SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુભાવથી પરમાત્મપદ પ્રાપ્તિ. ( ૨૯ ) U તે હોવો જોઈએ કે જેથી આમેન્નતિના શિખરે આરેહતાં વાર ન લાગી શકે. પ્રત્યેક કાર્યમાં સુભાવથી પૈર્ય અવલંબી પ્રવર્તવું જોઈએ. શ્રી હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારે જ્યારે શ્રી રાષભદેવ પ્રભુને શેલડીને રસ વહોરાવ્યો ત્યારે તત્સમયે જેમ જેમ ભાષભદેવ પ્રભુને હસ્તમાં શેલડીરસની શિખા ચડવા લાગી તેમ તેમ શ્રેયાંસકુમારના હૃદયમાં સુભાવનાની શિખા એટલી બધી વધવા લાગી કે આકાશમાં પણ તે માઈ શકે નહિ. આવી શ્રેયાંસકુમારે સત્કાર્યમાં સંભાવના રાખી તેથી તે શુભ ગતિને પામ્યા. તેમ પ્રત્યેક મનુષ્ય સાંસારિક વા પારમાર્થિક કાર્યો પૈકી ગમે તે કાર્ય કરતાં અન્તરમાં સુભાવને પ્રવાહ વહ્યા કરે એવો ઉપગ ધારણ કરે. મહાજ્ઞાનીઓ એક પરમાણુના વર્ણ ગંધ રસ સ્પર્શમાં સ્થિર થઈને શુકલધ્યાન થાઈ શકે છે અને તેથી તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આત્માનાં એક પર્યાય વા પરમાણુના એક પર્યાયમાં શુકલધ્યાનીઓ ધ્યાનથી સ્થિર રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એમ ગશાસ્ત્ર-તાવાર્થસૂત્ર-દશવૈકાલિકરૃણ વગેરે અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે તે ઉપરથી સમજવાનું મળે છે કે પ્રત્યેક કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં પ્રવર્તતાં અન્તરમાં સુભાવના રાખી શકાય છે અને ઉપયોગથી પ્રવતી શકાય છે. તે આદ્રકુમાર ગૃહસ્થાવાસમાં ગૃહસ્થદશાના સ્વાધિકારે ગૃહસ્થગ્ય કાર્યો કરતા હતા. તેઓ હદયમાં શુદ્ધબુદ્ધ પરમાત્માનું આન્તરદષ્ટિએ ધ્યાન ધરતા હતા અને બાહ્યથી સાંસારિક અનેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને સેવતા હતા. સાંસારિક કર્તવ્યપ્રવૃત્તિમાં એઓ ઉપગપૂર્વક પ્રવર્તાતા હતા અને તે તે પ્રવૃત્તિની બાહ્ય શુભાશુભ અસર સ્વાત્માપર ન થાય એ ઉપગ રાખતા હતા. ઉપગે ધર્મ એ વાક્યના યથાર્થ ભાવ પ્રમાણે તેઓ પ્રવર્તતા હતા. સુભાવથી પૈર્ય ધારણ કરીને પ્રત્યેક કાર્ય થતાં અન્તરમાં આત્માની પરમાત્મતા પ્રગટાવી શકાય છે. એટલું યાદ રાખવું કે જ્યારે ત્યારે જે કઈ પરમાત્માઓ છે તે ખરેખર સુભાવથી થયા તે આપણે પણ સુભાવથી પરમાત્મપદ કેમ ન પામી શકીએ ? અલબત્ત પરમાત્મપદ પામી શકીએ. સુભાવથી હૈયે ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવાની જરૂર છે તેમ મેરુ પર્વતની પેઠે સ્થિરતા ધારીને કાર્યમાં પ્રવર્તવાની પણ જરૂર છે. જેમ જેમ કાર્યપ્રવૃત્તિમાં મન વચન અને કાયાની સ્થિરતા વધતી જાય છે તેમ તેમ કાર્યની સિદ્ધિ શીધ્ર થાય છે. મેરુપર્વત જેમ કોઈથી કંપાવ્યો કંપે નહિ તેમ પ્રત્યેક મનુષ્ય કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં મન વચન અને કાયાના વેગથી અચલાયમાન રહેવું જોઈએ. મન વચન અને કાયાની સ્થિરતાથી પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે. જેમ કાર્યપ્રવૃત્તિ ઉત્તમ તેમ વિશેષ ધૈર્ય ધારણ કરવું જોઈએ. વિદ્યાધ્યયનાદિ પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં મન વાણી અને કાયાની સ્થિરતાથી અચિંત્ય વિજય મેળવી શકાય છે. અસ્થિર મનુષ્યો કાર્યપ્રવૃત્તિમાં અસ્થિર હોવાથી તેઓ પરાજયને પામી શકે છે. મેરુપર્વતની પેઠે ધૈર્ય ધારણ કરીને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy