________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૮ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
પ્રખ્યાત શેધક એડીસનને પ્રથમ પ્રગતિમાર્ગમાં પ્રવર્તતાં અનેક વિપત્તિયે નડી હતી, પણ તેણે જરામાત્ર પણ ન મુંઝાતા પિતાની કાર્યપ્રવૃત્તિ શરૂ ને શરૂ રાખી તેથી તે અને વિજયી અને સમૃદ્ધિમાન બને છે. વ્યાપાર કરનારા વ્યાપારીઓ, શૂરવીર ક્ષત્રિયે, વિદ્યોપાસક વિદ્યાથી, સાધુઓ, બાહ્મણે રાજાઓ અને સેવકને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિપત્તિ નડે છે અને તેથી સત્કાર્યપ્રવૃત્તિને ત્યાગ કરવાનો વિચાર પ્રકટે છે; પરન્તુ જેઓ ખરેખર કર્મગીઓ છે તેઓ સપ્રવૃત્તિ કરતાં અનેક પ્રતિકૂલ સંયોગો પ્રાપ્ત થયા છતાં મુંઝાતા નથી અને તેથી તેઓ પ્રતિકૂલ સંગોના સામા ઊભા રહી સ્વકાર્ય સિદ્ધ કરી શકાય એવું પરિતઃ સાનુકુલ સંગોનું બળ મેળવીને આગળ વધે છે. સ્કોટલાંડને રાજ એક વખત ઈંગ્લાંડની સાથે લડતાં હારી ગયે; તે પિતાના મહેલમાં રહ્યોરહ્યો વિચાર કરી મુંઝાતો હતો એવામાં તેણે કરેળીયાને જાળ રચતાં જે. કરોળી ઘણી વખત જાળ રચતાં ન ફાવ્યું પણ તે હિમ્મત ન હારતાં જાળ રચવા લાગે અને અને ફાવ્યો. તે કોળીયાનું દૃષ્ટાંત મનમાં ધારણ કરીને કેટલાંડના રાજાએ મુંઝવણ દૂર કરી પાછું યુદ્ધ શરૂ કર્યું અને વિજયશાળી બને. એ ઉપરથી સમજવું કે પરોપકારકૃત્યમાં, વ્યાપારકૃત્યમાં, સંઘકૃત્યમાં અને જનસમાજસેવાકૃત્ય વગેરે સત્કાર્યો કરવાની પ્રવૃત્તિમાં અનેક વિપત્તિ પ્રસંગે મહુ પ્રકટે એ સ્વાભાવિક છે; પરતુ જ્ઞાનવડે જરામાત્ર ન મુંઝાતાં આજુબાજુના સાનુકૂલ સંગે મેળવી આગળ વધવું તેજ વાસ્તવિક કર્તવ્ય કાર્ય કરવાની કુંચી જાણવી. મહમ્મદ પયગંબર એક વખત તેના શત્રુની સાથે લડતો હતો, તે પ્રસંગે પિતાના સૈનિકોની હાર અને તેઓની ભાગંભાગ દેખીને તે મુંઝાય નહિ. તેણે સ્થિરપ્રજ્ઞાથી વિચાર કર્યો અને હાથમાં રૂમાલ લઈને સ્વસૈનિકોને આકાશપરથી ખુદા મદદે આવે છે માટે લડે એમ કહી ઉત્સાહિત કર્યા, તેથી સૈનિકે બમણું ત્રમણ જેરથી લડવા લાગ્યા અને તેમાં મહંમદ પગબરની ફતેહ થઈ. એ ઉપરથી સમજવાનું કે સત્કાર્ય પ્રવૃત્તિમાં જે ચારે તરફથી વિપત્તિ આવી પડતાં પણ મન મુંઝાતું નથી તે અને સ્વકાર્યની સિદ્ધિ કરી શકાય છે એમ નક્કી માનવું. ગૌતમબુદ્ધને સ્વધર્મ સ્થાપન કરવામાં અનેક વિપત્તિ નડી હતી. તેના ઉપર હજામડીની સાથે વ્યભિચારનું કલંક બ્રાહ્મણોએ મૂકયું હતું પરંતુ તે ન મુંઝાવાથી સ્વીકાર્ય કરી શકે. જે મનુષ્ય દુનિયામાં સઘળું સહન કરીને પોતાની કર્તવ્ય ફરજથી સર્વ વિશ્વનું કલ્યાણ કરવા ઈચ્છે છે તે મનુષ્ય ગમે તેવી મુંઝવણને પણ પિતાના હૃદયમાં સ્થાન આપે એજ તેની આવશ્યક નિષ્કામ સત્ય ફરજની ઉત્તમતા અવધવી. જ્ઞાની એવા કર્મણી પિતાના આત્માને સમ્પ્રવૃત્તિમાં નહિ મુંઝાવવાપૂર્વક એમ કથી શકે છે કે આ સર્વ જીવ સમષ્ટિમાં હું એક આત્મા છું અને તેટલે અંશે મારા વિચારો મારા શબ્દો મારા આચારવડે હું સમષ્ટિને જવાબદાર છું માટે મારે મારા આત્માને મનને વચનને અને કાયાને એવી રીતે કેળવવાં જોઈએ કે જગન્સમષ્ટિની કઈ પણ વ્યષ્ટિ
For Private And Personal Use Only