________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ત5માં ભીતિને ત્યાગ.
( ૨૮૫ ).
એમ દેશકાલાનુસારે લાભલાભને વિવેક કરી પ્રવર્તે છે તેથી તે સર્વત્ર વિશ્વમાં રાજ્ય કરી સર્વ મનુષ્યને અલ્પષ મહાલાભ દૃષ્ટિએ શાંતિ સમર્પી શકે છે. તદ્વત્ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ કર્તવ્ય કાર્યોના ઉપૂર્વક સદેવ વા નિર્દોષ કાર્યો કરવા જોઈએ.
આવશ્યક પ્રત્યેક કર્તવ્યધર્મકર્મ દેશકાલાનુસારે સ્વાન્યસુખ-સાધક હોવું જોઈએ. પ્રત્યેક કર્તવ્યધર્યકર્મ ખરેખર સ્વાત્માને કુટુંબને જ્ઞાતિને જનસમાજને સંઘને અને વિશ્વને પરંપરાએ સુખ-સાધક થાય એવું વિવેકમાન્ય હોવું જોઈએ.
અવતરણ-સ્વાધિકાર યોગ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાતાં ઉત્સાહ શ્રદ્ધા અને સહનતાની પ્રેરણાબલસંદર્શકવર્ધક શિક્ષાને કથવામાં આવે છે.
- I will मामुहः सत्प्रवृत्तौ त्वं नित्यमुत्साहपूर्वकम् । वर्तस्व योग्यकार्येषु सल्लाभं द्रक्ष्यसि ध्रुवम् ॥ ४६॥ पूर्णश्रद्धा समालम्ब्य धृत्वा धैर्य सुभावतः । मेरुवत् स्थैर्यमालम्ब्य प्रवर्तस्वोपयोगतः ॥४७॥ प्रारंभितस्वकार्येषु विघ्नोघे पतितेऽपि वै ।
મૃત્યુમીતિં વિા રવં પ્રવર્તર પ્રદરતઃ ક૮ શબ્દાર્થ–હે મનુષ્ય! સપ્રવૃત્તિમાં તું મુંઝ નહિ. સ્વાધિકારોગ્ય કાર્યોમાં નિત્ય ઉત્સાહપૂર્વક પ્રવર્ત. અને તું તેથી ઉત્તમ લાભને નકકી દેખીશ. પૂર્ણ શ્રદ્ધાને અવલંબીને તથા સુલાભથી વૈર્ય ધરીને તથા મેરુપર્વતની સ્થિરતાને અવલંબી ઉપયોગથી સત્કાર્યમાં પ્રવર્ત. પ્રારંભિતસ્વાધિકારોગ્ય કર્તવ્ય કાર્યોમાં વિદને આવે છે તે મૃત્યુ ભીતિનો પણ ત્યાગ કરીને પ્રયત્નતઃ સ્વકાર્યમાં પ્રવર્ત.
ભાવાર્થ—આત્મન ! સસ્પ્રવૃત્તિમાં પ્રવર્તતાં તું જરા માત્ર ના મુંઝાતે; કેટલીક અગવડતાઓ તો તું મુંબાઈને ઉભી કરે છે. કાર્યપ્રવૃત્તિમાં મુંઝાતા અનેક પ્રકારની વિક૫સંકલ્પ શ્રેણિયો પ્રકટે છે અને તેથી આત્માની વિકસિત શકિતને હાનિ પહોંચે છે. એક મનષ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં વિપત્તિની કલ્પના કરી ભય શેકના વિચારથી મુંબાઈ
For Private And Personal Use Only