________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
=
'જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરે.
( ૩૦૩ )
શબ્દાર્થ–આત્મશક્તિને ચારે તરફથી જાણીને તથા દ્રવ્ય ક્ષેત્રાદિક જાણીને અને તેમજ કર્તવ્ય કાર્યની સમ્યગુવ્યવસ્થા કરીને યુક્તિવડે કાર્ય કર.
વિવેચન–પ્રત્યેક મનુષ્ય કાર્ય કરવામાં પોતાની આત્મશક્તિ કેટલી અને કેવા પ્રકારની છે તેનું અભિતઃ જ્ઞાન કરવું જોઈએ. મનુષ્ય પોતે જે જે કાર્ય કરતો હોય તેમાં દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવનું પિતાના પરત્વે તથા કર્તવ્ય કાર્ય પરત્વે જ્ઞાન કરવું જોઈએ. જૈનશાસ્ત્રોમાં
વો ત્રિરંગો શાસ્ત્રો મારો સામે વઘુ જ્ઞાનાદ્ધિ ઈત્યાદિ વાક્ય દ્વારા ક્ષેત્રકાલ અને ભાવથી સમ્યવસ્તુને જાણવાની આજ્ઞા કરવામાં આવે છે. દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી કર્તાસંબંધી અને આજુબાજુના સંગ સંબંધી સાપેક્ષજ્ઞાન કરવામાં આવે તો અનેક બાબતોના મિથ્યાગ્રહો ટાળવાની સાથે સાપેક્ષપણે વિચારો અને આચારોમાં પ્રવર્તી શકાય છે અને તેથી પરિણામ અને એ આવે છે કે કર્તવ્ય કાર્યની દ્રવ્યક્ષેત્રકાલભાવથી વ્યવસ્થા કરીને કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરી શકાય છે. ઘટના ઉપર દ્રવ્યક્ષેત્રકાલભાવ ઉતારવામાં આવે છે. ટૂથથી ઘટ માટીને-ક્ષેત્રથી ઘટ વિજાપુર-કાલથી ઘટ શીતઋતુને અને ભાવથી વર્ણગંધરસ અને સ્પર્શમય-એમ પ્રત્યેક વસ્તુ પર દ્રવ્યક્ષેત્રકાલભાવ ઉતારવામાં આવે છે. જે કાર્ય કરવામાં આવે છે તેનું દ્રવ્યથી કાર્ય શું ? ક્ષેત્રથી કાર્ય શું ? કાલથી કાર્ય શું? અને ભાવથી કાર્ય શું ? તેનું વ્યવહાર અને નિશ્ચયથી જ્ઞાન કરવું જોઈએ. આત્મા સ્વયં દ્રવ્યથી અમુક ક્ષેત્રકાલથી અમુક અને ભાવથી અમુક ઇત્યાદિથી મનુષ્ય પર્યાયાદિન વિચાર કરવો જોઈએ. મનુષ્ય પોતે જે અવસ્થામાં હોય તેને તેણે દ્રવ્યત્રકાલભાવથી વિચાર કરવો જોઈએ. પિતાની શક્તિ અમુક કાર્ય કરતાં કેટલી છે તેનો નિર્ણય કર્યા વિના મનુષ્ય અમુક કાર્ય કરતાં થાપ ખાઈ બેસે છે. અત એવ આત્મશક્તિનો વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. ચાર વર્ષના બાલના શીર્ષ પર પચીસ વર્ષને યુવક ઉપાડે એટલે ભાર મૂકવામાં આવે તો તેમાં બાળકને નાશ થાય છે. સ્વાધિકાર જે જે કાર્યો થઈ શકે તેટલી સ્વાત્મામાં શક્તિ હોય વા અન્યના સાહાચ્ય હોય અને તેના કરતા શક્તિના બહાર કાર્યો કરવામાં આવે તો તેમાં સ્વામીનો નાશ થાય અને અન્યને પણ અત્યંત હાનિ કરી શકાય એવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. અએવ આત્મશક્તિની તુલના કરીને કાર્ય પ્રવૃત્તિ સેવવી જોઈએ. મગર જલમાં સ્વકીય બલથી અન્યને પરાજય કરી શકે છે. સવરરૂપ ક્ષેત્રબલે તે મેટાં જાનવરોને પણ જલમાં ખેંચી શકે છે. પરન્તુ યદિ તે સરોવર બહાર તે પ્રમાણે આચરણ કરતાં પરાજય અને નાશવસ્થાને પામે એમાં કશ આશ્ચર્ય નથી. ઘુવડ રાત્રીના વખતમાં કાગડાઓનો પરાજય કરવા અને નાશ કરવા શક્તિમાન થઈ શકે છે. પરંતુ તેજ ઘુવડ (દૂક) દિવસના સમયમાં કાકેથી પરાજય પામી શકે છે. સિંહ વન પર્વતરૂપ ક્ષેત્ર પામી સ્વબલવડે વનરાજા તરીકેનું પદ ધારણ કરી શકે છે પરંતુ તે નગરમાં ફાવી શકે નહી; પરંતુ તેનું સ્વાસ્તિત્વ એઈ બેસે. અમુક મનુષ્ય
For Private And Personal Use Only