________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૬ ).
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
R
સેવક–રાજાઓ-કવિ-જ્ઞાનીઓ-વિદ્યાથીઓ-સાધુઓ અને ધર્માચાર્યો ઉત્સાહથી સ્વાધિકાર કર્તવ્ય સપ્રવૃત્તિમાં ઉત્સાહ સેવે છે તે તેથી તેઓ અને પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં સલાભ દેખવાને શક્તિમાન થાય છે. ઈટાલીઅન ગેરીલાલ્હી પિતે જે જે કાર્ય કરતો હતો તે ઉત્સાહપૂર્વક કરતા હતા. તેને જે જે કાર્ય સંપવામાં આવતું હતું તેમાં તે ઉત્સાહથી દુઃખ પરિશ્રમ વેઠીને વિજયી નીવડત હતો તેથી તે ઇટાલી દેશનો ઉદ્ધારક મહાપુરુષ તરીકે ગણાયે. પ્રત્યેક દેશમાં અનેક કર્મગીઓ થયા છે. તેઓની કાર્યપ્રવૃત્તિમાં ઉત્સાહ મુખ્ય ભાગ ભજવેલો માલુમ પડે છે. રાજપુત વીરે અલ્પ સંખ્યામાં હેઈને તેઓએ હજારે લાખે મુસભાને હઠાવ્યા હતા એવું તેઓના ઉત્સાહજૂરથી ટેડ રાજસ્થાન ફાર્બસરાસમાળા વગેરે વાંચતાં માલુમ પડે છે. અતએ ઉત્સાહપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાની સ–વૃત્તિ સદા સેવવા યોગ્ય છે. પૂર્ણ શ્રદ્ધાનું અવલંબન કરીને કાર્યપ્રવૃત્તિમાં વર્તવા માટે [અા તમાદા એ પદ મૂકીને જે કાર્ય પ્રવૃત્તિની સિદ્ધિનું રહસ્ય દર્શાવ્યું છે તે ખરેખર અન્તરમાં અનુભવગમ્ય કરવું જોઈએ. પૂર્ણ શ્રદ્ધાના અવલંબન વિના કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી. કાર્યપ્રવૃત્તિરૂપ દેહમાં શ્રદ્ધા ખરેખર વિર્યસમાન છે. જે કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તકની શ્રદ્ધા નથી તે કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. કાર્યપ્રવૃત્તિશ્રદ્ધાઆત્મશ્રદ્ધા અધિકારશ્રદ્ધા-સાયકલશ્રદ્ધા અને પ્રમાણ શ્રદ્ધા આદિ શ્રદ્ધાઓ વિના ચાલી શકાય તેમ નથી. જે મનુષ્યને પોતાના વિચારે અને કર્તવ્ય કાર્યોની શ્રદ્ધા નથી તેના જેવા આ વિશ્વમાં અન્ય નિર્બલ નિર્જીવ મનુષ્ય નથી. પ્રત્યેક કર્તવ્યકાર્યમાં આત્મશ્રદ્ધાની જરૂર છે એમ જ્યારે પિતાનો નિર્ણય થાય છે ત્યારે અન્તરાત્મામાં રહેલ અનંતવીર્યને ભંડાર ખરેખર પ્રકટ થાય છે અને તેથી કર્તવ્ય કાર્યની સહેજે સિદ્ધિ થાય છે. કર્તવ્યકાર્યની સિદ્ધિ કરવા માટે પૂર્ણ શ્રદ્ધાથી હૃદય ભરી દેવું અને જ્યાં ત્યાં કર્તવ્ય કાર્યસિદ્ધિના ઉપાયને વિચારવા કે જેથી કાર્યસિદ્ધિને માર્ગે સ્પષ્ટ થઈ શકે. શ્રદ્ધા એ ઈશ્વર બલ છે અને તેથી ધર્મની બાબતમાં ધર્માચાર્યો પ્રથમ શ્રદ્ધાતરવની ઉપયોગિતા અવબોધીને મનુષ્યમાં ધર્મશ્રદ્ધા પ્રકટે એવા ઉપાયે ગ્રહે છે. મેમેરિઝમ અને હિપનોટીઝમ વગેરે વિદ્યાઓમાં શ્રદ્ધાતત્વ વ્યાપી રહ્યું છે એમ અનભવ કરતાં અવધશે. કર્તવ્ય કાર્યની શ્રદ્ધાથી તેની પ્રવૃત્તિમાં સ્થિરચિત્ત રહી શકે છે અને તેથી મનની ચંચલતાને નાશ થાય છે. શ્રદ્ધાબળ સમાન અન્ય કઈ બલ નથી. પ્રભુને પ્રાપ્ત કરવા માટે-ગુરુને પ્રાપ્ત કરવા માટે અને કર્તવ્યની સિદ્ધિ માટે પરિપૂર્ણ શ્રદ્ધાવિના કદી રહી શકાય તેમ નથી. જે મનુષ્યની કર્તવ્ય કાર્યમાંથી શ્રદ્ધા ઉઠી જાય છે તે ગમે તેવો કર્મયોગી હોય તો પણ તે કાર્યની સિદ્ધિમાં પશ્ચાત્ રહે છે. ખરું કહીએ તે મુસલમાન શ્રદ્ધાબલથી આર્યાવર્તનું રાજ્ય મેળવવામાં આત્મભેગ આપી શક્યા હતા. આત્મશ્રદ્ધાયુક્ત ચૈતન્યવાદીઓએ જે જે કર્તવ્યકાર્યો કર્યા છે તેવાં જડવાદીઓએ કર્યા નથી અને કરી શકવાના નથી તેથી
For Private And Personal Use Only