________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ST
ક્ષેત્રફાલાનુસાર વિચારણા કરવી.
( ૩૧૭ ).
કરતાં દુખપ્રદ સંયોગો કયા કયા છે તેને વિચાર કરી છે. દુઃખપ્રદ સંયોગે કઈ કઈ વખતે કયા કયા ક્ષેત્રને પામી કાર્યપ્રવૃત્તિમાં પ્રાપ્ત થશે તેને દીર્ધદષ્ટિથી એકાન્તમાં વિચાર કરો અને સુખપ્રદ સંવેગો કયા કયા ક્ષેત્રે કયા વખતે પ્રાપ્ત થશે અને કેવા પ્રયત્ન પ્રાપ્ત થશે તેને કાર્યપ્રવૃત્તિ પૂર્વે સ્થિરદષ્ટિથી વિચાર કરે. સુખપ્રદ સંગે અને દુઃખપ્રદ સંગે વર્તમાનમાં ક્યા ક્ષેત્રના અનુસાર ક્યા ક્યા છે અને ભવિષ્યમાં કયા ક્ષેત્રને પામી કેવી રીતે પ્રાપ્ત થશે તેને દીર્ઘદ્રષ્ટિથી વિચાર કર. વિમલશાહે ભીમદેવ સોલંકી પ્રતિકૂલ થયું છે એમ જાણ તેણે સુખદુઃખપ્રદ સંયોગને વિચાર કર્યો. વિમલશાહને પાટણમાં કાર્યપ્રવૃત્તિમાં દુઃખપ્રદ સંગે વિશેષ જણાયા તેથી તેમણે સુખપ્રદ સંગે કયાં પ્રાપ્ત થશે તેને વિચાર કર્યો. ચંદ્રાવતીમાં સુખપ્રદ સંયોગ મળશે એ તેણે નિશ્ચય કર્યો અને ચંદ્રાવતીમાં ગયા. ત્યાંના પરમાર રાજાને દૂર કરી સ્વયં આબુરાજની ચંદ્રાવતીના રાજા બન્યા. હળવે હળવે વિમલશાહે અનેક યુદ્ધો કરીને રાજ્યની સીમા વધારી. અમુક ઑરછ બાદશાહ સાથે યુદ્ધ કર્યું અને આબુજીપર સિદ્ધાચલજીપર તથા કુંભારીયા કે જેને પૂર્વે આરાસણનગરી કવિામાં આવતી હતી તેમાં જિનમંદિર બંધાવ્યા; અનેક ઉપાશ્રયે બંધાવ્યા. વિમલશાહે દુખપ્રદ સંગ અને સુખપ્રદ સંયોગોને ક્ષેત્રકાલાનુસારે વિચાર ન કર્યો હોત અને પાટણમાં જ રહ્યા હોત તે તે નષ્ટ થઈ જાત. તેમણે સુખપ્રદ સંગો અને દુઃખપ્રદ સંયેગો કયા કયા છે અને ક્ષેત્રકાલાનુસાર કયા કયા છે તેનો વિવેક કરીને સુખપ્રદ સંયેગો જેમાં છે એવી ચંદ્રાવતીને પસંદ કરી. વસ્તુપાલ અને તેજપાલ એ બે બંધુઓએ દુઃખપ્રદ સંયોગો અને સુખપ્રદ સંવેગોને વર્તમાનકાલ અને ક્ષેત્ર સંબંધે વિચાર કરીને તેઓ ધોળકામાં વાઘેલાના રાજ્યમાં ગયા અને સુખપ્રદ સંગેની અનુકૂલતા દેખી ત્યાં પ્રધાન થયા તેથી તેઓ સુખી થયા. વસ્તુ પાલ અને તેજપાલે આબુજી સિદ્ધાચલ વગેરે સ્થાને જિનમંદિર બંધાવ્યા છે. તેઓએ અનેક યુદ્ધોમાં નેતા બનીને જૈન ક્ષત્રિય વરની શોભાને પ્રકાશિત કરી હતી. વસ્તુપાલે સાડીબાર યાત્રા સંઘ કાઢીને કરી હતી. વીરમદેવ અને વિશલદેવના નામની સાથે અને જૈનમના ઈતિહાસની સાથે વસ્તુપાલ અને તેજપાલનું નામ સદા કાયમ રહેશે. વસ્તુપાલે અને તેજપાલે સુખદુઃખપ્રદ સંયોગોનો વિચાર કરી સુખપ્રદ કાર્ય પ્રવૃત્તિ આરંભી હતી તેથી તેઓ સુખી થયા. કુમારપાલરાજાએ સુખપ્રદ અને દુઃખપ્રદ સંયોગને વિચાર કરીને રાજ્યગાદી પરબેસવાનો નિશ્ચય કરી રાજ્યલગામ હાથમાં લીધી અને દુઃખદુઃખપ્રદ સંગોને દૂર કરી ગુર્જર દેશનું સમ્યક પરિપાલન કર્યું. ઈંગ્લાંડના રાજા રીચડે સુખપ્રદ સંગોનો વિચાર કરીને રાજ્યકાર્ય પ્રવૃત્તિ સેવી હતી. સુખદુઃખપ્રદ કયા કયા સંયેગે છે તેનો પરિપૂર્ણ જે મનુષ્ય વિચાર કરતા નથી તે મનુષ્ય દુઃખપ્રદ સંગોને હટાવી સુખપ્રદ સંગોને પ્રાપ્ત કરી શક્તો નથી. આર્યાવર્તમાં લગભગ બેહજાર વર્ષથી સુખ દુઃખપ્રદ સંયોગોને
For Private And Personal Use Only