________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૪ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
અમુક અવસ્થામાં અમુક પ્રકારની શક્તિએ અમુક કાર્ય કરી શકે છે, તે તેની જે શક્તિ ખીલેલી હોય છે તેનાથી ભિનકાર્ય કરી શકે નહિ. કવિને યુદ્ધનું કાર્ય સેંપવામાં આવે અને ક્ષત્રિને કવિનું કાર્ય સેંપવામાં આવે તે પરસ્પર બનેની શક્તિનો હાસ થઈ શકે. કઈ પણ કાર્ય કરતાં પૂર્વે જે જે કાર્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં પિતાનું જ્ઞાન કેટલું છે? પિતાની શક્તિ કેટલીક છે? કયા કયા મનુષ્ય કેવી રીતે તે કાર્ય કરે છે? મારાથી તે કાર્ય કરવામાં ક્ષેત્રની અને કાલની તથા ભાવની અનુકૂલતા છે કે કેમ ? તેમજ જે જે પ્રતિકૂલતા આવે તેને પહોંચી શકું તેટલી મારી શક્તિ છે કે કેમ ? તેને પરિપૂર્ણ વિચાર કરવો જોઈએ. આ બાબતમાં શિવાજી અને પ્રતાપસિંહ રાણાની કાર્ય કરવાની આત્મશક્તિને અને દ્રવ્યક્ષેત્રાદિકના જ્ઞાનને મુકાબલો કરવામાં આવે છે. યુદ્ધ શક્તિમાં પ્રતાપસિંહ કરતાં શિવાજી આગલ ચઢી શકે તેમ જણાતું નથી, પરંતુ શિવાજીએ જે જે કળાઓ વાપરીને યુદ્ધ કર્યા તેવું કાર્ય ખરેખર પ્રતાપસિંહ કરી શક્યો નહિ. ખરૂં કહીએ તે શિવાજીએ દેશકાલની પરિસ્થિતિ અવલોકી દેશકાલાનુસાર યુક્તિથી યુદ્ધ કર્યું તે પ્રમાણે પ્રતાપરાણાએ આત્મશક્તિની તુલનાથી પ્રવૃત્તિ કરી હોત તો ચીતોડ કિલ્લે તેના જીવતાં પોતે મેળવી શકત. પ્રતાપસિંહ વગેરે રાજપુતોએ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે પ્રવર્તી નકામાં કેશરીયાં કરી અનેક વીરાને પ્રાણુ ગુમાવ્યું. જોકે કેશરીયાં કરીને યુદ્ધ કરવું તે ઉત્તમ છે, પરંતુ તેની સાથે પ્રત્યક્ષેત્રકાલભાવને વિચાર કરી યુદ્ધકુલનીતિને ઉપયોગ કર્યો હોત તો તેને જેટલી હાનિ પહોંચી તેટલી ન પહોંચી શકત. આર્ય યુદ્ધનીતિમાં પ્રતાપસિંહની આર્યતા એવી ઝળકી ઉઠે છે કે તેનું વર્ણન થઈ શકે નહિ; પરન્તુ પ્રતાપસિંહે શત્રુની યુદ્ધનીતિન દ્રવ્યક્ષેત્રકાલભાવે વિચાર કર્યો હોત તો તેની જેટલી હાનિ થઈ તેના કરતાં તે પ્રમાણે લાભ પણ વિશેષ મળી શકત. પ્રતાપસિંહમાં ક્ષત્રિયત્વના જેટલા ગુણ હતા અને જેટલી યુદ્ધસામગ્રી હતી તે પ્રમાણે કાલાનુસારે યુદ્ધનીતિની સામદામ-દંડ અને ભેદના વિચારો સાથે ગતિ હેતતો સ્વરાજ્ય સંરક્ષકની સાથે સ્વરાજ્ય પ્રગતિ કરી શકત. દેશકાલાનુસાર કાર્યપ્રવૃત્તિને વિચાર કરીને તથા સ્વાત્મશકિતને વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્ત થવાથી વાસ્તવિક વિજય પ્રાપ્ત કરી શકાય છે. શિવાજીએ હિન્દુધર્મનું સંરક્ષણ કરવા માટે જે જે પ્રવૃત્તિ તે દેશમાં તે કાલમાં કરી હતી તે વાસ્તવિક હતી. જે તે પ્રમાણે તે ન કરી હોત તે હિન્દુધર્મની રક્ષા ન કરી શક્ત. “શિવાજી ન હોત તે સુન્નત હોત સબકી” એવું જે કવિયે કચ્યું છે તે અક્ષરે અક્ષર સત્ય છે. મુસલમાનની પણ પૂર્વે એવી સ્વારીઓ કરી દેશ લુંટી સ્વધર્મ સ્થાપવાની પ્રવૃત્તિ હતી તેમાં અપદેષ, હાનિ અને મહાલાભ, મહાધર્મની પ્રવૃત્તિ જે શિવાજીએ ધર્મદ્રષ્ટિથી કરી હતી તે તેના દ્રષ્ટિબિન્દુથી યોગ્ય ગણી શકાય છે. શિવાજીએ આત્મશક્તિને તે દ્રવ્ય, તે ક્ષેત્ર, તે કાલ અને આજુબાજુના સંગેનો વિચાર કરીને રાજ્ય સ્થાપન વ્યવસ્થાપૂર્વક યુદ્ધ
For Private And Personal Use Only