________________
Shri Mahavir Jain Aradhana Kendra
LI
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ક્ષણ પણ પ્રમાદી ન રહેવું.
( ૩૦૭ )
પરસ્પરોપગ્રહટષ્ટિવડે એકબીજાને ઉપગ્રહ કરવાની ફરજથી બંધાઇને દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે કન્યકર્માંને આત્મશક્તિના અનુસારે કરવાં જોઈએ કે જેથી વર્તમાન અને ભવધ્યકાલમાં વ્યવહાર અને પરમાર્થથી ઉત્ક્રાન્તિના ક્રમ અખંડ રીતે પ્રવર્તી શકે. આ જમાનામાં જે દ્રવ્યક્ષેત્રકાલાનુસાર સ્વકર્તવ્ય પ્રવૃત્તિમાં પશ્ચાત્ રહ્યો તે પતિત થએલ જાણવા. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રોએ સ્વાધિકારયેાગ્ય સ્વકર્તવ્યકાર્યોંમાં આત્મશકિતનું જ્ઞાન કરીને અપ્રમત્તપણે ઉત્સાહથી પ્રવતવુ જોઇએ. પરસ્પર વીર્યસંઘષ ણુદ્વારા પરસ્પરની અવનતિ થાય એવા વિચારો અને આચારાની ચર્ચા અને ખંડન મડનાથી દૂર રહેવુ જોઇએ. વેદધર્મપ્રવ કાની સામે સ્પર્ધામાં જૈનાચાર્યાં જો પરસ્પર એક શૃંખલાના અકોડાની પેઠે સંબદ્ધ થઇને ઉભા રહ્યા હોત તેા અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણમાં પૂર્વે જૈનધર્મ પ્રવર્તતા હતા તેને દેશકાલાનુસારે ધર્મ પ્રચારક સુયેાજનાઓની સુવ્યવસ્થાઆવડે પરસ્પર સ્વસ્વયાગ્ય કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત થઇને ઉદાર ઐકય ભાવે પ્રચાર્યાં હાત તે તેઓનું રાજ્યસામ્રાજ્ય વ્યાપારસામ્રાજ્ય વિદ્યાસામ્રાજ્ય સેવાસામ્રાજ્ય અને ધર્મ સામ્રાજ્યને વર્તમાનમાં ચતુવણ માં દેખી શકાત, જે મનુષ્યો પ્રમત્ત થાય છે તેના હસ્તમાં કોઈ પણ જાતનુ પ્રગતિકર સામ્રાજ્ય રહેતું નથી એવા અચલ વિશ્વનિયમ છે; એવુ અવબોધીને આત્મશકિતના અનુભવ કરી દ્રવ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી સ્વયાગ્ય કવ્યકાનેિ સુવ્યવસ્થા કરીને કરવાં જોઇએ. પ્રથમ કાર્ય કરવાની ચારે બાજુથી વ્યવસ્થા અને પશ્ચાત્ કાર્ય કરવાની પ્રવૃત્તિ એજ નિયમ સર્વત્ર ઉત્ક્રાન્તિ પંથને અનુસરનારા છે. કાર્યવ્યવસ્થા માટે વર્તમાન જમાનાને અનુસરી બ્રિટીશો પાસેથી ઘણું શિખવાનું છે. તે જે જે કાર્યાં કરે છે તેની જેવા પ્રકારની વ્યવસ્થા કરે છે તેને પરિપૂર્ણ અનુભવ કરવા જોઇએ. કાર્યે વ્યવસ્થા માટે જેટલું લક્ષ્ય તેટલુજ કાર્ય શીઘ્ર થાય છે એમ અવબોધવું. પ્રત્યેક કાર્યની પ્રથમ વ્યવસ્થા કરીને આજુબાજુના ક્ષેત્રકાલાદિકના સાનુકૂલ પ્રતિકૂલ સયાગોને ધ્યાનમાં રાખી યથાશક્તિ કાર્ય કરવાની પ્રવૃત્તિ સેવ !!! કે જેથી સંસારવ્યવહારમાં અનેક ઠાકરાથી બચી શકાય અને કાર્ય કરવાનો અનુભવ પ્રાપ્ત થઇ શકે. આર્યાવર્તમાં આ પૂર્વે સુવ્યવસ્થાપૂર્વક પ્રત્યેક કાર્ય ને દ્રવ્યક્ષેત્રકાલાનુસારે કરતા હતા તેની સાક્ષી તરીકે અનેક પુસ્તકા વિદ્યમાન છે; પરન્તુ તે શ્રવણુ કરી બેસી રહેવાથી કઇ વળતુ નથી. વાતેા કરે કદી વડાં થવાનાં નથી. દીસૂત્રી પણ હદ બહાર ન થવુ જોઇએ. ઉત્સાહપૂર્વક સુવ્યવસ્થા કરીને કાર્ય કરવું, પણ નકામા ન બેસી રહેવું. નકામા બેસી રહેવાથી આલસ્યરૂપ ઉધઈ ખરેખર મનમાં ઉત્પન્ન થાય છે અને તેથી આત્માની સશકતયેામાં સડા પેસે છે; તથા વ્યષ્ટિ તથા સમષ્ટિનું શ્રેય સાધી શકાતુ નથી. અતએવ સુવ્યવસ્થા કરીને કાર્ય પ્રવૃત્તિમાં એક ક્ષણ પણ નકામે ન જવા દેવા એજ ખાસ લક્ષ્યમાં રાખવુ જોઇએ. જે મનુષ્ય સ્વાધિકારે જે જે કાર્યો કરવાનાં છે તે જાણતા નથી અને જાણતાં છતાં પણ સુવ્યવસ્થાથી
For Private And Personal Use Only