ તેઓ ત્યાં સુખી થયા છે. કેટલાક જૈને ઈંગ્લાંડ કાન્સમાં વ્યાપારાર્થે ગયા છે અને ત્યાં તેઓ સુખી થયા છે. જેનોના તીર્થકરે પૂર્વે અધ્યા બંગાલમાં જન્મ્યા હતા અને જૈને મગધદેશ વગેરે દેશમાં કરેની સંખ્યામાં હતા; તેના સ્થાને હાલ ત્યાં મૂલસ્થાયી જાત તરીકે જેને નથી અને ગુજરાત માળવા મારવાડ કાઠિયાવાડ કચ્છ તથા દક્ષિણ તરફ જૈનોની વિશેષ સંખ્યા છે. જૈનોએ સુખદુઃખપ્રદ સંવેગોને પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ સત્તા લક્ષ્મી વિદ્યા અને સંખ્યામાં ઘટતા ઘટતા અર્ધગતિના મૂલસ્થાનપર્યન્ત આવી પહોંચ્યા. બ્રાહ્મણોએ ક્ષત્રિએ વૈશ્યએ અને શુદ્રોએ સુખદુઃખપ્રદ સંગને પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ અવનતિના યજમાન બન્યા છે. હવે તે આર્યો જાગો-તમે કેવા દુઃખી થયા છે–તમારી માનસિક વાચિક અને કાયિક શકિતથી કેટલા બધા ભ્રષ્ટ થયા છો તેને વિચાર કરે. આલસ્ય કુસંપ વૈર ઇર્ષ્યા સંકુચિત રૂઢીઓ અને સંકુચિત દૃષ્ટિથી તમે ઘેરાઈ ગયા છે તેને વિચાર કરો. તમારા પૂર્વજોની ઉન્નતિને-કીતિને હવે ગાઈને તથા તેથી અભિમાની બનીને બેસી રહેવાનો સમય નથી. જાગો જાગો જલ્દી જાગે. ઈર્ષાદિ દુખપ્રદ સંગેની માયાજાળને દૂર કરી નાખો. આલસ્ય, વૈર, ઈર્ષ્યા અને અજ્ઞાન એજ દુઃખના અંગો છે. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. પૂર્વની જાહોજલાલીની યાદી કરીને હવે રવાથી કંઈ વળવાનું નથી. હવે તો મન વચન અને કાયાની શકિત કેળવીને બ્રિટીશ રાજ્યની શાંતિમય છાયામાં રહી પ્રગતિકારક પ્રવૃત્તિમાર્ગમાં આગળ વધે. સુભાગ્યમે તમારી ઉન્નતિ કરવા અને તમારી આ ઉઘાડીને શુભ માર્ગે ચઢાવવા માટે બ્રિટીશરાજ્યની સ્થાપના થઈ છે તેને લાભ લઈને દરેક બાબતની પ્રગતિ કરવામાં પશ્ચાત્ ન રહે. દુખપ્રદ સંયોગ કરતાં ઇંગ્લીશ સરકારના રાજ્યમાં આને સુખપ્રદ સંયોગો ઘણું છે. તમને બ્રિટીશે પ્રવૃત્તિમાર્ગના ગુરુઓ મળેલા છે તેમની પાસેથી અનેક વિદ્યા વિનયથી મેળવવી જોઈએ. સર્વ પ્રકારની કેળવણું પ્રાપ્ત કરીને દુઃખપ્રદ સંગોને સુખપ્રદ સંયોગરૂપમાં ફેરવી નાખવા જોઈએ. બાલલગ્નને બંધ કરવાં જોઈએ. સ્વાશ્રયી અને આત્મભેગી બન્યા સિવાય દેશ કોમ વા ધર્મનો ઉદય થયે નથી, થતો નથી અને થવાનું નથી. અએવ સ્વાશ્રયી અને આત્મભેગી બની દુઃખપ્રદ સોગોને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને-દૂર હઠાવવા જોઈએ. કઈ પણ આત્મોન્નતિકારક કાર્યને પ્રારંભતાં દુખપ્રદ સંયોગો અને સુખપ્રદ સંયોગને તપાસી લેવા અને તે બેની વચ્ચે ઉભા રહીને કેવી રીતે કાર્યપ્રવૃત્તિ આરંભવી તેનો વિવેક કરી લેવો. કાર્યપ્રવૃત્તિમાં કેના કોના તરફથી દુ:ખપ્રદ સંગો ઊભા થવાના અને કેના તરફથી સુખપ્રદ સંગોમાં મદદ મળવાની–તેનો પ્રથમથી નિશ્ચય કરી લે અને પોતાના આત્મબલ ઉપર ટકી રહેવાને અનુભવ કરીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું. પિતાની ચારે બાજુના
For Private And Personal Use Only