________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધાનું અપૂર્વ બળ.
(૨૯૭ )
તેઓ ઈતિહાસના પટ પર કંઈ શુભ કાર્યોની યાદી મૂકી શક્યા નથી અને મૂકી શકનાર નથી. આત્મા પોતે પરમાત્મા છે, તે ધારે છે તે કાર્ય કરી શકે છે. અતએ હું ધારીશ તે કાર્ય કરી શકીશ એ નિશ્ચય કરીને કર્તવ્યશ્રદ્ધાલુ મનુષ્ય આત્મભોગ આપવામાં પશ્ચાત્ પડતો નથી. કર્તવ્યશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાવંત મનુષ્ય સર્વ બાબતમાં મન વચન અને કાયાથી પ્રામાણિક રહે છે અને તે પિતાની ઉચ્ચતા-શુદ્ધતા સમજવા માટે શક્તિમાન થાય છે. પૂર્ણ શ્રદ્ધાથી જે જે કાર્યો કરવામાં આવે છે તે તે કાર્યો પ્રાયઃ પૂર્ણ કરી શકાય છે. અતએ પૂર્ણ શ્રદ્ધાનું અવલંબન કરવાની ખાસ જરૂર છે. એક ગુરુ પાસે બે વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. એક દિવસે ગુરુના મનમાં એવો વિચાર આવ્યો કે બે શિષ્યોને પરિપૂર્ણ વિદ્યાની પ્રાપ્તિ કરાવવા માટે બ્રાહ્મી ચૂર્ણ સિદ્ધ કરવું. ગુરુએ અનેક ઔષધીઓ ભેગી કરી બ્રાહ્મીચૂર્ણની સિદ્ધિ કરી અમુક મુહુર્તે બને શિષ્યોને ખાવા માટે આપ્યું. એક વિદ્યાર્થિઓ પૂર્ણ શ્રદ્ધાથી સરસ્વતી ચૂર્ણનું ભક્ષણ કર્યું અને અન્ય વિદ્યાર્થિઓ માખીના ચૂર્ણ જેવું જાણી શંકા લાવી ભક્ષણ કર્યું. જેણે પૂર્ણ શ્રદ્ધાથી બ્રાહ્મીચૂર્ણનું ભક્ષણ કર્યું તે વિદ્વાન થયો અને જેણે શંકા ધરીને ચૂર્ણ ભક્ષણ કર્યું તે મૂર્ખ રહ્યો. એ દષ્ટાન્તપરથી અવબોધવાનું કે પ્રત્યેક કર્તવ્યની પરિપૂર્ણ શ્રદ્ધાથી પિતાને જેટલો વિજય થાય છે તેટલે અન્ય કશાથી થતું નથી. કર્તવ્ય કાર્યનું સ્વપરને-ષ્ટિ અને સમષ્ટિને ફલ પ્રાપ્ત થવાનું છે એમ પરિપૂર્ણ અવધીને અને પૂર્ણ શ્રદ્ધા ધારણ કરીને જે મનુષ્ય કર્તવ્ય કાર્યને કરે છે તે કદાપિ પ્રગતિમાર્ગમાંથી ભ્રષ્ટ થતો નથી. આવશ્યક કર્તવ્ય કાર્યોને પરિપૂર્ણ શ્રદ્ધાથી કરવાં જોઈએ. કર્મયેગીઓ-જ્ઞાનગીઓ-હોગીઓ-ભકતયેગીઓ અને સેવાગીઓ પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં કર્તવ્યશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તે છે તેથી તેઓ વિશ્વમાં આદર્શજીવન ધારણ કરીને અમર બને છે. શ્રદ્ધાબલગથી અનેક રોગોને મટાડી શકાય છે તેનું રહસ્ય ખરેખર ગીઓ જાણે છે તેથી તેઓ અનેક રૂપાન્તરથી શ્રદ્ધાને કેળવી તેને સમ્યમ્ ઉપયોગ કરી શકે છે. પરિપૂર્ણ શ્રદ્ધાબલથી જે કાર્ય કરવામાં આવશે તેમાં દૈવીસામર્થ્યની સાહાસ્ય મળે છે. અનેક ધર્મ પ્રવર્તકેયનાં ચરિત્ર વાંચવાથી માલુમ પડશે કે તેઓને સત્કાર્ય પ્રવૃત્તિમાં નસેનસે પરિપૂર્ણ શ્રદ્ધાબલની સાથે લેહી વહેતું હતું; તેથી તેઓ વિશ્વને ચમત્કારો બતાવવાને શક્તિમાન બન્યા હતા. મંત્રની સાધનામાં પરિપૂર્ણ શ્રદ્ધાવિના એક ક્ષણમાત્ર પણ રહી શકાતું નથી, તેમજ ઔષધ-દવાઓના ભક્ષણમાં પણ શ્રદ્ધાબલથી અપૂર્વ ફાયદો થાય છે તેના અનેક દાખલાઓ વિદ્યમાન છે. કઈ પણ કાર્ય પ્રવૃત્તિમાં શ્રદ્ધાની જરૂર પડે છે. વિદ્યાપ્રવૃત્તિ-ક્ષાત્રકર્મ પ્રવૃત્તિ-વૈશ્યપ્રવૃત્તિ અને શૂદ્રપ્રવૃત્તિ વ્યવહારપ્રામાણ્ય સિદ્ધ કરવામાં પ્રથમ શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધાના નિમિત્તપરત્વે અનેક ભેદે પડે છે તેમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું અવલંબન કરવાની જરૂર છે. પ્રત્યેક કર્તવ્ય કાર્ય
For Private And Personal Use Only