________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shn Kailassagarsuri Gyanmandir
વિધવિધ દૃષ્ટિએ કમનું સ્વરૂપ જાણવું.
( ૩૦૯ ).
અને સિદ્ધસ્થાનમાં વિરાજે છે; પશ્ચાત્ ત્યાંથી સંસારમાં જન્મ જરા અને મરણના ચકમાં આવવાનું થતું નથી. જૈનષ્ટિએ બહિરાત્મા અન્તરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી આત્મા પોતાનું સ્વરૂપ અવધી શકતું નથી અને જડવસ્તુઓમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે તાવત્ તે બહિરાત્મા કથાય છે. આત્મા જ્યારે જડચેતનના તત્ત્વજ્ઞાનપૂર્વક પિતાના સમ્યકત્વવિવેકથી આત્મતત્વને અવધે છે ત્યારે તે અન્તરાત્મા કથાય છે. અન્તરાત્મા પોતાના આત્મામાં સર્વાનન્ત સુખ વગેરે શક્તિને નિર્ધાર કરે છે અને તે આત્મામાં પરમાત્મત્વ નિશ્ચય કરી અન્તરમાં આત્મત્વની શ્રદ્ધા કરનાર હોવાથી અન્તરાત્મા થાય છે. ચાર ઘાતકર્મને અને અઘાતી ચાર એવં અષ્ટકર્મને ક્ષય કરીને જે શુદ્ધ થાય છે તેને પરમાત્મા કહેવાય છે. ચાર ઘાતીકર્મને જેણે ક્ષય કર્યો છે અને અઘાતકર્મને ક્ષય નથી કર્યો તે ભવસ્થ જીવન્મુકત પરમાત્મા કહેવાય છે અને જેણે સર્વથા આઠ કમને ક્ષય કરી મુકિત સ્થાન પ્રાપ્ત કર્યું તે સિદ્ધ બુદ્ધ પરમાત્મા કથાય છે. જ્ઞાનાવરણીય દર્શનારણીય વેદનીય મેહનીય આયુષ્ય નામ ગેત્ર અને અન્તરાય એ અષ્ટકમની સાથે આત્માને અનાદિકાલથી સંગ સંબંધ થયો છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મની એકસોને અઠ્ઠાવન પ્રકૃતિ છે. કર્મને પ્રકૃતિબંધ પ્રદેશબંધ સ્થિતિબંધ અને રસબંધ એ ચાર પ્રકારને બંધ અવબોધવો; બંધ ઉદય ઉદીરણું અને સત્તા એ ચાર પ્રકારે કર્મનું સ્વરૂપ અવધવું; કર્મગ્રન્થ કમ્મપયડી ભગવતી આચારાંગ પન્નવણા તરવાર્થવૃત્તિ સ્થાનાંગ સમવાય; પ્રશ્નવ્યાકરણ વગેરેથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મનું વિશેષતઃ સ્વરૂપ અપાય છે. વેદાન્તદષ્ટિએ સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ એવા ત્રણ પ્રકારના ભેદનું સ્વરૂપ ભગવદ્ગીતા, અષ્ટાદશપુરાણ વગેરેથી અવબોધાય છે. વેદાન્તદષ્ટિએ આત્મા અને કર્મને સંબંધ શું છે ? તે અવબોધવા માટે બ્રહ્મસૂત્રનાં સર્વ ભાળે, ભગવદ્ગીતા, યોગવાસિષ્ઠ, અષ્ટાદશપુરાણ અને દશ, અઠ્ઠાવીશ તથા એકસોને આઠ ઉપનિષદે અવધવાં જોઈએ. વેદાન્તદષ્ટિએ આત્મા અને કર્મનું સવરૂપ જાણવા માટે શંકરાચાર્ય રામાનુજાચાર્ય માધવાચાર્ય અને વલ્લભાચાર્યના રચિત ગ્રન્થોનું અધ્યયન કરવું જોઈએ અને કણદ ગતિમ કપિલ અને મીમાંસકેના રચેલા ગ્રન્થનું અધ્યયન કરવું જોઈએ. ચાર વેદ, ઉપનિષદો, પુરાણ અને પશ્ચિાત્ થએલ સાંખ્યમત મીમાંસક કણદ પાતંજલ ગૌતમ વગેરેના ગ્ર, શંકરાચાર્ય વગેરે આચાર્યોના ગ્ર, કબીરમત, રામાનન્દમત, લિંગાયત, આર્યસમાજ, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ, થીઓસોફીકલ સ્વરૂપ અવધવું જોઈએ. બૌદ્ધધર્મદ્રષ્ટિએ આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવનારા જે જે ગ્રન્થ હોય તે તે સર્વ ગ્રન્થનું સૂક્ષ્મજ્ઞાનદૃષ્ટિથી મનન કરવું જોઈએ. મહમેદન ધર્મણિએ આત્મા અને કર્મનું જે જે સ્વરૂપ ગ્રન્થોમાં લખેલું હોય તે જાણવું જોઈએ. યાદી ધર્મદષ્ટિએ આત્મા-કર્મનું જેવું સ્વરૂપ હોય તેવું જાણવું જોઈએ. ગ્રીકધર્મદષ્ટિએ અને ઈચ્છમાં પ્રાચીનકાલમાં પ્રવર્તિત ધર્મણિએ આત્મા અને કર્મનું શું
For Private And Personal Use Only