SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( ૩૧૦ ) શ્રી કમ ચૈાગ માંથ–વિવેચન, સ્વરૂપ છે? તે સમ્યગ્ અવમેધવુ જોઇએ, ખ્રીસ્તિધર્મ દૃષ્ટિએ આત્મા અને કર્મનું શું સ્વરૂપ છે તે તેના પ્રતિપાદક ગ્રન્થોદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવધવુ જોઇએ. પારસીઓના જથેાસ્તની ધર્મદ્રષ્ટિએ તેના ગ્રન્થામાં આત્મા અને કર્મનું કેવું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેનું સમ્યગ્ સ્વરૂપ જાણવું જોઇએ. પ્રાચીનકાલમાં આ વિશ્વમાં જે જે ધર્માં થઈ ગએલા હોય તેમાં આત્મા અને ક સંબંધી શું શું જણાવવામાં આવ્યું હતું તે ખાસ અવખાધવુ જોઇએ. આત્મા અને કર્મ સંબંધી જે જે ધર્મશાસ્ત્રોમાં જે જે લખવામાં આવ્યુ હાય તે ખાસ અવમેધવુ જોઈએ. આત્મા અને કર્મ વગેરેનું પરિપૂર્ણ જ્ઞાન થવા માટે સર્વ દનકારાના તત્સંબંધી વિચારાનું મધ્યસ્થષ્ટિએ મનન કરવું જોઈએ, ધર્મશાસ્ત્રોદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવધવામાં કુલધરાગષ્ટિ, પર પરામન્તવ્યદૃષ્ટિરાગ, પક્ષગ્રહિતમન્તવ્યદૃષ્ટિરાગ, અન્ધશ્રદ્ધાગ્રહિત ષ્ટિરાગ વગેરે દૃષ્ટિરાગાના ભેદોને દૂર કરી આત્મા અને કર્મસંબંધી જે જે કંઇ લખવામાં આવ્યું હોય તેને બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરવું જોઇએ. ઉપગ્રહદૃષ્ટિએ સ ધર્માંના આચાર્યંએ જગને ઉપકાર કરવાને આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવ્યુ છે તેથી કાઇના પર તુચ્છકારથી ન અવલેાકતાં તેઓએ સ્વબુદ્ધિએ જે જે કમ અને આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે તેમાં કયા કયા અંશે સત્યત્વ રહેલું છે અને કયા કયા અંશે અસત્યત્વ રહેલું છે તેના પરિપૂર્ણ સાપેક્ષાદ્ધિથી નિર્ણય કરવા જોઇએ. આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ અવધવાથી કના યાગે ઉત્પન્ન થએલ અહંમમત્વ સંસ્કારોને દૂર કરી શકાય છે; અતએવ ઉપયુક્ત અનેક દર્શનકારાની ષ્ટિચાએ આત્માનુ સ્વરૂપ અવધવુ જોઈ એ. યોગશાસ્ત્રકારોએ આત્માની અનેક સિદ્ધિયેા પ્રકટાવવા માટે જે જે ઉપાયે કથ્યા છે તે તે ઉપાયને આદર કરવામાં આત્માનું વિજ્ઞાન પ્રાપ્ત કરવુ એ આવશ્યક કર્તવ્ય છે. આત્માને સમ્યગ્ અવબોધ્યા પશ્ચાત્ અહંમમત્વ સ’સ્કારાને મારી હઠાવવામાં વાર લાગતી નથી. આત્માને જે જાણે છે તે અહંમમત્વના સંસ્કારોનો નાશ કરી શકે છે. આર્યાવર્તમાં એક વખત એવા હતા કે આર્ચો આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વાસ્તવિક સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિયાને સેવતા હતા. તેઓ આત્માને જાણવામાં તથા અનુભવવામાં પક્ષપાત કરતા નહાતા. સર્વ વિશ્વપ્રવર્તિત ધર્મના સાર એ છે કે આત્મામાં પરમાત્મતા પ્રકટાવવી. પરમાત્મસ્વરૂપમાં લીન થઈ જવું એ જ છેવટના સત્યસિદ્ધાંત ઠરે છે; અને શેષ તે પરિવારભૂત જ્ઞાનસામગ્રીએ અભેધાય છે. અતએવ ઉપર્યુક્ત શ્લેાકમાં જણાવ્યું છે કે--ચેતનને જાણીને કાર્યપ્રવૃત્તિ સેવ. જ્યારે ત્યારે આત્માને જાણવાથી બાહ્ય વસ્તુઓદ્વારા પ્રકટતા અહંમમત્વના સંસ્કારાને દૂર કરી શકાશે. જ્યાં હું અને મ્હારું છે ત્યાં પ્રભુ નથી. જ્યાં હું ને મારું' એવા ભાવ છે ત્યાં મોહવૃત્તિ હોવાથી આત્માના ધર્મનું અવલંબન લઇ શકાતું નથી, જ્યાં હું અને મ્હારું છે ત્યાં આત્મા અને 95
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy