SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir એકયના અભાવે અધ:પતન. ( ૩૦૫). પ્રવૃત્તિ સ્વીકારી હતી એમ તેના ચરિતપરથી સહેજે અવાધાય છે. શિવાજીએ જંગલી પહાડી માવલને રાજ્યતંત્રમાં વ્યવસ્થાપૂર્વક સૈનિક બનાવ્યા તેમાં તેની હોશિયારી હતી. ઓરંગજેબ જેવા સર્વકલાતંત્રકુશલ બાદશાહની સામે ઉભા રહેવું એ મૂઢ રાજાઓથી બની શકે નહિ. શિવાજીને પણ એક વખત તેના પંજામાં ફસાવું પડયું હતું તોપણ તે દ્રવ્યક્ષેત્રકાલભાવને અને આત્મશક્તિને જ્ઞાતા હોવાથી છૂટી શકશે અને હિન્દુરાય સ્થાપન કરી શક્યા. શિવાજીએ સાનુકૂલ સંયોગોની સાથે પ્રતિકૂલ સંયોગો જાણી લીધા હતા તેથી તેણે સાનુકૂલ સહાયકો મેળવવાને કેવા ઉપાયે લીધા હતા તે પણ વિચારવા જેવું છે. પ્રતિકૂલ સંયોગોને સાનુકૂલ કરવામાં તેણે કેવા કેવા ઉપાય લીધા હતા તે અનુભવગમ્ય કરવા યોગ્ય છે. આત્મશક્તિને ખ્યાલ તથા દ્રવ્યક્ષેત્રાદિકનો ખ્યાલ કરીને પ્રારંભદશાથી શિવાજીએ સ્વરાજ્ય સ્થાપનામાં જે જે સુવ્યવસ્થાઓ કરી હતી તે ખરેખર ક્ષેત્રકાલાનુસારે યોગ્ય કરી હતી. પ્રતાપસિંહરાણાને કઈ મેટા હિન્દુ રાજ્યની સાહાસ્ય નહોતી. કેટલાક હિન્દુ આર્યરાજાએ તે પ્રતાપરાણાની વિરુદ્ધમાં હતા. યુદ્ધસામગ્રીઓની ન્યૂનતા હતી અને મહારાષ્ટ્ર કરતાં બાદશાહોને મેવાડ પાસે હતું તેથી તેના તરફથી ઘણુ હમલાઓ વેઠવાને પ્રતાપરાણુને પ્રસંગ મળ્યો હતો. શિવાજીની યુદ્ધનીતિ અને વ્યવસ્થાને પ્રતાપે સ્વીકારી હતી તે તેણે જે સ્વરાજ્યસંરક્ષા કરી હતી તેના કરતાં વિશેષ પ્રકારે કરી શકત એમ અવબોધાય છે. પ્રતાપરાણાનું કલંકરહિત કીર્તિમય અને પ્રતાપમય જીવનચરિત છે. જે તે સમયના રાજપુતોમાં તત્સમયની યુદ્ધનીતિ પ્રવતી હોત તે તેઓ શિવાજીના કરતાં દેશસંસ્થાની ઉન્નતિમાં વિશેષ ભાગ્યશાળી બની શકત. રજપુતો અને માવલાઓના સ્વભાવમાં ફેર હતું. બન્નેને પર્વતની સહાય હતી, પરંતુ આત્મશક્તિ અને વ્યવસ્થામાં ન્યૂનાધિકતા હતી એમ સહેજે અવબોધાય છે. દ્રવ્યક્ષેત્રકાલભાવે પ્રત્યેક મનુષ્ય પ્રતાપરાણ અને શિવાજીના ચરિત્રને મુકાબલે કરવો અને આત્મશક્તિને તેલ કરી દ્રવ્ય ક્ષેત્રકાલભાવે પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. પૃથુરાજ ચેહાણે દ્રવ્યક્ષેત્રકાલભાવે રાજ્યસ્થિતિની સુરક્ષાને દીર્ઘદ્રષ્ટિથી વિચાર કર્યો હોત તો તે ગુજરાતના રાજાઓ વિગેરેની સાથે યુદ્ધ કરીને નકામે આત્મવીર્યને દુરુપયોગ કરતા નહિ. ગમે તેમ કરીને તેણે અફઘાનીસ્થાન તરફથી આવતી સ્વારીઓ અટકાવવાના જ પ્રયત્ન કરવા જોઈતા હતા, પણ તે કરી શકે નહિ. ગુર્જરદેશ ભૂપતિ ભીમ, અબુંદગિરિ રાજા, માલવ દેશ ભૂપતિ અને દિલ્હીભૂપતિએ તત્સમયે દેશકાલાનુસારે યથાયોગ્ય રાજ્યનીતિ પ્રવૃત્તિને દીર્ઘદ્રષ્ટિથી વિચારી ઐકય સાધ્યું નહિ અને ઉલટું તેઓ પરસ્પર યુદ્ધ કરી નિર્બલ બની ગયા, તેથી તેઓ ભવિષ્યની આર્યસંતતિની પ્રગતિ કરી શક્યા નહિ; એ તેમનામાં દેશકાલાનુસારે બુદ્ધિ વૈભવ અને હૃદયની ઉચ્ચતાની તથા ક્ષત્રિય કર્મવર્તનની For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy